Sunday, January 18, 2026

World Cup 2023 ફાઈનલને લઈને અમદાવાદની હોટલો અને ફ્લાઇટના ભાડા આસમાને, મુંબઈ-દિલ્હી કરતાં પણ મોંઘા

spot_img
Share

અમદાવાદ : World Cup 2023 ફાઈનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવાની છે, ત્યારે ફાઈનલ મેચ નિહાળવા અને આ મેચના સાક્ષી બનવા સૌ ક્રિકેટપ્રેમીઓ આતુર છે. ક્રિકેટની ફાઈનલ નિહાળવા માટે તમામ ક્રિકેટ ટીમના કેપ્ટનથી માંડીને ફિલ્મસ્ટાર સેલિબ્રિટીઓ આવવાની શક્યતા છે. વર્લ્ડ કપ ક્રિકેટ ફાઈનલની અસર અમદાવાદની ફાઈવ સ્ટાર અને થ્રી સ્ટાર હોટેલ્સમાં સાફ જોવા મળી રહી છે. મોટાભાગની થ્રી સ્ટાર અને ફાઈવ સ્ટાર હોટેલ્સના રુમ બુક થઈ જતા હોટેલ હાઉસફૂલ થઈ રહી છે. ખાસ કરીને હોટેલ્સના રુમના ભાડા 50 હજારથી માંડીને સવા લાખ સુધી પહોંચી ગયા છે.

પહેલાં વાત કરીએ હોટલોની તો ક્રિકેટ વર્લ્ડ કપ ફાઈનલ અમદાવાદમાં હોવાથી હાલ અમદાવાદનો હોટલ ઉદ્યોગ તેજીમાં આવી ગયો છે. એક રિપોર્ટ મુજબ ગુજરાત હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એશોશીએશનના પ્રમુખ નરેન્દ્ર સોમાણીએ જણાવ્યું કે, અમદાવાદમાં યોજાનારી ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલના કારણે હોટલના ભાડામાં ધરખમ વધારો થયો છે. ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલને પગલે હાલ અમદાવાદની જે હોટલોના એક દિવસના ભાડા 20 હજાર હતા તે હોટલોના ભાડા 50 હજારને પાર પહોંચી ગયા છે….જે રૂમનું ભાડુ સામાન્ય દિવસોમાં 4 થી 5 હજાર રૂપિયા હતું લોકો એ રૂમ 50 હજાર રૂપિયા આપીને પણ બુક કરાવી રહ્યાં છે. જાણીને નવાઈ લાગશે પણ અમદાવાદમાં એવી પણ કેટલીક હોટલો છે જેમાં એક રાત રોકાવવાનું એક રૂમનું ભાડું એક લાખ રૂપિયા કરતા પણ વધારે છે. વર્લ્ડ કપ ફાઈનલના કારણે આવો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. ITC WELCOMEનું ભાડુ 1 લાખ રૂપિયા…હોટેલ વિવાન્તાના 90 હજાર રૂપિયા…કોટયાર્ડ મેરીયોટના 60 હજાર રૂપિયા….રેનીસન્સ 55 હજાર રૂપિા…હોટલ હિલ્લોક 63 હજાર રૂપિયા…

અમદાવાદની હોટલના રૂમના ભાડાઃ
આઇટીસી વેલકમ 1 લાખ રુપિયા
હોટેલ વિવાન્તા 90000 રૂપિયા
કોટયાર્ડ મેરીયોટ 60000 રૂપિયા
રેનીસન્સ 55000
હિલ્લોક 63000

હવે હોટલો બાદ ફ્લાઈટની વાત કરીશું, વર્લ્ડ કપની ફાઇનલ મેચ નિહાળવા દુનિયાભરથી લોકો અમદાવાદ આવશે. લોકોના ધસારાને લઇને ફ્લાઈટનાં ભાડાં પણ આસમાને પહોંચ્યાં છે. ડોમેસ્ટિક ફ્લાઈટનાં ભાડાંમાં 8 ગણા સુધીનો વધારો થયો છે, જ્યારે ઈન્ટરનેશનલ ફ્લાઈટનાં ભાડાંમાં 4 ગણા સુધીનો વધારો જોવા મળ્યો છે તથા ડાયરેક્ટ અમદાવાદ આવતી ફ્લાઇટ મળવી મુશ્કેલ છે ત્યારે દર્શકોને અન્ય એરપોર્ટ પર સ્ટોપ લઈને 5થી 7 કલાક અમદાવાદ પહોંચતાં થશે.

ફાઇનલ મેચ જોવા માટે દુબઈ, સિંગાપોર, કેનેડા, લંડન, અમેરિકા, ન્યૂઝીલેન્ડ સહિતના દેશોમાંથી મોટી સંખ્યામાં લોકો આવે એવી શક્યતા છે, જ્યારે ભારતમાંથી દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ, બેંગલુરુ, ચેન્નઇ સહિતનાં રાજ્યોમાંથી વધુ લોકો મેચ જોવા આવે એવી શક્યતા છે. મુંબઈ, હૈદરાબાદ તથા ચેન્નઈથી આવતી ફ્લાઈટના ભાવમાં ધરખમ વધારો છે, ઉપરાંત કોઈપણ ફ્લાઇટ ડાયરેક્ટ નહિ આવે, મુસાફરોએ વચ્ચે હોલ્ડ લઈને જ આવવું પડશે.

વર્લ્ડ કપ ફાઈનલને કારણે વિમાનના ભાડા વધ્યાંઃ
3500 થી 5000 ના દરની ટીકીટના ભાવ 25 થી 30 હજાર સુધી પહોંચ્યા
દિવાળી ના વેકેશન દરમિયાન કે પ્રવાસન સીઝન દરમ્યાન પણ આટલો ભાવ વધારો થતો નથી
ફેસ્ટીવ સીઝનમાં પણ માંડ બે ગણો ભાવ થાય છે
વર્લ્ડકપ ફાઇનલને પગલે સીંગલ એર ફેર ચાર થી પાંચ ગણું વધ્યું
18 નવેમ્બર અમદાવાદ આવતી કેટલીક ફ્લાઇટની જુજ ટીકીટ ઉપલબ્ધ
19 તારીખની અમદાવાદ આવતી તમામ ફ્લાઇટની ટીકીટ લગભગ વેચાઇ ગઇ
દિલ્હી અમદાવાદનો સીંગલ એરફેર સામાન્ય ભાવ 3500 રૂપિયા
જો 18 તારીખ પ્રમાણે વધીને 23000 સુધી પહોંચ્યો
મુંબઇ અમદાવાદ સીંગલ એરફેર 3500 થી વધી 28000
કોલકત્તા થી અમદાવાદ સીંગલ એરફેર 7000 થી વધી 36000
ચેનન્નઇ અમદાવાદ 5000 થી 24000 થયુ

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...