Thursday, September 18, 2025

નવા વાડજમાં યોજાયો ખાસ કાર્યક્રમ, PM મોદીએ કરી 101મી વાર ‘મન કી બાત’

Share

Share

અમદાવાદ : PM નરેન્દ્ર મોદીએ આજે રવિવારે ​​(28 મે) ‘મન કી બાત’ દ્વારા દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. PM મોદીએ કહ્યું હતું કે ‘મન કી બાત’નો આ એપિસોડ બીજી સદીની શરૂઆત છે. ગયા મહિને આપણે બધાએ તેની વિશેષ સદીની ઉજવણી કરી. તમારી ભાગીદારી આ કાર્યક્રમની સૌથી મોટી તાકાત છે.

ગત રવિવારે PM નરેન્દ્ર મોદીના 101માં મન કી બાતનો કાર્યક્રમ નવા વાડજમાં કિરણ પાર્ક પાસે આવેલ શંભુ પાર્ક સોસાયટીના કોમન પ્લોટમાં ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ મન કી બાત નો કાર્યક્રમ સાંભળ્યો હતો. આ કાર્યક્રમમાં નારણપુરા વિધાનસભાના ધારાસભ્ય જીતુભાઈ પટેલ (ભગત) તથા નવા વાડજ વોર્ડના મહામંત્રી મુકેશભાઈ પટેલ તથા સિનિયર કાઉન્સિલર ભાવનાબેન વાઘેલા તથા કાઉન્સિલર લલીતાબેન મકવાણા સહીત મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. એવું કહેવાય છે મૉટે ભાગે મન કી બાતનો કાર્યક્રમ જોવા માટે ઘરમાં આયોજન કરાય છે પરંતુ અહીં સોસાયટીના કોમન પ્લોટમાં આયોજન કરાયું હોવાથી મોટી સંખ્યામાં લોકોએ ખૂબ જ ઉત્સાહથી આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

અગાઉ એપ્રિલમાં ‘મન કી બાત’નો 100મો એપિસોડ PM મોદીએ દરેક લોકો સુધી પહોંચાડીને એક નવો રેકોર્ડ સર્જ્યો હતો. PM મોદીનો એ એપિસોડ સંયુક્ત રાષ્ટ્રના હેડક્વાર્ટરમાં પણ બતાવાયો હતો. આ સાથે જ ‘મન કી બાત’ ના 100માં એપિસોડમાં PM મોદીએ કાશ્મીરનાં એક પેન્સિલ લાકડી નિર્મતા મંઝૂર અહેમદ સાથે વાત કરી હતી. પહેલા પણ PM મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમમાં તેમનું અને તેમના કામનાં વખાણ કર્યા હતાં.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...