Thursday, March 12, 2026

અમદાવાદમાં ગણપતિ બાપાએ લોકોને કાયદાનું ભાન કરાવ્યું અને હેલ્મેટ પણ પહેરાવ્યા, જુઓ Photos

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેર ટ્રાફિક વિભાગની ટીમે ટ્રાફિકના નિયમો અંગે જાગૃકતા ફેલાવવા માટે ગણપતિ બાપ્પા તરફથી વાહન ચાલકોને હેલ્મેટ આપવા માટે આવ્યા હતા.ટ્રાફિક વિભાગ દ્વારા નવતર અભિગમ હાથ ધર્યો હતો, પોલીસે ગણપતિનો વેસ ધારણ કરી ટ્રાફિકના નિયમો તેમજ હેલ્મેટ પહેરવા લોકોને સંદેશ આપ્યો હતો. ગણપતિ બાપાએ પહેરાવ્યા વાહન ચાલકોને હેલ્મેટ, મને તો બીજું મસ્તક મળ્યું પણ તમને નહીં મળેના સંદેશા સાથે ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની સલાહ આપી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદના હેબતપુર ચાર રસ્તા નજીક શહેર ટ્રાફિક વિભાગના અધિકારીઓ ભગવાન ગણેશના વેશ ધારણ કરીને શહેરના લોકો જે ટ્રાફિકના નિયમોનું પાલન નથી કરતા તેવા લોકોને રસ્તા પર ઉભા રાખીને હેલ્મેટ પહેરાવી અને બેનરો સાથેના લખાણો જે લખ્યા હતા તે બતાવી અને હવે ટ્રાફિકના નિયમો નહિ તોડે તેવી બાંહેધરી લઈને હેલ્મેટ આપીને જવા દેવામાં આવ્યા હતા. બીજી તરફ ભગવાન ગણેશનો વેશ ધારણ કરનાર ટ્રાફિક વિભાગના PSI પણ નિયમો પાલન કરવા સૂચન કરી રહ્યા હતા.તેમણે તેમ પણ જણાવ્યું હતું કે વાહન હંમેશા ધીમે ચલાવો અને સાથે તમામ નિયમોનું પાલન કરવું જોઈએ.

ટ્રાફિક પશ્ચિમના DCP નીતા દેસાઈએ જણાવ્યું હતું કે આ એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે કે ભગવાન ગણેશ શહેરના લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને અકસ્માત ઘટે તે હેતુથી આ પ્રકારે આયોજન કર્યું હતું. આગામી સમયમાં શહેરમાં આવેલા ગણેશ પંડાલમાં પણ બેનરો લગાવામાં આવશે. જેમાં ભગવાન ગણેશ હેલ્મેટ પહેરીને એક્ટિવા પર જતા હોય તેવા બેનરો લગાવવામાં આવશે અને તેમાં ટ્રાફિકના નિયમો અંગે જાગૃતતા ફેલાવવામાં આવશે.

વર્ષ 2021માં 4 લાખ કરતા વધારે રોડ અકસ્માત થયા છે અને વર્ષ 2022માં 6 લાખ કરતા વધારે રોડ અકસ્માત થયા હતા અને જેમાં સૌથી વધારે બાઈક ચાલકોના મોત થયા હતા જેમાં સૌથી વધુ હેલ્મેટના પહેરવાના કારણે અકસ્માતમાં મોત થયા હતા. અમદાવાદ શહેરમાં ટ્રાફિક વિભાગની ટીમે ટ્રાફિકના નિયમનું પાલન નથી કરતા તેવા વાહન ચાલકોને હેલ્મેટ આપીને નિયમો સમજાવ્યા હતા. ગણપતિ બાપ્પાએ શહેરીજનોને ટ્રાફિક નિયમનના પાઠ શીખવ્યા અને હેલ્મેટ વિના વાહન ચલાવનારને ગણપતિ બાપ્પાએ વિનામૂલ્યે હેલ્મેટ આપ્યા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...