Monday, January 19, 2026

અમદાવાદના આ વિસ્તારમાં કારચાલક મહિલાએ બાઈકચાલકને અડફેટે લેતા બાઈકચાલકનું મોત

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના માણેકબાગ વિસ્તારમાં શનિવારે સાંજે અકસ્માતની ઘટના બની છે. આ ઘટનામાં રોંગ સાઇડમાં આવતી કારચાલક યુવતીએ અકસ્માત સર્જ્યો છે. કારની ટક્કરે બાઇક ચાલક યુવકનુ મોત થયું છે. કુલદીપ નામના શખ્સનુ મોત થયું હોવાનું સામે આવ્યું છે. લોકોનું કહેવું છે કે રોંગ સાઇડમાં આવતી કારચાલક યુવતીએ આ ભયાનક અકસ્માત સર્જ્યો જેમાં એકનો જીવ ગયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ માણેકબાગ ચાર રસ્તા પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત થતા બાઈક ચાલકને માથાના ભાગે ઇજા થઇ હતી. જે બાદ કારચાલક મહિલા દ્વારા અન્ય એક ગાડીની મદદ લઈને બાઈક ચાલકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જો કે સારવાર દરમિયાન બાઈક ચાલકનું મોત થયું છે. પ્રાથમિક જાણકારી મુજબ મહિલા કારચાલક રોન્ગ સાઈડમાં ગાડી ચલાવી રહી હતી.

જો કે સમગ્ર મામલે ટ્રાફિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને બાઈક ચાલકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.

જગતપુર બ્રિજથી ગોદરેજ ચાર રસ્તા તરફ જતા રોડ પર હિટ એન્ડ રન, ટ્રકે ટક્કર મારતાં ટુવ્હીલરચાલકનું મોત

ગોતામાં વીર સાવરકર હાઇટ્સમાં રહેતા 48 વર્ષીય અશોકકુમાર ગોમારું શનિવારે બપોરે બાઈક લઈને ક્રિષ્ના હાઇટ્સ તરફથી જગતપુર બ્રિજ થઈને ગોદરેજ ચાર રસ્તા તરફ જતા હતા ત્યારે ટ્રક ચાલકે અશોકકુમારની બાઇકને ટક્કર મારી હતી, જેથી હવામાં ફંગોળાઈને અશોકકુમાર જમીન પર પટકાયા હતા. બીજી બાજુ ટ્રકનું ટાયર અશોકકુમાર પર ફળી વળ્યું હતું, જેથી ગંભીર ઈજાઓના કારણે અશોકકુમારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ લોકોનું ટોળું ભેગું થઇ ગયું હતું, જે જોઈને ટ્રકચાલક ટ્રક લઈને ફરાર થઈ ગયો હતો.એલ ડિવિઝન પોલીસે ફરાર ટ્રક ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...