Monday, November 10, 2025

નવા વાડજમાં યોજાયો ખાસ કાર્યક્રમ, PM મોદીએ કરી 101મી વાર ‘મન કી બાત’

spot_img
Share

અમદાવાદ : PM નરેન્દ્ર મોદીએ આજે રવિવારે ​​(28 મે) ‘મન કી બાત’ દ્વારા દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. PM મોદીએ કહ્યું હતું કે ‘મન કી બાત’નો આ એપિસોડ બીજી સદીની શરૂઆત છે. ગયા મહિને આપણે બધાએ તેની વિશેષ સદીની ઉજવણી કરી. તમારી ભાગીદારી આ કાર્યક્રમની સૌથી મોટી તાકાત છે.

ગત રવિવારે PM નરેન્દ્ર મોદીના 101માં મન કી બાતનો કાર્યક્રમ નવા વાડજમાં કિરણ પાર્ક પાસે આવેલ શંભુ પાર્ક સોસાયટીના કોમન પ્લોટમાં ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ મન કી બાત નો કાર્યક્રમ સાંભળ્યો હતો. આ કાર્યક્રમમાં નારણપુરા વિધાનસભાના ધારાસભ્ય જીતુભાઈ પટેલ (ભગત) તથા નવા વાડજ વોર્ડના મહામંત્રી મુકેશભાઈ પટેલ તથા સિનિયર કાઉન્સિલર ભાવનાબેન વાઘેલા તથા કાઉન્સિલર લલીતાબેન મકવાણા સહીત મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. એવું કહેવાય છે મૉટે ભાગે મન કી બાતનો કાર્યક્રમ જોવા માટે ઘરમાં આયોજન કરાય છે પરંતુ અહીં સોસાયટીના કોમન પ્લોટમાં આયોજન કરાયું હોવાથી મોટી સંખ્યામાં લોકોએ ખૂબ જ ઉત્સાહથી આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

અગાઉ એપ્રિલમાં ‘મન કી બાત’નો 100મો એપિસોડ PM મોદીએ દરેક લોકો સુધી પહોંચાડીને એક નવો રેકોર્ડ સર્જ્યો હતો. PM મોદીનો એ એપિસોડ સંયુક્ત રાષ્ટ્રના હેડક્વાર્ટરમાં પણ બતાવાયો હતો. આ સાથે જ ‘મન કી બાત’ ના 100માં એપિસોડમાં PM મોદીએ કાશ્મીરનાં એક પેન્સિલ લાકડી નિર્મતા મંઝૂર અહેમદ સાથે વાત કરી હતી. પહેલા પણ PM મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમમાં તેમનું અને તેમના કામનાં વખાણ કર્યા હતાં.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...

નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન, કયા મંત્રીઓને કેબિનેટ, રાજ્યકક્ષા અને સ્વતંત્ર હવાલો સોંપાયો? જાણો વિગતે

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય...