Monday, January 19, 2026

અમદાવાદમાં સતત બીજા દિવસે 30 વર્ષ જૂનાં ક્વાર્ટર્સની સીડીનો ભાગ ધરાશાયી, 26થી વધુ લોકોનું કરવામાં આવ્યુ રેસ્ક્યૂ

spot_img
Share

અમદાવાદ : ચોમાસાના પ્રારંભમાં જ અમદાવાદમાં બિલ્ડિંગ ધરાશાયી થવાની ઘટનાઓ શરુ થઇ ગઇ છે. ગઇકાલે મણિનગરમાં સ્લમ કર્વાર્ટ્સમાં બાલ્કની ધરાશાયી થવાની ઘટના બાદ સતત બીજા દિવસે એટલે આજે ગોમતીપુરમાં ક્વાર્ટર્સની સીડીનો કેટલોક ભાગ ધરાશાયી થયો છે. 26 થી વધુ લોકોને રેસ્ક્યૂ કરીને સલામત રીતે બહાર કઢાયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ આજે વહેલી સવારે સાળંગપુર બ્રિજની પાસે ગોમતીપુરમાં આવેલા ક્વાર્ટર્સમાં સીડીનો કેટલોક ભાગ ધરાશાયી થયો હતો. જે અંગે ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો. ફાયર બ્રિગેડને માહિતી મળી હતી કે ક્વાર્ટર્સની સીડીનો ભાગ ધરાશાયી થતા કેટલાક લોકો ઘરોમાં ફસાઇ ગયા છે. ત્યારે ફાયર વિભાગ પોતાની ટીમ સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયુ હતુ. ફાયર વિભાગે રેસ્ક્યૂ લેડર દ્વારા 26 થી વધુ લોકોને રેસ્ક્યૂ કરીને સલામત રીતે બહાર કઢાયા હતા.

ફાયર વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ ઘટનામાં કોઇ જાનહાની કે કોઇ ઇજાગ્રસ્ત થયુ નથી. જો કે ઘટના બન્યા બાદ લોકો પોતાનો સામાન લઇને ઘર ખાલી કરી રહ્યા છે. જાણકારી મળી છે કે આ ક્વાર્ટર્સમાં 30 વર્ષ જૂના મકાનો છે. જે ખૂબ જ જર્જરિત છે. જે દર વર્ષે વરસાદમાં ધોવાતા રહે છે. ખાસ કરીને જે બ્લોકની ઇમારતનો ભાગ ધરાશાયી થયો છે તે C બ્લોકમાં 32 મકાન આવેલા છે. તે તમામની હાલત આવી જ જર્જરિત છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...