Monday, January 19, 2026

વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના બે લાંચિયા કોન્સ્ટેબલ 50 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા

spot_img
Share

અમદાવાદ: ACBની ટીમે અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના બે કોન્સ્ટેબલને 50 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યાં છે. આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર કોન્સ્ટેબલ રવિન્દ્રસિંહ ડાભી અને હેડ કોન્સ્ટેબલ હરદેવસિહ અમરસિહ ઝાલાએ એક આરોપિત વ્યક્તિને લોકઅપમાં ન રાખવા અને બારોબાર કોર્ટમાં રજૂ કરવા 50 હજાર રૂપિયાની લાંચ માંગી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હરદેવસિંહ ઝાલા એક વ્યક્તિની પૈસાની લેવડદેવડ બાબતની અરજીની તપાસ કરી રહ્યા હતા. આ તપાસમાં હરદેવસિંહના રાઇટર રવિન્દ્રસિંહ ડાભી પણ હતા. બંને પોલીસકર્મીઓ તપાસ કરી રહ્યા હતા. તે દરમિયાન અરજીને લઇ કલમ 151 મુજબ કાર્યવાહી કરી હતી, પરંતુ તે વ્યક્તિને લોકઅપમાં નહીં રાખવા અને કોર્ટમાં બારોબાર રજૂ કરવા 50 હજાર રૂપિયાની લાંચ માગી હતી.

ઉલ્લેખનીય છે કે, ફરીયાદીને લોકઅપમાં નહીં મુકવા તેમજ બારોબાર કોર્ટમાં રજુ કરવા માટે આરોપીઓએ ફરીયાદી પાસેથી રૂપિયા 50 હજારની લાંચની માંગણી કરી હતી. જો કે ફરિયાદીએ ACB ને જાણ કરતાં ACB દ્વારા ટ્રેપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટ્રેપના આયોજન દ્વારા બે લાંચિયા કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...