Friday, January 16, 2026

નવા વાડજની આ શાળામાં પર્યાવરણ દિનની અનોખી ઉજવણી, ગ્રીન ડ્રેસથી સમગ્ર કેમ્પસ હરિયાળું બન્યું

spot_img
Share

અમદાવાદ : પર્યાવરણના જતન અને વૃક્ષારોપણના મહત્વને આગામી પેઢી સુધી લઇ જવા માટે સમગ્ર વિશ્વમાં પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે શહેરના નવા વાડજ ખાતે આવેલ ગણેશ પ્રાથમિક શાળા તથા લાયોનેશ કર્ણાવતી ઇંગ્લિશ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે શાળામાં પર્યાવરણ દિનની ભવ્ય અને અનોખી ઉજવણી કરવામાં આવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ગત તા-30-6-2023 ને શુક્રવારના રોજ ગણેશ કેમ્પસ ખાતે આવેલ ગણેશ પ્રાથમિક શાળા તથા લાયોનેશ કર્ણાવતી ઇંગ્લિશ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે શાળામાં પર્યાવરણ દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓ સંપૂર્ણ ગ્રીન કલરના આકર્ષક ડ્રેસમાં ગ્રીન કલરની વિવિધ પ્રકારની ચીજ વસ્તુઓ લઈને આવ્યા હતા. આ ઉપરાંત વિધાર્થીઓએ હાથમાં પ્લે કાર્ડ દ્વારા ડોન્ટ યુસ પ્લાસ્ટીકની અપીલ પણ કરી હતી. આમ પર્યાવરણ દિવસ ઉજવણીને લઈને શાળાનું સમગ્ર કેમ્પસનું વાતાવરણ અત્યંત હરિયાળું અને પ્રાકૃતિક જોવા મળ્યું હતું.

આ ઉજવણી દરમ્યાન શાળાના વિધાર્થીઓને પર્યાવરણનું રક્ષણ તથા પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા બાબતે સમજૂતી આપવા માટે કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમ બંને શાળાના આચાર્યના નિરીક્ષણ હેઠળ કરવામાં આવેલ. કાર્યક્રમના સફળતાપૂર્વક આયોજન માટે કેમ્પસ ડાયરેક્ટર શ્રીમતી જસ્મીનાબેન પટેલ તથા ટ્રસ્ટી સૌરભભાઈ પટેલે સર્વ શિક્ષક ગણને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...