Wednesday, November 19, 2025

અમદાવાદમાં પરશુરામ જયંતિની ઉજવણી, નવા વાડજમાં પરશુરામ પ્રતિમાને અનેક રાજકીય અને સામાજીક મહાનુભાવો દ્વારા પુષ્પાંજલિ

spot_img
Share

અમદાવાદ : વૈશાખ સુદ બીજ એટલે અખાત્રીજ, અક્ષય તૃતીયા નો દિવસ. હિંદુ સંસ્કૃતિમાં શુભ ગણાતા આ દિવસે લગ્ન, જનોઇ, વાસ્તુ, નામકરણ જેવા અનેક કાર્યો કરવામાં આવે છે. અખાત્રીજના આ દિવસે ભગવાન પરશુરામની જન્મ જયંતિ પણ મનાવવામાં આવે છે. સમગ્ર માનવજાત માટે સતત વિચારનાર અને આપખુદશાહીનો અંત લાવનાર તેમજ શાસ્ત્રની સાથે શસ્ત્રનો પણ ઉપયોગ કરનાર પરશુરામની જયંતિ આજના દિવસે ઉજવવામાં આવે છે.આજે રાજ્યના મહાનગરોમાં પરશુરામ જયંતિની ઉજવણી ઉત્સાહભેર થઈ હતી.અમદાવાદ સહીત રાજ્યમાં પરશુરામ જયંતિ નિમિત્તે બ્રહ્મસમાજ દ્વારા ઠેર ઠેર શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

અમદાવાદની વાત કરીએ તો પરશુરામ જયંતિ નિમિતે આજે અમદાવાદના સારંગપુર કર્ણમુક્તેશ્વર મહાદેવથી પરશુરામની શોભાયાત્રા નીકળી હતી. પોલીસ બંદોબસ્ત સાથે પરશુરામની શોભાયાત્રા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરી હતી. સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ દ્વારા પરશુરામ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો વાહનો લઈને યાત્રામાં જોડાયા હતા.આ ઉપરાંત અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં પણ પરશુરામ જયંતિની ઉજવણી નિમિત્તે શોભાયાત્રા નીકળી હતી.

સોલા વિદ્યાપીઠથી ભવ્ય શોભાયાત્રા બલોલનગર થઇ વ્યાસવાડી, નવા વાડજ ખાતે શોભાયાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું. નવા વાડજમાં વ્યાસવાડી ચાર રસ્તા ખાતે આવેલ ભગવાન પરશુરામ પ્રતિમાને અનેક રાજકીય અને સામાજીક મહાનુભાવો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી. આ પ્રસંગે ગૃહમંત્રી હર્ષ સંઘવી, મેયર, અનેક ધારાસભ્યો, મ્યુ કાઉન્સિલરો અને અનેક બ્રહ્મસમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.આ ઉપરાંત વ્યાસવાડી ચાર રસ્તા પાસે રાત્રે ડાયરાનું પણ આયોજન કરાયું હતું.

આ ઉપરાંત પાલડી વિસ્તારના રામજી મંદિરથી પરશુરામ ભગવાનની રથયાત્રાનો પ્રારંભ કરાયો હતો. પાલડીથી વાડજ સુધી 18 કિલોમિટરની રથયાત્રાનું રસ્તામાં ઠેર-ઠેર ભાવિકોએ સ્વાગત કર્યું હતું. બ્રહ્મ સમાજ દ્વારા છેલ્લા 10 વર્ષથી રથયાત્રા યોજવામાં આવે છે. પરશુરામ જંયતિની ઉજવણીમાં હિંદુ સંગઠનો અને સાધુ સંતો પણ જોડાયા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત પોલીસની ટેક-પહેલ: ટ્રાફિક મેનેજમેન્ટ માટે સ્વદેશી ‘Mapmyindia’ સાથે MoU

ગાંધીનગર : ગુજરાતમાં રોડ સેફ્ટી અને ટ્રાફિક મેનેજમેન્ટ (Road Safety & Traffic Management) અંગે એક મહત્વપૂર્ણ પહેલ અંતર્ગત, ગુજરાત પોલીસ અને સ્વદેશી એપ મેપલ્સ...

મહેસૂલ વિભાગમાં ક્લાસ-3 ની પોસ્ટ માટે ભરતી આવી, જાણો ક્યારથી અને કેવી રીતે ભરાશે ફોર્મ

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. મહેસુલ વિભાગમાં બે અલગ અલગ પોસ્ટ ઉપર 400થી વધુ જગ્યા ઉપર ભરતી...

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...