Monday, January 19, 2026

1800 કરોડનું ક્રિકેટ સટ્ટા કૌભાંડમાં SMCના હાથે લાગ્યો આ શખ્સ, હજુ એક ડઝનથી વધુ આરોપી પોલીસ પકડથી દૂર

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના માધુપુરા વિસ્તારમાંથી ઝડપાયેલા ક્રિકેટના 1800થી 2000 કરોડના સટ્ટાકાંડમાં સ્ટેટ મોનેટરિંગ સેલને મોટી સફળતા હાથ લાગી છે. ત્યારે હવે કરોડોના સટ્ટા કૌભાંડમાં વિજિલન્સે એક પછી એક વોન્ટેડ આરોપીની ધરપકડ કરવાનું શરુ કર્યું છે. જેમાં આજે સ્ટેટ મોનેટરિંગ સેલે આ સટ્ટા કાંડમાં સટ્ટો રમી રહેલા બુકીઓને આઇડી આપ્યું હતું તેની ધરપકડ કરી છે. હવે પોલીસ તેના રિમાન્ડ માગી વધુ કાર્યવાહી હાથ ધરવાની છે.પરંતુ હજુ આ ક્રિકેટ સટ્ટાકાંડમાં બીજા ઘણા આરોપીઓ કે જે મોટા માથાઓ છે તેમને પકડવાના બાકી છે.

સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે કરોડોના સટ્ટા કૌભાંડમાં એક પછી એક રાજ ખોલવાનું શરૂ કરી છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અમદાવાદમાં સૌથી મોટા 1800 કરોડના સટ્ટાની તપાસ શરૂ કર્યા બાદ એક ડઝનથી વોન્ટેડ આરોપીઓને પકડવા માટેના પ્રયાસો શરૂ કરી દીધા હતા. જેમાં SMCની ટીમને બાતમી મળી હતી કે, આ સટ્ટામાં જે બુકી દ્વારા આઇડી આપવામાં આવી હતી તે અમદાવાદના વસ્ત્રાલમાં રહેતો નિલેશ પ્રવીણભાઈ રામી ઉત્તરાખંડના કેદારનાથ ગયો છે. પોલીસે તેની તપાસ શરૂ કરી અને તેની કડી ઋષિકેશ પાસેની એક હોટલમાં મળી હતી. SMCની ટીમે ત્યાં પહોંચી તેની ધરપકડ કરી છે.નિલેશ રામીએ મુખ્ય સટ્ટા અને ડબ્બા ટ્રેડિંગના આઈડી પુરા પાડ્યા હતા. તે મુખ્ય બુકી તરીકેના હર્ષિલ જૈન સહિતના આરોપીઓ સાથે પૈસાના હવાલા કરવાનો રોલ નિભાવતો હોવાનું જાણવા મળ્યું છે. આ કેસમાં તપાસ ચાલુ છે અને વધુ વિગતો પણ કાર્યવાહી દરમિયાન સામે આવશે.

માધુપુરા વિસ્તારમાંથી ઝડપાયેલા ક્રિકેટના 1800થી 2000 કરોડના સટ્ટાકાંડમાં કાર્યવાહી દરમિયાન 5 આરોપીઓ પકડાઈ ગયા હતા. SMC દ્વારા આ કેસમાં હાલ ઉત્તરાખંડની એક હોટલમાંથી નિલેશ રામીની ધરપકડ કરીને તેની સાથે ખરેખર કેટલા લોકો હતો અને રેડ સમયે અને ત્યારબાદ તેની સાથે પોલીસે કોઇ કોન્ટેક્ટ કર્યો હતો અથવા આખું નેટવર્ક કઈ રીતે ચાલતું હતું તે વિશે વિગતો મેળવવાનો પ્રયાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...