Thursday, January 22, 2026

સાબરમતીમાં તૈયાર થયું ભારતનું પ્રથમ બુલેટ ટ્રેન સ્ટેશન અને મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબ, જુઓ Video

spot_img
Share

અમદાવાદ : અમદાવાદને અદ્ભૂત અને ગજબની ભેટ મળવાની છે. સાબરમતી મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબ શાનદાર અને ભારતનો પ્રથમ બુલેટ ટ્રેન ટર્મિનલના બની તૈયાર થયો છે. ભારતીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે પ્રથમ બુલેટ ટ્રેન ટર્મિનલના વીડિયો ટ્વીટ કર્યો છે. જેમાં કલા સંસ્કૃતિ સાથે સંકળાયેલા વિવિધ દર્શ્યો જોવા મળી રહ્યાં છે. જો કે, આ સેવાથી લોકોને અનેક ઘણું લાભ થશે તેમજ અમદાવાદની શાનમાં વધારો થશે.


સાબરમતીમાં બનેલા બુલેટ ટ્રેન સ્ટેશનમાં યાત્રીકોને સ્ટેટ-ઓફ-ધ આર્ટ આધુનિક સુવિધાઓ મળશે. પ્રથમ બુલેટ ટ્રેન અમદાવાદ અને મુંબઈ વચ્ચે ચાલવાની છે. તેને જાપાનની મદદથી તૈયાર કરવામાં આવી રહી છે. જાપાનથી નાણાકીય સહાયતાથી સાથે તકનીકી મદદ પણ મળી રહી છે. બુલેટ ટ્રેનથી અમદાવાદથી મુંબઈની યાત્રા માત્ર 2.07 કલાકમાં પૂરી કરી શકાશે. ટ્રેનની મહત્તમ ઝડપ 350 કિમી પ્રતિ કલાક હશે. આ પ્રોજેક્ટ વિશે વિગતે જણાવીએ તો વર્ષ 2017માં PM નરેન્દ્ર મોદી અને જાપાનના ભૂતપૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો.

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં 508km લાંબી રેલ લાઈનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. તે ડબલલાઇન સુરંગ અને સમુદ્રની નીચેથી પસાર થાય છે. આ પરિયોજના પર 1.08 લાખ કરોડનો ખર્ચ થવાનું અનુમાન છે. પરિયોજનાના ખર્ચના 81 ટકા જાપાન સોફ્ટ લોન દ્વારા 0.1% પ્રતિ વર્ષના દરથી મળશે. તેમાં 15 વર્ષનો ગ્રેસ પિરિયડ સહિત 50 વર્ષનો રિપેમેન્ટ સમયગાળો હશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...