Friday, January 16, 2026

નારણપુરામાં ધારાસભ્ય જીતુભાઇ પટેલની આગેવાનીમાં તિરંગા યાત્રા યોજાઈ, પૂર્વ સૈનિકોનું કરાયું અભિવાદન

spot_img
Share

અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આહવાન કર્યું છે કે ‘મેરી મિટ્ટી મેરા દેશ’ અંતર્ગત તિરંગા યાત્રા યોજાય. જેને લઈ અમદાવાદમાં નારણપુરા વિધાનસભાના ધારાસભ્ય જીતુભાઇ પટેલ (ભગત) દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું.જેમાં સ્થાનિક કાઉન્સિલરો સહિત મોટી સંખ્યામાં લોકો બાઈક સાથે જોડાયા હતા.આ અગાઉ સવારે ઘાટલોડિયામાં પણ તિરંગા યાત્રા યોજાઈ હતી.

પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદના નારણપુરા વિધાનસભાના ધારાસભ્ય જીતુભાઇ પટેલ દ્વારા દેશના સ્વતંત્ર પર્વને લઈ તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. ‘મેરી મિટ્ટી મેરા દેશ’ અભિયાન અંતર્ગત સ્વામિ વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ નારણપુરા વોર્ડ દ્વારા પૂર્વ સૈનિક કાંતિભાઈ પટેલ, રમેશભાઈ ચૌહાણ, શક્તિસિંહ યાદવ, અરવિંદકુમાર મિશ્રાનું શાલ ઓઢાડીને અભિવાદન કર્યું હતું, ત્યારબાદ તિરંગા યાત્રા શરૂ કરવામાં આવી હતી,જે નારણપુરામાં વિવિધ વિસ્તારમાં ફરી સમાપન કરાયું હતું.આ અગાઉ સવારે ઘાટલોડિયામાં પણ તિરંગા યાત્રા યોજાઈ હતી.

તિરંગા યાત્રામાં દેશ ભક્તિની ભાવના સાથે મોટી સંખ્યામાં લોકો બાઈક લઈ જોડાયા હતા.આખું વાતાવરણ દેશ ભક્તિની ભાવના સાથે તિરંગામય બન્યું હતું.ખાસ આ તિરંગા યાત્રામાં સ્થાનિક કાઉન્સિલરો અને વોર્ડના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા અને બાઈક ચલાવી તિરંગા યાત્રામાં જોડાયા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...