Tuesday, February 10, 2026

અમદાવાદમાં પરશુરામ જયંતિની ઉજવણી, નવા વાડજમાં પરશુરામ પ્રતિમાને અનેક રાજકીય અને સામાજીક મહાનુભાવો દ્વારા પુષ્પાંજલિ

spot_img
Share

અમદાવાદ : વૈશાખ સુદ બીજ એટલે અખાત્રીજ, અક્ષય તૃતીયા નો દિવસ. હિંદુ સંસ્કૃતિમાં શુભ ગણાતા આ દિવસે લગ્ન, જનોઇ, વાસ્તુ, નામકરણ જેવા અનેક કાર્યો કરવામાં આવે છે. અખાત્રીજના આ દિવસે ભગવાન પરશુરામની જન્મ જયંતિ પણ મનાવવામાં આવે છે. સમગ્ર માનવજાત માટે સતત વિચારનાર અને આપખુદશાહીનો અંત લાવનાર તેમજ શાસ્ત્રની સાથે શસ્ત્રનો પણ ઉપયોગ કરનાર પરશુરામની જયંતિ આજના દિવસે ઉજવવામાં આવે છે.આજે રાજ્યના મહાનગરોમાં પરશુરામ જયંતિની ઉજવણી ઉત્સાહભેર થઈ હતી.અમદાવાદ સહીત રાજ્યમાં પરશુરામ જયંતિ નિમિત્તે બ્રહ્મસમાજ દ્વારા ઠેર ઠેર શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

અમદાવાદની વાત કરીએ તો પરશુરામ જયંતિ નિમિતે આજે અમદાવાદના સારંગપુર કર્ણમુક્તેશ્વર મહાદેવથી પરશુરામની શોભાયાત્રા નીકળી હતી. પોલીસ બંદોબસ્ત સાથે પરશુરામની શોભાયાત્રા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરી હતી. સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ દ્વારા પરશુરામ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો વાહનો લઈને યાત્રામાં જોડાયા હતા.આ ઉપરાંત અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં પણ પરશુરામ જયંતિની ઉજવણી નિમિત્તે શોભાયાત્રા નીકળી હતી.

સોલા વિદ્યાપીઠથી ભવ્ય શોભાયાત્રા બલોલનગર થઇ વ્યાસવાડી, નવા વાડજ ખાતે શોભાયાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું. નવા વાડજમાં વ્યાસવાડી ચાર રસ્તા ખાતે આવેલ ભગવાન પરશુરામ પ્રતિમાને અનેક રાજકીય અને સામાજીક મહાનુભાવો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી. આ પ્રસંગે ગૃહમંત્રી હર્ષ સંઘવી, મેયર, અનેક ધારાસભ્યો, મ્યુ કાઉન્સિલરો અને અનેક બ્રહ્મસમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.આ ઉપરાંત વ્યાસવાડી ચાર રસ્તા પાસે રાત્રે ડાયરાનું પણ આયોજન કરાયું હતું.

આ ઉપરાંત પાલડી વિસ્તારના રામજી મંદિરથી પરશુરામ ભગવાનની રથયાત્રાનો પ્રારંભ કરાયો હતો. પાલડીથી વાડજ સુધી 18 કિલોમિટરની રથયાત્રાનું રસ્તામાં ઠેર-ઠેર ભાવિકોએ સ્વાગત કર્યું હતું. બ્રહ્મ સમાજ દ્વારા છેલ્લા 10 વર્ષથી રથયાત્રા યોજવામાં આવે છે. પરશુરામ જંયતિની ઉજવણીમાં હિંદુ સંગઠનો અને સાધુ સંતો પણ જોડાયા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...