Sunday, February 8, 2026

અમદાવાદમાં વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો : બાઈક સ્લીપ થતા સગીરનું મોત, પિતા વિરૂદ્ધ ગુનો નોંધાયો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો બન્યો છે.અમદાવાદમાં બાઇક અકસ્માતમાં સગીરનું મોત થતાં ટ્રાફિક પોલીસે સગીરના પિતા સામે ગુનો નોંધ્યો છે. મહત્વનું છે કે, ત્રણ મિત્રો બાઇક પર ત્રિપદા સ્કૂલ પાસે આવેલા મેદાનમાં ક્રિકેટ રમવા જઈ રહ્યા હતા. ત્યારે કૂતરું આડે આવતાં બાઈક સ્લીપ થતાં ત્રણેય મિત્રો ઈજાગ્રસ્ત થયા હતા, જેમાંથી બાઈકચાલક સગીરનું મોત નિપજ્યું હતું.

મીડિયા રિપોર્ટ અનુસાર, અમદાવાદના શાસ્ત્રીનગરમાં આવેલી ત્રિપદા સ્કૂલ પાસેના મેદાનમાં ક્રિકેટ રમવા જવા માટે ભાવેશ (ઉં.વ 16) તેના બે મિત્રો પ્રકાશ (ઉં.વ 20) અને રવિ (ઉં.વ 15) સાથે બાઇક પર નીકળો હતો. ભાવેશ તેના પિતના બાઈકમાં બે મિત્રોને લઈને ક્રિકેટ રમવા જઈ રહ્યો હતો. આ વેળાએ પ્રભાતચોક ત્રણ રસ્તા પાસેથી તેના બાઇકની આગળ એકાએક કૂતરું આવી ગયું હતું. જેથી બાઇક સ્લીપ થઈ જતાં ત્રણેય રસ્તા પર ઢસડાયા હતા.

આ અકસ્માતમાં ભાવેશને માથાના ભાગે ઈજા થઈ હતી, જ્યારે અન્ય બેને સામાન્ય ઈજાઓ થઈ હતી. જેથી ત્રણેયને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ભાવેશનું મોત નીપજ્યું હતું. જે બાદ ટ્રાફિક પોલીસને ભાવેશ સગીર વયનો હોવા છતાં બાઈક લઇને જઈ રહ્યો હોવાનું જાણવા મળતા પોલીસે તેના પિતા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

અત્રે તમને જણાવી દઈએ કે દેશમાં 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો વાહન ચલાવી શકે નહીં, બાળકો વાહન ચાલવતા પકડાઈ તો દંડ માતા-પિતા પર લાગી શકે છે. માતા-પિતાને રૂપિયા 25000નો દંડ અને 3 વર્ષ સુધીની જેલ થઇ શકે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...