Thursday, March 12, 2026

અમદાવાદના પોલીસ પુત્ર નીલ ચાંદેકરની નેશનલ ફૂટબોલ ચેમ્પિયનશીપ-2023 માં પસંદગી

spot_img
Share

(માનવ જોષી દ્વારા), અમદાવાદ : રમત ગમતની વાત નીકળે તો ‘ભારત એટલે ક્રિકેટનું કાશી’ એમ જ દરેક ભારતીયની દ્રઢ માન્યતા છે..ક્રિકેટને રાષ્ટ્રીય રમત સમજતા આપણા દેશમાં ફૂટબોલની રમતને પોતાનું બાળપણ સમર્પિત કરનાર નીલ લીલાધર ચાંદેકરની લગન અને મહેનત આપણું ધ્યાન ખેંચી લે તેવા છે.

અનંત સ્કૂલ ઓફ એક્સિલન્સમાં (સાણંદ) અભ્યાસ તથા સંસ્કારધામ સ્પોર્ટ્સ એકેડમી અને ડીસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સંકુલમાં તાલીમ લઈને છેલ્લા 7 વર્ષથી નીલ ફૂટબોલને પોતાની સાધના માની દિવસ રાત એક કરી રહ્યો છે. તેના માટે જરૂરી ફિટનેસ કેળવવા કરવું પડતું વર્ક આઉટ એ નીલનો રોજિંદો નિત્યક્રમ છે. વિવિધ સ્ટેટ લેવલની ટુર્નામેન્ટ જેમ કે જુનિયર બોયઝ અંડર-14, જુનિયર બોયઝ અંડર-17 માં પોતાની પ્રતિભાનો અનેરો પરિચય નીલે બતાવ્યો..ત્યારબાદ 18/7/23 થી 3/8/23 સુધી એકલવ્ય સ્પોર્ટ્સ એકેડમી, રાજકોટ ખાતે રમાયેલ ફૂટબોલ ટુર્નામેન્ટમાં ગુજરાતમાંથી 21 જિલ્લાની ટીમોએ ભાગ લીધેલ અને તેમાં 45 ફૂટબોલ ખેલાડીઓની પસંદગી કરીને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ભાવનગર ખાતે 7/8/23 થી 30/8/23 સુધી પ્રી નેશનલ કેમ્પ રાખવામાં આવેલ અને એ 45 ખેલાડીઓમાંથી ફાઇનલ 22 ખેલાડીઓને પસંદ કરવામાં આવ્યા, તેમાં નીલ લીલાધર ચાંદેકરને વેસ્ટ બંગાલમાં નેશનલ લેવલ પર રમવા પસંદ કરવામાં આવેલ છે.

લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (ACB), શાહીબાગ ડફનાળા ખાતે ASI તરીકે ફરજ બજાવતા બાલાજી ચાંદેકરનો પુત્ર નીલે સ્કૂલ લેવલથી નેશનલ લેવલ સુધી પહોંચીને તેના માતા-પિતા, સ્કૂલ, કોચ, સ્પોર્ટ્સ સંકુલ અને ગુજરાત પોલીસનું નામ રાષ્ટ્રીય લેવલે રોશન કર્યું છે. 7 વર્ષના સતત પરિશ્રમ પછી આજે નીલ ભારતની રાષ્ટ્રીય ટીમમાં સામેલ થઈ દુનિયામાં ફૂટબોલની રમતને વિશેષ પ્રતિષ્ઠા અપાવી આપણા દેશમાં આ રમત પ્રત્યે આકર્ષણના બીજ વાવ્યા છે એમ કહીએ તો નવાઈ નહી…

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...