Sunday, January 18, 2026

અમદાવાદના પોલીસ પુત્ર નીલ ચાંદેકરની નેશનલ ફૂટબોલ ચેમ્પિયનશીપ-2023 માં પસંદગી

spot_img
Share

(માનવ જોષી દ્વારા), અમદાવાદ : રમત ગમતની વાત નીકળે તો ‘ભારત એટલે ક્રિકેટનું કાશી’ એમ જ દરેક ભારતીયની દ્રઢ માન્યતા છે..ક્રિકેટને રાષ્ટ્રીય રમત સમજતા આપણા દેશમાં ફૂટબોલની રમતને પોતાનું બાળપણ સમર્પિત કરનાર નીલ લીલાધર ચાંદેકરની લગન અને મહેનત આપણું ધ્યાન ખેંચી લે તેવા છે.

અનંત સ્કૂલ ઓફ એક્સિલન્સમાં (સાણંદ) અભ્યાસ તથા સંસ્કારધામ સ્પોર્ટ્સ એકેડમી અને ડીસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સંકુલમાં તાલીમ લઈને છેલ્લા 7 વર્ષથી નીલ ફૂટબોલને પોતાની સાધના માની દિવસ રાત એક કરી રહ્યો છે. તેના માટે જરૂરી ફિટનેસ કેળવવા કરવું પડતું વર્ક આઉટ એ નીલનો રોજિંદો નિત્યક્રમ છે. વિવિધ સ્ટેટ લેવલની ટુર્નામેન્ટ જેમ કે જુનિયર બોયઝ અંડર-14, જુનિયર બોયઝ અંડર-17 માં પોતાની પ્રતિભાનો અનેરો પરિચય નીલે બતાવ્યો..ત્યારબાદ 18/7/23 થી 3/8/23 સુધી એકલવ્ય સ્પોર્ટ્સ એકેડમી, રાજકોટ ખાતે રમાયેલ ફૂટબોલ ટુર્નામેન્ટમાં ગુજરાતમાંથી 21 જિલ્લાની ટીમોએ ભાગ લીધેલ અને તેમાં 45 ફૂટબોલ ખેલાડીઓની પસંદગી કરીને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ભાવનગર ખાતે 7/8/23 થી 30/8/23 સુધી પ્રી નેશનલ કેમ્પ રાખવામાં આવેલ અને એ 45 ખેલાડીઓમાંથી ફાઇનલ 22 ખેલાડીઓને પસંદ કરવામાં આવ્યા, તેમાં નીલ લીલાધર ચાંદેકરને વેસ્ટ બંગાલમાં નેશનલ લેવલ પર રમવા પસંદ કરવામાં આવેલ છે.

લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (ACB), શાહીબાગ ડફનાળા ખાતે ASI તરીકે ફરજ બજાવતા બાલાજી ચાંદેકરનો પુત્ર નીલે સ્કૂલ લેવલથી નેશનલ લેવલ સુધી પહોંચીને તેના માતા-પિતા, સ્કૂલ, કોચ, સ્પોર્ટ્સ સંકુલ અને ગુજરાત પોલીસનું નામ રાષ્ટ્રીય લેવલે રોશન કર્યું છે. 7 વર્ષના સતત પરિશ્રમ પછી આજે નીલ ભારતની રાષ્ટ્રીય ટીમમાં સામેલ થઈ દુનિયામાં ફૂટબોલની રમતને વિશેષ પ્રતિષ્ઠા અપાવી આપણા દેશમાં આ રમત પ્રત્યે આકર્ષણના બીજ વાવ્યા છે એમ કહીએ તો નવાઈ નહી…

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...