Tuesday, January 20, 2026

અમદાવાદના આ વિસ્તારમાં AMCની કચરા ભરવાના ડમ્પરે બાઇકચાલકને મારી ટક્કર, એકનું મોત

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આવી જ એક અકસ્માતની ઘટના અમદાવાદના નિકોલ રિંગરોડ પર બની છે. નિકોલ રિંગરોડ પર કચરો ઉપાડવાના વાહનની અડફેટે બાઈકચાલકનું મોત થયુ હોવાનું સામે આવી રહ્યુ છે. કોર્પોરેશનના બેફામ વાહનચાલકે બાઈકચાલકને ટક્કર મારી હતી. ઘટનાસ્થળે જ બાઈકચાલકનું મોત થયુ છે. અકસ્માત સર્જ્યા બાદ ડમ્પરચાલક ફરાર થયો છે. મૃતક ભાવેશ પટેલ નોકરીથી પરત આવતા સમયે અકસ્માતની ઘટના બની હતી.

પ્રાપ્ત અહેવાલો મુજબ અમદાવાદના નિકોલ રિંગરોડ ગઈકાલે મોડીરાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ભાવેશ પટેલ નામનો યુવક બાઈક લઈને રીંગ રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે કચરાના વાહને તેની બાઈકને અડફેટે લીધી હતી. જેના કારણે તે નીચે પટકાયો હતો અને ગંભીર ઈજા થઈ હતી. અકસ્માત બાદ યુવકને સારવાર મળે તે પહેલા જ ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યું હતું. આ અકસ્માત બાદ કોર્પોરેશનનો વાહનચાલક ઘટનાસ્થળે ફરાર થઈ ગયો હતો.

મહત્ત્વપૂર્ણ છે કે અમદાવાદમાં અવાર નવાર AMCના ડમ્પર ચાલકો બેફામ ગાડી ચલાવે છે જેને કારણે અકસ્માત સર્જાય છે. સ્થાનિકોએ અકસ્માત સર્જનારા AMCના ડમ્પરચાલક સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...