Tuesday, March 31, 2026

અમદાવાદમાં CM પટેલના હસ્તે લેખક રમેશ તન્નાના ‘સમાજનો છાંયડો’ બુકનું લોકાર્પણ

spot_img
Share

અમદાવાદ : સામાજિક સ્વરૂપને અખંડ રાખવા અને એ દરેક સમાજના મૂળમાં રહેલ માનવીને સુસંસ્કૃત જીવન પ્રદાન કરવામાં અગત્યનો ફાળો આપનાર પુસ્તક, એ મનુષ્યરચિત ઉત્તમ કર્મ છે.

તા.23 એપ્રિલ કે જે ‘વિશ્વ પુસ્તકદિન’ તરીકે ઉજવાય છે, તે સમગ્ર વિશ્વને પુસ્તકની મહત્તા દર્શાવતો દરેક વાચક માટે પાવન દિવસ હોય છે ત્યારે, જાણીતા લેખક રમેશ તન્નાના સકારાત્મક શ્રેણીના દસમાં પુસ્તક ‘સમાજનો છાંયડો’ નું વિમોચન ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે પોતાના સ્વહસ્તે કર્યું અને વિશ્વ પુસ્તક દિનને એક ઉત્તમ કૃતિ સમર્પિત કરી હતી.

લેખક રમેશ તન્નાના કહેવા મુજબ આજનો માણસ ચારેકોરથી કોઈને કોઈ સમસ્યા અથવા વિષમ સંજોગોથી ઘેરાયેલ હોવાથી તેના માનસપટ પર તેની સીધી કે આડકતરી અસર થાય છે , જેથી એ ગૂંચવાયેલ માણસ વિચારોના આડા પાટે ચઢી નકારાત્મક અભિગમ તરફ દોરાય તે સ્વાભાવિક છે. મોટા ભાગે માણસ ધ્યાન, યોગ, ભક્તિ, કલા અને પુસ્તક વાચનમાર્ગે ચાલી સકારાત્મક દિશા સહજતાથી પ્રાપ્ત કરે છે ત્યારે મારી પાસે જે છે તે સમાજને આપી, હું સમાજ પ્રત્યે મારું ઋણ અદા કરું છું. સકારાત્મક શ્રેણીના આ 10 પુસ્તક લખવાની પ્રેરણા પણ મારા વાચકના મળતા પ્રતિભાવો છે, જે મને નવિન કૃતિ તરફ આંગળી પકડી દોરી જાય છે.

આજનો જમાનો ભલે ઇન્ટરનેટ અને ઈ બૂકનો હોય પરંતુ જ્યાં સુધી લેખક ને લેખનનું અસ્તિત્વ છે, સમાજમાં પુસ્તક વાંચનાર વર્ગ કદી લુપ્ત થઈ ના શકે અને એ સંસ્કાર જ આપણા સમાજના ઇતિહાસ થકી ભાવિ પેઢીને જીવન જીવવાની સુવ્યવસ્થિત શૈલી પ્રદાન કરશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...