Saturday, January 24, 2026

તથ્યકાંડ બાદ ટ્રાફિક પોલીસની ડ્રાઇવ, અમદાવાદમાં 2 દિવસમાં ઓવરસ્પીડના ધડાધડ કેસ નોંધાયા

spot_img
Share

અમદાવાદ : શહેરમાં ઈસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતમાં 9 લોકોને તથ્ય નામનો કાળ ભરખી ગયા બાદ હવે પોલીસ એક્શનમાં આવી છે. ઘોડા છુટ્યા બાદ તબેલે તાળા મારવા નીકળેલી પોલીસ હવે ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા લોકો સામે કાયદાકીય શસ્ત્ર ઉગામી એક મહિના સુધી સ્પેશિયલ ડ્રાઈવ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જેમાં બે દિવસમાં ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રિંક એન્ડ ડ્રાઇવ, ઓવર સ્પીડ અને ભયજનક વાહન હંકારતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.

અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર તથ્ય પટેલે કારને 142 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચલાવીને નવ લોકોની જીવ લીધાની ઘટના બાદ અમદાવાદ ટ્રાફિક પોલીસના અધિકારીઓની મોડેમોડેથી આંખ ખુલી છે. અમદાવાદના એસજી હાઇવે અને શહેરના અન્ય પોઇન્ટ પર ઓવર સ્પીડથી જતા વાહન ચાલકો વિરૂદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ઓવર સ્પીડમાં વાહન હંકારતા 57 લોકો સામે પોલીસે કાર્યવાહી કરી છે. ડ્રિંક એન્ડ ડ્રાઇવ કરતા 16 લોકો સામે ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે જ્યારે ભયજનક ડ્રાઇવિંગ કરતા 119 લોકો સામે પણ કાર્યવાહી કરાઇ છે. એટલે કે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા બે દિવસમાં 192 કેસ કરવામાં આવ્યા છે.

રાજ્ય પોલીસ વડાના આદેશ મુજબ એક મહિના સુધી ગુજરાતના તમામ જિલ્લાઓમાં ટ્રાફિકના નિયમોને લઈને પોલીસ સ્પેશ્યલ ડ્રાઈવ યોજવામાં આવી રહી છે. આ ડ્રાઈવમાં ઓવર સ્પીડ, સ્ટંટબાજોને પકડવા, લાયસન્સ, હેલમેટ, સિગ્નલ તોડવા અને રોંગ સાઈડ વાહન ચલાવવા સહિતના ટ્રાફિકના નિયમોને લઈને કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...