Monday, November 10, 2025

પરિમલ ગાર્ડન પાસેના અંડરપાસમાં અકસ્માતની ઘટના, એક્ટિવા સ્લીપ થતા પીકઅપ વાને યુવકને કચડ્યો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં વરસી રહેલા વરસાદ વચ્ચે અકસ્માતની એક દુઃખદ ઘટના પ્રકાશમાં આવી છે. શહેરનાં આંબાવાડી વિસ્તારમાં પરિમલ ગાર્ડન પાસે અકસ્માતની ઘટના સામે આવી છે. પરિમલ ગાર્ડન પાસે આવેલા પાસે અંડરપાસમાં વરસાદના કારણે એક્ટિવા લઈને જતો યુવક અચાનક બેલેન્સ ગુમાવતા નીચે પટકાયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ પરિમલ ગાર્ડન પાસે આવેલા પાસે અંડરપાસમાં વરસાદના કારણે એક્ટીવા સ્લીપ થતા પાછળ આવી રહેલી પીકઅપ વાન તેની ઉપર ચડી જતા એકટીવા ચાલકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું છે. અકસ્માતની ઘટનાને પગલે લોકોના ટોળેટોળાં એકઠા થઈ ગયા હતા, અકસ્માતમાં નૈમિલ શાહ નામના યુવકનું સ્થળે જ મોત નિપજ્યાનું જાણવા મળ્યું છે. હાલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી રહી છે.

મહત્વનું છે કે, હવામાન વિભાગની પાંચ દિવસની આગાહી વચ્ચે અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ શરુ થયો છે. એસજી હાઈવે પર સોલા, ગોતા, હાઈકોર્ટ, સાયન્સ સિટી સહિતના વિસ્તારમાં વરસાદ પડતા ઠેર-ઠેર ટ્રાફિકજામ થયો છે. બીજી તરફ વાડજ રાણીપ, સોલા, આશ્રમ રોડ પર પણ ઝરમર વરસાદ વરસી રહ્યો છે. આજે અમદાવાદ સહીત અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...

નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન, કયા મંત્રીઓને કેબિનેટ, રાજ્યકક્ષા અને સ્વતંત્ર હવાલો સોંપાયો? જાણો વિગતે

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય...