Monday, January 19, 2026

નેશનલ હેન્ડલુમના કર્મચારીઓ લૂંટાયા, સ્થાનિકોની સતર્કતાથી 31 લાખ લૂંટનાર બે આરોપીઓ પકડાયા

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં સબસલામતના દાવાને પણ આરોપીઓ પડકાર ફેંકી રહ્યા છે, ત્યારે આવી જ એક ઘટના અમદાવાદ શહેરમાંથી સામે આવી છે. અમદાવાદ શહેરમાં વધુ એક વખત લૂંટનો બનાવ બન્યો હતો.શહેરના નેશનલ હેન્ડલુમ શોપિંગ મોલના એકાઉન્ટન્ટ અને સાથી કર્મી સાથે લૂંટની ઘટના થઈ હતી.પરંતુ પોલીસ અને સ્થાનિક લોકોની સતર્કતાથી લૂંટારાઓ રંગે હાથે ઝડપાયા છે.

ઘટના એવી છે કે, નેશનલ હેન્ડલૂમમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા રોહિત ચૌધરી 31.20 લાખની રોકડ લઈને એલિસબ્રિજની SBI બેંકમાં પૈસા જમા કરવા જઈ રહ્યા હતા. તે સમયે આરોપી ભરત અને મહાવીરસિંહે તેમની એક્ટિવા રોકીને છરી વડે હુમલો કરીને રોકડ ભરેલી બેંગ લૂંટી ફરાર થઈ રહ્યા હતા. બન્ને લુટારુઓ બાઈક મૂકીને નાસી ગયા હતા. પરંતુ સ્થાનિક લોકો અને પોલીસે ફિલ્મી સ્ટાઈલે પીછો કરીને બન્ને આરોપીને પકડી લીધા હતા. જોકે બન્ને આરોપી એક હોટલના કમ્પાઉન્ડમાં ઘૂસી જતાં ત્યાંથી પકડીને લૂંટનો તમામ મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, લૂંટ કરવા આરોપીઓ બાઈકની ચોરી કરી હતી. જે બાદ લૂંટનાં ગુનાને અંજામ આપીને બાઈક ત્યાં મૂકી રાખવાના હતા. જે બાદ લૂંટનાં પૈસા લઈ સીધા જ પોતાના વતન જતા રહેવાનો પ્લાન બનાવ્યો હતો. પરંતુ તેમના આ ષડયંત્ર સફળ થાય તે પહેલાં પોલીસના હાથે ઝડપાઇ ગયા. ત્યારે બંને આરોપીઓ કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ અને ચોરી બાઈક કોનું છે, જેને લઈ આરોપીનાં રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે.

પકડાયેલ આરોપી ભરત અને મહાવીર મૂળ રાજસ્થાનના રહેવાસી છે. બોપલમાં હાઇટેક સિક્યુરિટી કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે અને આરોપી ભરત 2014થી અમદાવાદમાં હતો. જ્યારે મહાદેવ છ મહિના પહેલા જ અમદાવાદમાં આવ્યો હતો. બન્ને એક જ ગામના હોવાથી મોટી લૂંટ કરવાનો પ્લાન બનાવ્યો હતો. જેથી આરોપીઓએ બે દિવસ સુધી નેશનલ હેન્ડલૂમ અને બેન્કોની રેકી કરી હતી ત્યારે નેશનલ હેન્ડલૂમમાં લૂંટનો ભોગ બનનાર રાજસ્થાનનો વતની છે, જેથી પોલીસને શંકા છે કે લૂંટની ટીપ આપનાર નેશનલ હેન્ડલૂમમાં કામ કરતાં કર્મચારીએ આપી હોઇ શકે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...