Thursday, January 22, 2026

આખરે જૂના વાડજના રામાપીરના ટેકરા પર બુલડોઝર ફરી વળ્યુ, કરોડોની કિંમતની જગ્યા ખાલી કરાવાઇ

spot_img
Share

અમદાવાદ : AMC દ્વારા શહેરની હદ વિસ્તારમાં આવેલા ટીપી રસ્તાઓ પર રહેલા દબાણ દૂર કરવા અભિયાન ચાલી રહ્યુ છે. તેમજ ટીપી પરના દબાણો, મ્યુનિ. રિઝર્વ પ્લોટમાં થયેલા દબાણો, બિન પરવાનગીના બાંધકામો દૂર કરવાની કામગીરી પર AMC નું બુલડોઝર ફરી વળ્યુ છે. ત્યારે અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડ ખાતે આવેલા જૂના વાડજના રામાપીર ટેકરાની અંદાજીત 838 કરોડ રૂપિયાની જમીન ખુલ્લી કરી છે. AMC દ્વારા રામાપીરના ટેકરામાં આવેલા સ્લમ રિડેવલ્પમેન્ટ કામગીરી અસરકારક કરવા કામગીરી ચાલી રહી છે.

પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડમાં આવેલા જૂનાવાડજ સ્થિત રામાપીરના ટેકરામાં સેક્ટર-1 આવેલા કુલ 197 બાંધકામો પૈકી 196 બાંધકામો દૂર કરાવેલ છે. જ્યારે એક ધાર્મિક પ્રકારનું બાંધકામ સ્વૈચ્છિક રીતે સ્થાનિક રહીશો દ્વારા દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી છે. સેક્ટર-1ની કુલ 13857 ચો.મી. જગ્યા ખુલ્લી કરાવેલ છે. જેની અંદાજીત કિંમત 138 કરોડની રૂપિયા જેટલી થાય છે.

આ અગાઉ જાન્યુઆરી -2023માં સેક્ટર-5માં 283 આવાસો તેમજ ફેબ્રુઆરીમાં હાઇકોર્ટના થયેલ કોર્ટ મેટરના તાકીદે નિકાલ લાવી સેક્ટર-3માં આવેલ આશરે 691 બાંધકામો દૂર કરી આશરે 70 હજાર ચો.મી. જગ્યા ખાલી કરાવેલ હતી. જેની અંદાજીત કિંમત 700 કરોડ રૂપિયા જેટલી છે.AMC દ્વારા રામાપીરના ટેકરામાં આવેલા સ્લમ રિડેવલ્પમેન્ટ કામગીરી અસરકારક કરવા કામગીરી ચાલી રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...