Wednesday, March 4, 2026

આજથી અમદાવાદનો શાસ્ત્રી બ્રિજ મોટા વાહનો માટે બંધ, આ વૈકલ્પિક માર્ગનો થઇ શકશે ઉપયોગ

spot_img
Share

અમદાવાદ: શહેરના વિશાલા નારોલ નેશનલ હાઇવેના શાસ્ત્રી બ્રિજને લઇને સૌથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. બ્રિજ પરથી હવે મોટા વાહનો પસાર નહીં થઈ શકે. આ બ્રિજ જર્જરિત હોવાને કારણે આજથી બ્રિજ પરથી ભારે વાહનોની અવરજવર પર પ્રશાસને પ્રતિબંધ મૂક્યો છે. માત્ર પેસેન્જર રિક્ષા, ટુ-વ્હીલર્સ અને ફોર-વ્હીલર્સ વાહન બ્રિજ પરથી પસાર થઇ શકશે. આજથી બ્રિજ પરથી લોડિંગ રીક્ષા, ટ્રક, બસ બ્રિજ ઉપરથી પસાર થઇ શકશે નહીં. કોઈપણ સૂચના વગર બ્રિજ આજથી ભારે વાહનો માટે બંધ કરી દેવામાં આવતા અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.

વિશાલા ત્રણ રસ્તાથી પીરાણા ચાર રસ્તા તથા નારોલ સર્કલ તરફ જતા તમામ પ્રકારના ભારે વાહનોએ વિશાલા ત્રણ રસ્તાથી વાસણા એ.પી.એમ.સી. માર્કેટ ચાર રસ્તા, વાસણા ત્રણ રસ્તા, અંજલી ચાર રસ્તાથી જમણી બાજુ વળી ડો.આંબેડકર બ્રિજ ઉપરથી ખોડીયારનગર ચાર રસ્તાથી જમણી બાજુ પીપળજ-પીરાણા રોડ ઉપર સીધા પીરાણા ચાર રસ્તા તથા પીરાણા ચાર રસ્તાથી ડાબી બાજુ વળી નારોલ સર્કલ તરફ જવાનું રહેશે. અથવા તો ખોડીયારનગર ચાર રસ્તાથી સીધા દાણીલીમડા ચાર રસ્તાથી જમણી બાજુ વળી ચંડોળા તળાવ ચાર રસ્તાર્થી સીધા નારોલ સર્કલ તરફ અવરજવર કરી શકાશે.

સરખેજ તરફથી આવી વિશાલા ચાર રસ્તાથી પીરાણા ચાર રસ્તા તથા નારોલ સર્કલ તરફ જતા વાહનોએ સરખેજથી બાકરોલ સર્કલથી ડાબી બાજુ વળી સરદાર પટેલ રીંગ રોડ ઉપર કમોડ સર્કલથી ડાબી બાજુ વળી પીરાણા ચાર રસ્તા તથા કમોડ સર્કલથી સીધા અસલાલી સર્કલથી ડાબી બાજુ વળી નારોલ સર્કલ તરફ અવર-જવર કરી શકાશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...