Sunday, January 18, 2026

સાયન્સ સિટીમાં ઉમેરાયુ નવુ નજરાણુ, મલ્ટિમિડીયા લેસર એન્ડ ફાઉન્ટેન શોનું કરાયું લોકાર્પણ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ સાયન્સ સિટીમાં નવુ આકર્ષણ ઉમેરવામાં આવ્યુ છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાયન્સ સીટી, અમદાવાદ ખાતે નવીનીકરણ પામેલા આકર્ષક મલ્ટિમિડીયા લેસર એન્ડ ફાઉન્ટેનનું લોકાર્પણ કર્યું છે. વર્ષ 2005 માં સાયન્સ સિટી ખાતે 10 હજાર ચોરસ મીટર વિસ્તારમાં અદ્યતન સુવિધાઓ અને ટેકનોલોજી સાથે શરૂ કરવામાં આવેલા આ મ્યુઝિકલ ફાઉન્ટેનના નવીનીકરણ બાદ દેશની સૌથી અદ્યતન સાઉન્ડ અને લાઇટ સિસ્ટમ સાથેનો નયનરમ્ય અને આકર્ષક મ્યુઝિકલ ફાઉન્ટેન મુખ્યમંત્રીશ્રીએ શુક્રવારે સાંજે જાહેર જનતા માટે ખુલ્લો મુક્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ દેશની સૌથી અદ્યતન સાઉન્ડ અને લાઇટ સિસ્ટમ સાથેનો નયનરમ્ય અને આકર્ષક મ્યુઝિકલ ફાઉન્ટેનમાં મલ્ટી મીડિયા લેસર ફાઉન્ટેન શોનો સમયગાળો 25 મિનિટનો છે. જે અંતરિક્ષની થીમ પર તૈયાર કરવામાં આવ્યો છે. જેને 1000થી વધુ દર્શકો નિહાળી શકશે.મલ્ટી મીડિયા લેસર શોમાં 50 મીટરનો સેન્ટ્રલ વોટર જેટ ફ્લો, 800 રંગબેરંગી લાઈટો, 15 થી વધુ વોટર પેટર્ન આકર્ષણનું કેન્દ્ર બનશે.સાયન્સ સિટીએ 2003માં એક મ્યુઝિકલ ફાઉન્ટેન શો શરૂ કર્યો જે 20 મિનિટ લાંબો હતો. તે સમયે તે ભારતમાં તેના પ્રકારનો સૌથી મોટો શો હતો.

સાયન્સ સીટી ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર જે.બી બદરના જણાવ્યા મુજબ દરરોજ એક લેસર ફાઉન્ટેન શોનું આયોજન થશે, જેના માટે ટિકિટના દર 90 રૂપિયા રહેશે.25 મિનિટના આ શોમા 50 મીટર સુધી પાણી જોવા મળશે. અંતરિક્ષની થીમ પર બેઝ્ડ આ શોમાં ગ્રહ, અવકાશ, અવકાશયાત્રી દર્શાવવામાં આવશે. આગામી દિવાળીના વેકેશનમાં સહેલાણીઓ માટે આ મોટુ આકર્ષણ બનશે.સાયન્સ સિટીમાં પહેલાથી જ રોબોટિક્સ ગેલેરી અને એક્વેટિક ગેલેરી જેવા આકર્ષણો છે.

થોડા દિવસ પહેલા જ PM મોદી સાયન્સ સિટી પહોંચ્યા હતા. ત્યાં તેણે રોબોટના હાથે ચા પીધી હતી. સાયન્સ સિટી સાથે સંકળાયેલા વરિષ્ઠ વૈજ્ઞાનિક નરોત્તમ સાહુનો મલ્ટીમીડિયા લેસર ફાઉન્ટેન શો ભારતમાં તેના પ્રકારનો સૌથી મોટો શો છે. આ સાયન્સ સિટી સરકાર હેઠળની એક સ્વાયત્ત સંસ્થા છે. સાયન્સ સિટી એ બાળકો માટે વિવિધ પ્રકારની માહિતી મેળવવાનું મોટું કેન્દ્ર છે. સામાન્ય લોકો માટે ટિકિટના દર અલગથી નક્કી કરવામાં આવ્યા છે, જ્યારે શાળાના વિદ્યાર્થીઓને અલગ દરે પ્રવેશ મળે છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...