Tuesday, January 20, 2026

અમદાવાદમાં ગણપતિ બાપાએ લોકોને કાયદાનું ભાન કરાવ્યું અને હેલ્મેટ પણ પહેરાવ્યા, જુઓ Photos

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેર ટ્રાફિક વિભાગની ટીમે ટ્રાફિકના નિયમો અંગે જાગૃકતા ફેલાવવા માટે ગણપતિ બાપ્પા તરફથી વાહન ચાલકોને હેલ્મેટ આપવા માટે આવ્યા હતા.ટ્રાફિક વિભાગ દ્વારા નવતર અભિગમ હાથ ધર્યો હતો, પોલીસે ગણપતિનો વેસ ધારણ કરી ટ્રાફિકના નિયમો તેમજ હેલ્મેટ પહેરવા લોકોને સંદેશ આપ્યો હતો. ગણપતિ બાપાએ પહેરાવ્યા વાહન ચાલકોને હેલ્મેટ, મને તો બીજું મસ્તક મળ્યું પણ તમને નહીં મળેના સંદેશા સાથે ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની સલાહ આપી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદના હેબતપુર ચાર રસ્તા નજીક શહેર ટ્રાફિક વિભાગના અધિકારીઓ ભગવાન ગણેશના વેશ ધારણ કરીને શહેરના લોકો જે ટ્રાફિકના નિયમોનું પાલન નથી કરતા તેવા લોકોને રસ્તા પર ઉભા રાખીને હેલ્મેટ પહેરાવી અને બેનરો સાથેના લખાણો જે લખ્યા હતા તે બતાવી અને હવે ટ્રાફિકના નિયમો નહિ તોડે તેવી બાંહેધરી લઈને હેલ્મેટ આપીને જવા દેવામાં આવ્યા હતા. બીજી તરફ ભગવાન ગણેશનો વેશ ધારણ કરનાર ટ્રાફિક વિભાગના PSI પણ નિયમો પાલન કરવા સૂચન કરી રહ્યા હતા.તેમણે તેમ પણ જણાવ્યું હતું કે વાહન હંમેશા ધીમે ચલાવો અને સાથે તમામ નિયમોનું પાલન કરવું જોઈએ.

ટ્રાફિક પશ્ચિમના DCP નીતા દેસાઈએ જણાવ્યું હતું કે આ એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે કે ભગવાન ગણેશ શહેરના લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને અકસ્માત ઘટે તે હેતુથી આ પ્રકારે આયોજન કર્યું હતું. આગામી સમયમાં શહેરમાં આવેલા ગણેશ પંડાલમાં પણ બેનરો લગાવામાં આવશે. જેમાં ભગવાન ગણેશ હેલ્મેટ પહેરીને એક્ટિવા પર જતા હોય તેવા બેનરો લગાવવામાં આવશે અને તેમાં ટ્રાફિકના નિયમો અંગે જાગૃતતા ફેલાવવામાં આવશે.

વર્ષ 2021માં 4 લાખ કરતા વધારે રોડ અકસ્માત થયા છે અને વર્ષ 2022માં 6 લાખ કરતા વધારે રોડ અકસ્માત થયા હતા અને જેમાં સૌથી વધારે બાઈક ચાલકોના મોત થયા હતા જેમાં સૌથી વધુ હેલ્મેટના પહેરવાના કારણે અકસ્માતમાં મોત થયા હતા. અમદાવાદ શહેરમાં ટ્રાફિક વિભાગની ટીમે ટ્રાફિકના નિયમનું પાલન નથી કરતા તેવા વાહન ચાલકોને હેલ્મેટ આપીને નિયમો સમજાવ્યા હતા. ગણપતિ બાપ્પાએ શહેરીજનોને ટ્રાફિક નિયમનના પાઠ શીખવ્યા અને હેલ્મેટ વિના વાહન ચલાવનારને ગણપતિ બાપ્પાએ વિનામૂલ્યે હેલ્મેટ આપ્યા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...