Tuesday, October 14, 2025

સાવધાન અમદાવાદીઓ ફેરીયાઓથી ચેતીને રહેજો ! જુઓ કેવી રીતે ચોરીને આપે છે અંજામ ?

Share

અમદાવાદ: અમદાવાદમાં ઘરફોડના બનાવો વધી રહ્યાં છે ત્યારે તાજેતરમાં અમદાવાદના નારણપુરા વિસ્તારમાં ચોરીનો એક બનાવ સામે આવ્યો હતો જેમાં ડોક્ટર દંપત્તિને ત્યાં ચોરીનો બનાવ બનતા ઝોન-1 એલસીબીની ટીમ હરકતમાં આવતા ગણતરીના દિવસોમાં ગુનાનો ભેદ ઉકેલી 12.50 લાખની ચોરી કરનાર ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ શહેરના ઝોન-1 DCPની એલસીબી ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી. તે સમયે ટીમને બાતમી મળી કે નારણપુરા જીવનદીપ સોસાયટીમાં રહેતા એક ડોક્ટરના ઘરમાં 12.50 લાખની ચોરી કરનાર શખ્સો નીકળવાના છે. જેથી પોલીસે બંધ મકાનમાંથી સોનાના -દાગીના અને રોકડ સહિત કુલ રૂ.12.50 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરનાર આરોપી ધર્મેશ ઉર્ફે જુગો, વિજય દંતાણી અને જયેશ ઉર્ફે બડીયો દાતણીયાને ઝડપી પાડ્યા હતા. પકડાયેલ આરોપીઓ ફ્રુટની લારી લઈને અલગ અલગ વિસ્તારોમાં ફરીને બંધ મકાનોની માહિતી મેળવીને રાત્રીના સમયે તે મકાનમાંથી ચોરી કરતી ગેંગના સાગરીતો છે. ઝોન-1 એલસીબીની ટીમે ઝડપેલા આરોપીઓ પાસેથી પોલીસે રૂ.12.50 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પુછપરછ હાથ ધરી હતી.

પકડાયેલા ત્રણે આરોપીઓની પોલીસે પ્રાથમિક પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે આરોપી ધર્મેશ ઉર્ફે જુગોના વિરુદ્ધમાં મણીનગર પોલીસ સ્ટેશનમાં, તથા વિજય દંતાણીના વિરુદ્ધમાં ઘાટલોડીયા, આનંદનગર, નવરંગપુરા, પાલડી, સાબરમતી, વાસણા, વાડજ પોલીસ સ્ટેશનમાં અને આરોપી જયેશ ઉર્ફે બડિયાના વિરુદ્ધમાં સેટેલાઈટ, ઘાટલોડીયા અને માધવપુરા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાઈ ચુકી છે.

આરોપીઓ પોતાની આ જ મોડેસ ઓપરેન્ડીથી ફ્રુટની લારી લઈને અલગ અલગ વિસ્તારમાં ફરતા હતા. અને તે દરમ્યાનમાં બે-ત્રણ દિવસથી બંધ હોય તેવા મકાનની રેકી કરતા હતા. બાદમાં રાત્રીના સમયે બંધ મકાનને ટાર્ગેટ કરીને ચોરીને અંજામ આપતા હતા. ત્યારે હાલ તો આ મામલે પોલીસે આરોપીઓની વધુ પૂછપરછ કરી અન્ય કોઈ ગુનાઓમાં સંડોવાયેલ છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

દિવાળીના તહેવારોમાં એસ.ટી.ના મુસાફરોને રાહત, CM એ નવી 201 બસોને બતાવી લીલી ઝંડી

ગાંધીનગર : ગુજરાતમાં દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે એસ.ટી.બસનો ઉપયોગ કરતા પ્રવાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે. જેમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...

ગુજરાત પોલીસને ‘હાઈટેક’ સફળતા : આ સિસ્ટમથી 9 મહિનામાં 80 ગંભીર ગુનાના ભેદ ઉકેલ્યા

ગાંધીનગર : રાજ્યમાં વધતા ગુનાઓના ઉકેલ માટે પોલીસ પ્રશાસન આધુનિક ટેક્નોલોજી નો મહત્તમ ઉપયોગ કરી રહી છે, જેમાં આ વર્ષે નવ મહિનામાં 80 જેટલા...

વિદ્યાર્થીઓ આનંદો ! દિવાળી વેકેશન 21 દિવસનું રહેશે, કઈ તારીખથી થશે શરૂ અને ક્યારે થશે પૂરું?

ગાંધીનગર : રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે 21 દિવસના દિવાળી વેકેશનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ...

અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા

ગાંધીનગર : ગાંધીનગરના સેક્ટર-24ના મંડળ સ્ટાફ ક્વાર્ટરમાંથી અમદાવાદના શાહીબાગ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી રિંકલ વણઝારા નામની મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળ્યો છે. પોલીસે...

દિવાળીના તહેવારોને લઇ ખુશખબર, એસ.ટી નિગમ 2600 એકસ્ટ્રા બસો દોડાવશે, 5 લાખથી વધુ મુસાફરોને લાભ મળશે

ગાંધીનગર : આગામી દિવાળીના તહેવારો દરમિયાન ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)એ મુસાફરોની વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં 2600થી વધુ એક્સ્ટ્રા બસોનું...

ફેમસ યુનાઈટેડ વે માં ગરબામાં જાહેરમાં કિસ કરનાર NRI કપલે લેખિતમાં માફી માગી

વડોદરા : તાજેતરમાં વડોદરોના ફેમસ યુનાઈટેડ વે માં નવરાત્રીની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાથી આવેલા કપલે કિસ કરી હતી. જેનો વીડિયો વાયરલ થયો હતો. એક અહેવાલ મુજબ,...

બેજવાબદાર ‘સરકારી બાબુઓ’ વિરુદ્ધ લાલ આંખ : ફોન ઉપાડવા માટે સરકારે પરિપત્ર કરવો પડ્યો

ગાંધીનગર : એકબાજુ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તો કથળી જ ચુકી છે. ત્યારે બીજી બાજુ રાજ્ય સરકારે પોતાની ફરજ પ્રત્યે બેજવાબદાર રહેતા સરકારી...

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...