Saturday, September 13, 2025

શહેર ટ્રાફિક પોલીસની ડ્રાઇવ : ફેન્સી નંબર પ્લેટ ધરાવતા 123 ટુ વ્હીલર-ફોર વ્હીલર જપ્ત કરાયા

Share

Share

અમદાવાદ : અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા શહેરમાં આવા વાહનો સામે એક દિવસની ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં નંબર પ્લેટ સાથે ચેડાં કર્યા હોય અથવા નંબર પ્લેટ પર અલગ અલગ લખાણ લખ્યા હોય તેવા 123 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. આ બાબતે ટ્રાફિક DCPએ જણાવ્યું હતું કે, જરૂર જણાશે તો આ ડ્રાઈવ આગળના દિવસોમાં પણ ચાલુ રખાશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ ​​​​​​​અમદાવાદમાં ટ્રાફિક પૂર્વની હદમાં આવેલા 6 ટ્રાફિક પોલીસ સ્ટેશન દ્વારા એક દિવસ માટે નંબર પ્લેટ માટેની ડ્રાઇવ યોજવામાં આવી હતી. આ ડ્રાઇવ દરમિયાન પોલીસે નંબર પ્લેટ સાથે ચેડાં કર્યા હોય અથવા નંબર પ્લેટમાં લખાણ કર્યા હોય તેવા વાહન રોકીને જપ્ત કરવામાં આવ્યા હતા. ટુ વ્હીલર અને ફોર વ્હીલર મળીને કુલ 123 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસે માત્ર 24 કલાકમાં જ વાહનો જપ્ત કર્યા છે.

આ અંગે ટ્રાફિક DCP​​​​​​​ સફિન હસને જણાવ્યું હતું કે, વાહન ચાલકોએ RTO માન્ય નંબર પ્લેટ રાખવી પડશે. નંબર પ્લેટ સાથે ચેડાં કરનાર કે નંબર પ્લેટ પર અલગ અલગ લખાણ લખનાર વ્યક્તિઓના વાહન જપ્ત કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી 1 દિવસ માટે કરવામાં આવી છે, પરંતુ જરૂર જણાશે તો પોલીસ દ્વારા આ કાર્યવાહી ચાલુ રખાશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...