Friday, December 12, 2025

અમદાવાદમાં CM પટેલના હસ્તે લેખક રમેશ તન્નાના ‘સમાજનો છાંયડો’ બુકનું લોકાર્પણ

spot_img
Share

અમદાવાદ : સામાજિક સ્વરૂપને અખંડ રાખવા અને એ દરેક સમાજના મૂળમાં રહેલ માનવીને સુસંસ્કૃત જીવન પ્રદાન કરવામાં અગત્યનો ફાળો આપનાર પુસ્તક, એ મનુષ્યરચિત ઉત્તમ કર્મ છે.

તા.23 એપ્રિલ કે જે ‘વિશ્વ પુસ્તકદિન’ તરીકે ઉજવાય છે, તે સમગ્ર વિશ્વને પુસ્તકની મહત્તા દર્શાવતો દરેક વાચક માટે પાવન દિવસ હોય છે ત્યારે, જાણીતા લેખક રમેશ તન્નાના સકારાત્મક શ્રેણીના દસમાં પુસ્તક ‘સમાજનો છાંયડો’ નું વિમોચન ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે પોતાના સ્વહસ્તે કર્યું અને વિશ્વ પુસ્તક દિનને એક ઉત્તમ કૃતિ સમર્પિત કરી હતી.

લેખક રમેશ તન્નાના કહેવા મુજબ આજનો માણસ ચારેકોરથી કોઈને કોઈ સમસ્યા અથવા વિષમ સંજોગોથી ઘેરાયેલ હોવાથી તેના માનસપટ પર તેની સીધી કે આડકતરી અસર થાય છે , જેથી એ ગૂંચવાયેલ માણસ વિચારોના આડા પાટે ચઢી નકારાત્મક અભિગમ તરફ દોરાય તે સ્વાભાવિક છે. મોટા ભાગે માણસ ધ્યાન, યોગ, ભક્તિ, કલા અને પુસ્તક વાચનમાર્ગે ચાલી સકારાત્મક દિશા સહજતાથી પ્રાપ્ત કરે છે ત્યારે મારી પાસે જે છે તે સમાજને આપી, હું સમાજ પ્રત્યે મારું ઋણ અદા કરું છું. સકારાત્મક શ્રેણીના આ 10 પુસ્તક લખવાની પ્રેરણા પણ મારા વાચકના મળતા પ્રતિભાવો છે, જે મને નવિન કૃતિ તરફ આંગળી પકડી દોરી જાય છે.

આજનો જમાનો ભલે ઇન્ટરનેટ અને ઈ બૂકનો હોય પરંતુ જ્યાં સુધી લેખક ને લેખનનું અસ્તિત્વ છે, સમાજમાં પુસ્તક વાંચનાર વર્ગ કદી લુપ્ત થઈ ના શકે અને એ સંસ્કાર જ આપણા સમાજના ઇતિહાસ થકી ભાવિ પેઢીને જીવન જીવવાની સુવ્યવસ્થિત શૈલી પ્રદાન કરશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હોમગાર્ડ જવાન માટે મહત્ત્વની જાહેરાત, નિવૃત્તિ વયમર્યાદામાં 3 વર્ષનો વધારો, 55 વર્ષના બદલે હવે 58 વર્ષે નિવૃત્તિ

ગાંધીનગર : રાજ્યમાં આંતરિક સુરક્ષા, કાયદો વ્યવસ્થા અને વિવિધ કટોકટીની સ્થિતિમાં પોલીસ વિભાગ સાથે મળી કામગીરી કરતા રાજ્યના હજારો હોમગાર્ડ જવાનો માટે રાજ્ય સરકાર...

ગુજરાત સરકારના AI આધારિત પોર્ટલ પર એક ક્લિક પર ઠરાવો, પરિપત્રો સહિત વિગતો મળશે

ગાંધીનગર : ગુજરાત સરકાર દ્વારા એક એવુ પોર્ટલ બનાવવામાં આવી રહ્યું છે કે, સરકારની તમામ માહિતીઓ,પરિપત્રો, ઠરાવો એક જ ક્લીકમાં ઉપલબ્ધ બની શકે, પોર્ટલને...

ગુજરાત બોર્ડની બેદરકારી: પહેલા જાહેર રજાના દિવસે પરીક્ષા ગોઠવી, પછી ભુલ સુધારી તારીખ બદલી

ગાંધીનગર : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. 4 માર્ચ 2026ના દિવસે ધુળેટીનો જાહેર રજા દિવસ હોવા છતાં...

ગુજરાત પોલીસની અનોખી પહેલને બહોળો પ્રતિસાદ, 18.05 લાખથી વધુ રકમનો દંડ ઓનલાઇન મારફતે ભરાયો

ગાંધીનગર : રાજ્યમાં ટ્રાફિક નિયમ ભંગના ઇ-ચલણ પેટે દંડની રકમ ભરવાની પ્રક્રિયાને વધુ સરળ અને ડિજિટલ બનાવવા માટે ગુજરાત પોલીસે એક મહત્વપૂર્ણ પહેલ કરી...

CMની સંવેદનશીલતા : એક દીકરીના લગ્નનો પ્રસંગ બગડતો અટકાવવા CMએ પોતાના કાર્યક્રમનું સ્થળ તુરંત બદલી નાખ્યું

જામનગર : વહીવટ વ્યક્તિ લક્ષી મટીને જ્યારે પ્રજાલક્ષી બને છે ત્યારે સરકાર પ્રત્યે પ્રજામાં પણ પોતિકાપણાની ભાવના જાગે છે. આવો જ અભિગમ ગુજરાતના મુખ્ય...

ગુજરાત પોલીસની ટેક-પહેલ: ટ્રાફિક મેનેજમેન્ટ માટે સ્વદેશી ‘Mapmyindia’ સાથે MoU

ગાંધીનગર : ગુજરાતમાં રોડ સેફ્ટી અને ટ્રાફિક મેનેજમેન્ટ (Road Safety & Traffic Management) અંગે એક મહત્વપૂર્ણ પહેલ અંતર્ગત, ગુજરાત પોલીસ અને સ્વદેશી એપ મેપલ્સ...

મહેસૂલ વિભાગમાં ક્લાસ-3 ની પોસ્ટ માટે ભરતી આવી, જાણો ક્યારથી અને કેવી રીતે ભરાશે ફોર્મ

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. મહેસુલ વિભાગમાં બે અલગ અલગ પોસ્ટ ઉપર 400થી વધુ જગ્યા ઉપર ભરતી...

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...