Tuesday, January 13, 2026

અમદાવાદમાં સિક્યોરિટી ગાર્ડે મહિલા સાથે ગેંગરેપ બાદ લૂંટને આપ્યો અંજામ, પોલીસે પાંચ આરોપીની કરી ધરપકડ

spot_img
Share

અમદાવાદ : રાજ્યમાં દિવસેને દિવસે ક્રાઈમની ઘટનાઓ વધતી હોય તેવા અવાર નવાર કિસ્સાઓ સામે આવી રહી છે. પોલીસના સતત પેટ્રોલિંગ વચ્ચે પણ બેફામ ક્રાઈમના બનાવો બની રહ્યાં છે. અમદાવાદના શીલજમાં લૂંટ વિથ ગેંગ રેપનો બનાવ સામે આવ્યો છે. શીલજમાં ફ્લેટ ઘુસીને પાંચ સિક્યોરિટી ગાર્ડ દ્વારા ઘરઘાટી યુવતી પર સામુહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો બનાવ બન્યો છે. આ બાદ તમામે ઘરમાં લૂંટ ચલાવી અને ફરાર થઈ ગયા હતા. જોકે બનાસકાંઠાના પાલનપુરમાં તમામ દુષ્કર્મીઓને પોલીસે પકડી લીધા હતા.

વિગતો મુજબ, શીલજમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં 41 વર્ષની મહિલા એકલી રહે છે અને જમીન લે-વેચનું કામ કરે છે. મહિલાના ઘરે 19 વર્ષની યુવતી ઘરઘાટી તરીકે રહેતી હતી. ગુરુવારે રાત્રે ફ્લેટની લાઈટો જતી રહેતા સિક્યુરિટીમાં ફરજ બજાવતા પાંચ જેટલા શખ્સોએ એપાર્ટમેન્ટમાં ડોરબેલ વગાડી હતી. ડોરબેલ વાગતા જ મહિલા બહાર આવી હતી, જેથી લુંટારુંઓએ તેમનું મોઢું દબાવ્યુ હતું અને ફ્લેટમાં ઘૂસી ગયા હતા. લૂંટારુંઓએ મકાનમાં કામ કરતી ઘરઘાટી યુવતી પર ગેંગરેપ કર્યો હતો ત્યારબાદ લૂંટ ચલાવી આરોપીઓ ફરાર થઈ ગયા હતા.

દુષ્કર્મના આરોપીઓમાંથી એક સિક્યોરિટી ગાર્ડ પોતે તે જ ફ્લેટમાં નોકરી કરતો હતો. આથી તેનો અન્ય ગાર્ડ સાથે મુલાકાત થઈ હતી. ફ્લેટમાં ઘણા સમયથી બે યુવતીઓ એકલી જોતા તેઓ ભેગા મળીને ફ્લેટમાં ઘુસીને દુષ્કર્મ આચરી લૂંટની ફીરાકમાં હતા. ઘટનાને અંજામ આપી તમામ કાર ચોરીને ભાગી ગયા હતા અને બાદમાં રસ્તામાં કાર મૂકી ખાનગી ટ્રાવેલ્સમાં બેસીને પંજાબ જવા નીકલ્યા હતા. દરમિયાન મહિલાએ બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી દેતા પાલનપુર અરોમા સર્કલ પાસે નાકાબંધી કરીને પોલીસે અમૃતપાલ સિંહ, મનજિસિંહ, રાહુલ સિંહ કોસાવા કાચી, હરિઓમ અને સુખવિંદરસિંગને ઝડપી લીધા હતા.

સમગ્ર મામલે આજે પાંચેય આરોપીઓની આકરી પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં સામે આવ્યું કે, સિક્યુરિટી ગાર્ડે લુંટ અને ગેંગરેપ પહેલા રમકડાની રિવોલ્વર મેળવી હતી. ફ્લિપકાર્ટમાંથી મંગાવેલી રમકડાંની રિવોલ્વરના આધારે તેઓએ લૂંટ ચલાવી હતી. પૂછપરછમાં મોટો ખુલાસો થયો કે, મુખ્ય આરોપી મનજીત જોહાલ અને અમ્રિતપાલ ગીલ વિરુદ્ધનો ગુનાઈત ઈતિહાસ છે. મનજીત ડિસેમ્બરમાં પ્રેમલગ્ન કરવાનો હતો, તેથી તેણે તે પહેલા લુંટનો પ્લાન બનાવ્યો હતો. મહિલાના ઘરમાંથી 10-20 લાખ રુપિયા મળશે તેવી લાલચે લૂંટ કરી હતી. પરંતું માત્ર 1.37 લાખની લુંટ ચલાવી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...

અંબાજી શક્તિપીઠમાં ઈતિહાસ બદલાયો: હવે આઠમની મહાપૂજાના દર્શન તમામ ભક્તો કરી શકશે!

અંબાજી : શક્તિપીઠ અંબાજી મંદિરને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અંબાજી મંદિર સ્થાપના બાદનો અત્યાર સુધીનો સૌથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે....