Thursday, March 5, 2026

અમદાવાદમાં યોજાનાર ફ્લાવર શો જોવા જવાના છો ? આ રહી A to Z તમામ માહિતી

spot_img
Share

અમદાવાદ : લાખો પ્રકૃતિપ્રેમીઓના ઇન્તેજારનો અંત આવ્યો છે. આગામી 30 ડિસેમ્બરે ફલાવર શો શરૂ થશે. ફલાવર શોને મુખ્યમંત્રીના હસ્તે શુભારંભ કરવામાં આવશે. 30 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી ચાલશે. AMCના અત્યાર સુધી યોજાયેલા ફલાવર શોમાં આગામી ફલાવર શો સૌથી વધુ 17 દિવસ રહેશે. આ દરમ્યાન 10 લાખથી વધુ લોકો મુલાકાત કે તેવી સંભાવના છે.12 વર્ષથી ઉપરના લોકો માટે સોમવારથી શુક્રવારે 50 રૂપિયા પ્રવેશ ફી રાખવામાં આવી છે.

વર્ષ 2013થી અમદાવાદમાં ફ્લાવર શૉનું આયોજન થાય છે. એએમસી (AMC) દ્વારા આગામી ફ્લાવર શોની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. 10 માં ફલાવર શોની આગામી 30 ડિસેમ્બરે મુખ્યમંત્રીના હસ્તે શુભારંભ થશે. આ વર્ષે આત્મનિર્ભર ભારત, મીલેટ્સ વર્ષ, મહિલા સશક્તિકરણ અંતર્ગત ફ્લાવર શોની થીમ રહેશે. મીલેટ્સ વર્ષની ઉજવણી હેઠળ ફ્લાવર શો સમયે ફૂડ સ્ટોલમાં મહત્તમ મીલેટ્સ આઈટમ રાખવામાં આવશે. તો 150 થી વધુ પ્રજાતિના 7 લાખથી વધુ રોપાની મજા મુલાકાતીઓ માણી શકશે.

આ વર્ષના ફ્લાવર શોમાં મુખ્ય આકર્ષમ સરદાર પટેલનું સ્ચેચ્યુ હશે. આ ઉપરાંત નવા સંસદભવન, વડનગર તોરણ, ચંદ્રયાન , સરદાર પટેલ ઉપરાંત પશુ પક્ષીઓના ફૂલોથી બનેલા સ્કલ્પ્ચર મુખ્ય આકર્ષણ બની રહેશે.આ ઉપરાંત પીટૂનીયા, ડાયંથસ, સેવંતી, ગજેનિયા , બીગુનિયા , એસ્ટર , મેરીગોલ્ડ , કેક્ટસ , ઓર્ચિડ , લીલી , ગુલાબ સહિતની પ્રજાતિઓના છોડ રોપા જોવા મળશે.

સોમવારથી શુક્રવાર દરમિયાન ફ્લાવર શોમાં 12 વર્ષથી ઉપરના માટે રૂપિયા 50 ફી રાખવામા આવી છે. તો શનિવાર અને રવિવાર માટે રૂ.75 પ્રવેશ ફી રાખવામાં આવશે. શાળા તરફથી આવતા બાળકોને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે. મુલાકાતીઓ માટે પૂરતી પાર્કિંગ વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવશે.

30 ડિસેમ્બર થી 15 જાન્યુઆરી મળી કુલ 17 દિવસ ફલાવર શો ચાલશે. AMCના અત્યાર સુધી યોજાયેલા ફલાવર શોમાં આગામી ફલાવર શો સૌથી વધુ દિવસોનો રહેશે. 17 દિવસ દરમ્યાન મળી 10 લાખથી વધુ લોકો મુલાકાત કે એવી સંભાવના છે. આગામી ફલાવર શોમાં AMC દ્વારા વિશ્વની સૌથી લાંબી ફલાવર વોલ બનાવવાનું આયોજન કરાયું છે. 400 મીટર લંબાઈનું ફલાવર સ્ટ્રક્ચર બનાવવા AMCનું આયોજન છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...