Thursday, January 22, 2026

ઘાટલોડિયાની આ ખાનગી સોસાયટીના રિડેવલપમેન્ટ માટે હાઈકોર્ટનું ગ્રીન સિગ્નલ

spot_img
Share

અમદાવાદ : ખાનગી હાઉસિંગ સોસાયટીઓના રિડેવલપમેન્ટને લગતા મહત્વના ચુકાદામાં ગુજરાત હાઈકોર્ટે ઘાટલોડિયામાં આવેલી એક સોસાયટીને લીલી ઝંડી આપી છે અને સ્થાનિક રહીશોની વાંધાઅરજી ગુજરાત હાઇકોર્ટની ડિવિઝન બેન્ચે ફગાવી દીધી છે. કોર્ટે રિડેવલપમેન્ટ માટે સોસાયટીના 75% થી વધુ સભ્યોની સંમતિનો ગુણોત્તર લાગુ કર્યો. આ મહત્વ ધારે છે કારણ કે બે ડઝનથી વધુ ખાનગી સોસાયટીઓએ રિડેવલપમેન્ટ માટેની મંજૂરી માટે HCનો સંપર્ક કર્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે શુક્રવારે ઘાટલોડિયામાં રત્નમણિ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના રિડેવલપમેન્ટને લીલી ઝંડી આપતા હાઇકોર્ટના સિંગલ જજના આદેશ સામેની અપીલ ફગાવી દીધી હતી.ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સુનીતા અગ્રવાલની આગેવાની હેઠળની બેન્ચે રત્નમણિ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના 15 સભ્યો દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલને ફગાવી દીધી હતી. આ અરજદારો વિવિધ આધારો પર રિડેવલપમેન્ટ સ્કીમનો વિરોધ કરી રહ્યા હતા.હાઈકોર્ટે બહુમતી સોસાયટીના સભ્યોની તરફેણમાં આદેશ જારી કર્યો હતો પરંતુ એક મહિના માટે તેને સ્ટે આપ્યો હતો જેથી પીડિત સભ્યો આ આદેશ સામે અપીલ દાખલ કરી શકે.

કોર્ટે સિંગલ જજના આદેશને માન્ય રાખ્યો અને જણાવ્યું હતું કે રિડેવલપમેન્ટ સ્કીમ તે કાયદાકીય જરૂરિયાતોને સંતોષે છે કે સોસાયટીના 75%થી વધુ સભ્યોએ આ યોજના માટે સંમતિ આપવી જોઈએ. આ કિસ્સામાં, લગભગ 84% સભ્યોએ સોસાયટીના રિડેવલપમેન્ટ માટે સંમતિ આપી હતી. રત્નમણિ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી 1981માં બની હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...