Sunday, September 14, 2025

સાવધાન અમદાવાદીઓ ફેરીયાઓથી ચેતીને રહેજો ! જુઓ કેવી રીતે ચોરીને આપે છે અંજામ ?

Share

Share

અમદાવાદ: અમદાવાદમાં ઘરફોડના બનાવો વધી રહ્યાં છે ત્યારે તાજેતરમાં અમદાવાદના નારણપુરા વિસ્તારમાં ચોરીનો એક બનાવ સામે આવ્યો હતો જેમાં ડોક્ટર દંપત્તિને ત્યાં ચોરીનો બનાવ બનતા ઝોન-1 એલસીબીની ટીમ હરકતમાં આવતા ગણતરીના દિવસોમાં ગુનાનો ભેદ ઉકેલી 12.50 લાખની ચોરી કરનાર ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ શહેરના ઝોન-1 DCPની એલસીબી ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી. તે સમયે ટીમને બાતમી મળી કે નારણપુરા જીવનદીપ સોસાયટીમાં રહેતા એક ડોક્ટરના ઘરમાં 12.50 લાખની ચોરી કરનાર શખ્સો નીકળવાના છે. જેથી પોલીસે બંધ મકાનમાંથી સોનાના -દાગીના અને રોકડ સહિત કુલ રૂ.12.50 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરનાર આરોપી ધર્મેશ ઉર્ફે જુગો, વિજય દંતાણી અને જયેશ ઉર્ફે બડીયો દાતણીયાને ઝડપી પાડ્યા હતા. પકડાયેલ આરોપીઓ ફ્રુટની લારી લઈને અલગ અલગ વિસ્તારોમાં ફરીને બંધ મકાનોની માહિતી મેળવીને રાત્રીના સમયે તે મકાનમાંથી ચોરી કરતી ગેંગના સાગરીતો છે. ઝોન-1 એલસીબીની ટીમે ઝડપેલા આરોપીઓ પાસેથી પોલીસે રૂ.12.50 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પુછપરછ હાથ ધરી હતી.

પકડાયેલા ત્રણે આરોપીઓની પોલીસે પ્રાથમિક પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે આરોપી ધર્મેશ ઉર્ફે જુગોના વિરુદ્ધમાં મણીનગર પોલીસ સ્ટેશનમાં, તથા વિજય દંતાણીના વિરુદ્ધમાં ઘાટલોડીયા, આનંદનગર, નવરંગપુરા, પાલડી, સાબરમતી, વાસણા, વાડજ પોલીસ સ્ટેશનમાં અને આરોપી જયેશ ઉર્ફે બડિયાના વિરુદ્ધમાં સેટેલાઈટ, ઘાટલોડીયા અને માધવપુરા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાઈ ચુકી છે.

આરોપીઓ પોતાની આ જ મોડેસ ઓપરેન્ડીથી ફ્રુટની લારી લઈને અલગ અલગ વિસ્તારમાં ફરતા હતા. અને તે દરમ્યાનમાં બે-ત્રણ દિવસથી બંધ હોય તેવા મકાનની રેકી કરતા હતા. બાદમાં રાત્રીના સમયે બંધ મકાનને ટાર્ગેટ કરીને ચોરીને અંજામ આપતા હતા. ત્યારે હાલ તો આ મામલે પોલીસે આરોપીઓની વધુ પૂછપરછ કરી અન્ય કોઈ ગુનાઓમાં સંડોવાયેલ છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...