Tuesday, January 13, 2026

અમદાવાદના પશ્ચિમ ઝોનમાં પ્રતિબંધિત ચા માટે પેપરકપને લઈને 27 ટી સ્ટોલ સીલ કરાયા

spot_img
Share

અમદાવાદ : શહેરમાં પ્લાસ્ટિકની પાતળી થેલી અને પેપરકપ સહિત કેટલીક ચીજવસ્તુ ઉપર પ્રતિબંધ કાગળ ઉપર જ હોય તેમ અનેક વિસ્તારોમાં શાકભાજીની લારીઓ અને ચાની કિટલીઓ વગેરે જગ્યાએ પ્રતિબંધિત ચીજવસ્તુઓનો વપરાશ બેરોકટોક થઇ રહ્યો છે. જોકે પશ્ચિમ ઝોનનાં ડે.કમિશનરે પર્યાવરણ અને સ્વચ્છતાને અસર કરતાં આ મુદ્દાને ગંભીરતાથી લઇ આસી.કમિશનરોની ટીમને પોતપોતાનાં વોર્ડમાં કડક કાર્યવાહી માટે ફિલ્ડમાં ઉતારતાં જ 27 ટી સ્ટોલને સીલ વાગી ગયાં હતા.

પ્રાપ્ત વિગતો મુજબ પશ્ચિમ ઝોનનાં સોલિડ વેસ્ટ વિભાગ અને અન્ય વિભાગોના કર્મચારીઓની 21 ટીમો દ્વારા પશ્ચિમ ઝોનના અલગ અલગ વિસ્તારોમાં 340 એકમોમાં ચેકિંગ કરતાં 27 ટી સ્ટોલમાં પેપરકપ મળતાં તેને સીલ મારી દેવાયા હતા અને સ્વચ્છતા સહિતનાં નિયમોનાં ભંગ બદલ 75 એકમને નોટિસ ફટકારાઈ હતી. મ્યુનિ. ટીમોની કાર્યવાહી દરમિયાન નવરંગપુરા શાંતાસાગર ટાવરમાં આવેલાં એક એકમમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક મળી આવતાં તેને પણ સીલ મારી દેવાયા હતા.

શહેરનાં મોટા અને જાણીતા માર્ગો ઉપર ચાની કિટલીવાળા પેપરકપનો ઉપયોગ કરતાં નથી, પરંતુ આંતરિક રસ્તાઓ અને સ્લમ વિસ્તારોમાં હજુ પણ ટી સ્ટોલવાળા પેપરકપનો ઉપયોગ કરતાં હોવાની માહિતી પશ્ચિમ ઝોનનાં ડે.કમિશનર આઇ.કે.પટેલને મળી હતી.આથી તેમણે ઝોનના આસી.કમિશનરોની ટીમને પ્લાસ્ટિક અને પેપરકપ વિરુદ્ધ ખાસ ઝુંબેશ હાથ ધરવા સૂચના આપી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...