Wednesday, September 17, 2025

અમદાવાદના યુવકની 1.5 લાખની બાઈક ચોરાઈ ગઈ છતાં પોલીસે ફરિયાદ ના લીધી, તો જાતે જ શોધી નિકાળી

Share

Share

અમદાવાદ : અમદાવાદમાં દીપક નાયક નામના યુવકને પોતાની ખૂબ જ પસંદગીની મોંઘીદાટ બાઈક ચોરીના કિસ્સામાં થયો હતો. રિપોર્ટ મુજબ પોલીસે શરુઆતમાં તો ફરિયાદ નોંધી નહીં પરંતુ ઓનલાઈન ફરિયાદ કરવાની સલાહો આપી હતી. ત્યાર બાદ તેણે પોતાની મેળે જ બાઈકને શોધવાની શરુઆત કરી દીધી હતી.

રિપોર્ટ મુજબ અમદાવાદના દીપક નાયક નામનો યુવકની 1.5 લાખ રૂપિયાની બાઈક ચોરાઈ ગઈ હતી. સીસીટીવી ફૂટેજમાં એક વ્યક્તિ પોતાનું બાઈક લઈને જતો દેખાઈ રહ્યો છે. પોતાની બાઈક ચોરાઈ ગઈ હોવાના કારણે તે પોલીસ ફરિયાદ કરવા માટે ગયો હતો. જોકે, પોલીસે તેને ઓનલાઈન ફરિયાદ નોંધાવવા કહ્યું હતું. પોલીસ તરફથી યોગ્ય પ્રતિસાદ મળ્યો ન હતો જેના કારણે નિરાશ થઈને દીપકે જાતે જ ચોરને શોધી કાઢવાનો પ્રયાસ કર્યો હતો. તેણે સીસીટીવી ફૂટેજ જોયા તો તેમાં ચોરના ટુ વ્હીલરની નંબર પ્લેટ જોવા મળી હતી. નંબર પ્લેટના આધારે તેણે ચોરની શોધખોળ આદરી હતી. દીપકની શોધખોળ તેને અસારવા સિવિલ હોસ્પિટલ પાસે રહેતા એક રહેવાસી પાસે લઈ ગઈ હતી. તેણે ત્યાં તપાસ કરી તો ટુ-વ્હીલરના માલિકે પુષ્ટિ કરી કે તેના પુત્રએ ચોરી કરી હતી અને દીપકની બાઈક સાથે ભાગી ગયો હતો. ચોરના પિતાએ દીપકને ખાતરી આપી કે તે તેની બાઈક પરત કરી દેશે.

અંતે ચોર બાઈક લઈને પરત આવ્યો હતો. જ્યારે બાઈક પરત મળી ત્યારે દીપકે જોયું તો બાઈક બદલાઈ ગઈ હતી અને સ્પેરપાર્ટ્સ તૂટી ગયા હતા. એટલું જ નહીં ચોરના પિતા કે જેમણે શરૂઆતમાં ખર્ચો આપવાનું કહ્યું હતું તેઓ બાદમાં ફરી ગયા હતા. ચોરના પિતાએ હવે દીપકને ખર્ચો આપવાની ના પાડી દીધી હતી. દીપકની ઓનલાઈન ફરિયાદ અને પોલીસ નોંધણી હોવા છતાં પોલીસની કાર્યવાહીના અભાવે દીપકને ઘણો નિરાશ કર્યો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...