Tuesday, September 16, 2025

અમદાવાદમાં તોડ કરતા બે TRB જવાનને કરાયા સસ્પેન્ડ, જાણો સમગ્ર મામલો ?

Share

Share

અમદાવાદ : અમદાવાદમાં TRB જવાન વાહનચાલકો પાસેથી પૈસાનો તોડ કરતો હોય તેવો વીડિયો વાયરલ થયો છે. અમદાવાદમાં 2 હજાર રૂપિયાનો મેમો આપવાના બદલે 200 રૂપિયાનો તોડ કરતો TRB જવાન કેમેરામાં કેદ થયો છે.જો કે, તોડ કરતા TRB જવાન સામે કાર્યવાહી કરાઈ છે. મીડિયામાં અહેવાલ બાદ બે TRB જવાનને સસ્પેન્ડ કરાયા છે.

અમદાવાદમાં એક TRB જવાનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અમદાવાદમાં ભદ્ર કોર્ટથી વિક્ટોરિયા ગાર્ડન નજીક વાહન ચાલક પાસેથી પૈસા ઉઘરાવતો TRB જવાનનો વીડિયો વાયરલ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે. વીડિયોમાં TRB જવાન 2000થી 2500નો દંડ આપવાનું કહીને તોડ કરતો નજરે પડે છે. બે TRB જવાન 200 રૂપિયાનો તોડ કરતા વીડિયોમાં દેખાયો છે. જોકે વાહનચાલકે આ સમગ્ર ઘટના રેકોર્ડ કરી લેતા આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જો કે, ત્યારબાદ તોડબાજ બે TRB જવાનને સસ્પેન્ડ કરાયા છે.

વાયરલ થયેલા વીડિયોની શરૂઆતમાં વાહનચાલક કહી રહ્યો છે કે, પેલું જોઇ લ્યો ને એક પણ મેમો પેન્ડિંગ છે ખરી ? આ તરફ TRB જવાન જવાબ આપે છે કે, ના નથી. આ પછી વાહનચાલક કહે છે કે, અત્યારે 200નો મેમો આપશો તમે ? એટલે TRB જવાન કહે છે 200નો મેમો ના આવે. એટલે વાહન ચાલક કહે છે કે, તો એમને એમ 200 રૂપિયા આપું ? એટલે TRB જવાન કહે છે કે, તમારે ઇન્સ્યુરન્સ નથી તેનો 2000નો મેમો હોય. આ દરમિયાન વાહનચાલક કહે છે કે, તમે 200 કીધું એટલે મને એમ કે, મેમો આપતા હતા. જે બાદમાં TRB જવાન વાહન ચાલક પાસેથી 200 રૂપિયા લેતા વીડિયોમાં જોઇ શકાય છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...