Sunday, March 1, 2026

નવા વાડજમાં યોજાયો ખાસ કાર્યક્રમ, PM મોદીએ કરી 101મી વાર ‘મન કી બાત’

spot_img
Share

અમદાવાદ : PM નરેન્દ્ર મોદીએ આજે રવિવારે ​​(28 મે) ‘મન કી બાત’ દ્વારા દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. PM મોદીએ કહ્યું હતું કે ‘મન કી બાત’નો આ એપિસોડ બીજી સદીની શરૂઆત છે. ગયા મહિને આપણે બધાએ તેની વિશેષ સદીની ઉજવણી કરી. તમારી ભાગીદારી આ કાર્યક્રમની સૌથી મોટી તાકાત છે.

ગત રવિવારે PM નરેન્દ્ર મોદીના 101માં મન કી બાતનો કાર્યક્રમ નવા વાડજમાં કિરણ પાર્ક પાસે આવેલ શંભુ પાર્ક સોસાયટીના કોમન પ્લોટમાં ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ મન કી બાત નો કાર્યક્રમ સાંભળ્યો હતો. આ કાર્યક્રમમાં નારણપુરા વિધાનસભાના ધારાસભ્ય જીતુભાઈ પટેલ (ભગત) તથા નવા વાડજ વોર્ડના મહામંત્રી મુકેશભાઈ પટેલ તથા સિનિયર કાઉન્સિલર ભાવનાબેન વાઘેલા તથા કાઉન્સિલર લલીતાબેન મકવાણા સહીત મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. એવું કહેવાય છે મૉટે ભાગે મન કી બાતનો કાર્યક્રમ જોવા માટે ઘરમાં આયોજન કરાય છે પરંતુ અહીં સોસાયટીના કોમન પ્લોટમાં આયોજન કરાયું હોવાથી મોટી સંખ્યામાં લોકોએ ખૂબ જ ઉત્સાહથી આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

અગાઉ એપ્રિલમાં ‘મન કી બાત’નો 100મો એપિસોડ PM મોદીએ દરેક લોકો સુધી પહોંચાડીને એક નવો રેકોર્ડ સર્જ્યો હતો. PM મોદીનો એ એપિસોડ સંયુક્ત રાષ્ટ્રના હેડક્વાર્ટરમાં પણ બતાવાયો હતો. આ સાથે જ ‘મન કી બાત’ ના 100માં એપિસોડમાં PM મોદીએ કાશ્મીરનાં એક પેન્સિલ લાકડી નિર્મતા મંઝૂર અહેમદ સાથે વાત કરી હતી. પહેલા પણ PM મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમમાં તેમનું અને તેમના કામનાં વખાણ કર્યા હતાં.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...