Wednesday, January 7, 2026

અમદાવાદના આ વિસ્તારમાં કારચાલક મહિલાએ બાઈકચાલકને અડફેટે લેતા બાઈકચાલકનું મોત

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના માણેકબાગ વિસ્તારમાં શનિવારે સાંજે અકસ્માતની ઘટના બની છે. આ ઘટનામાં રોંગ સાઇડમાં આવતી કારચાલક યુવતીએ અકસ્માત સર્જ્યો છે. કારની ટક્કરે બાઇક ચાલક યુવકનુ મોત થયું છે. કુલદીપ નામના શખ્સનુ મોત થયું હોવાનું સામે આવ્યું છે. લોકોનું કહેવું છે કે રોંગ સાઇડમાં આવતી કારચાલક યુવતીએ આ ભયાનક અકસ્માત સર્જ્યો જેમાં એકનો જીવ ગયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ માણેકબાગ ચાર રસ્તા પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત થતા બાઈક ચાલકને માથાના ભાગે ઇજા થઇ હતી. જે બાદ કારચાલક મહિલા દ્વારા અન્ય એક ગાડીની મદદ લઈને બાઈક ચાલકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જો કે સારવાર દરમિયાન બાઈક ચાલકનું મોત થયું છે. પ્રાથમિક જાણકારી મુજબ મહિલા કારચાલક રોન્ગ સાઈડમાં ગાડી ચલાવી રહી હતી.

જો કે સમગ્ર મામલે ટ્રાફિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને બાઈક ચાલકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.

જગતપુર બ્રિજથી ગોદરેજ ચાર રસ્તા તરફ જતા રોડ પર હિટ એન્ડ રન, ટ્રકે ટક્કર મારતાં ટુવ્હીલરચાલકનું મોત

ગોતામાં વીર સાવરકર હાઇટ્સમાં રહેતા 48 વર્ષીય અશોકકુમાર ગોમારું શનિવારે બપોરે બાઈક લઈને ક્રિષ્ના હાઇટ્સ તરફથી જગતપુર બ્રિજ થઈને ગોદરેજ ચાર રસ્તા તરફ જતા હતા ત્યારે ટ્રક ચાલકે અશોકકુમારની બાઇકને ટક્કર મારી હતી, જેથી હવામાં ફંગોળાઈને અશોકકુમાર જમીન પર પટકાયા હતા. બીજી બાજુ ટ્રકનું ટાયર અશોકકુમાર પર ફળી વળ્યું હતું, જેથી ગંભીર ઈજાઓના કારણે અશોકકુમારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ લોકોનું ટોળું ભેગું થઇ ગયું હતું, જે જોઈને ટ્રકચાલક ટ્રક લઈને ફરાર થઈ ગયો હતો.એલ ડિવિઝન પોલીસે ફરાર ટ્રક ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...

અંબાજી શક્તિપીઠમાં ઈતિહાસ બદલાયો: હવે આઠમની મહાપૂજાના દર્શન તમામ ભક્તો કરી શકશે!

અંબાજી : શક્તિપીઠ અંબાજી મંદિરને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અંબાજી મંદિર સ્થાપના બાદનો અત્યાર સુધીનો સૌથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે....

ગિફ્ટ સિટીમાં દારૂના નિયમોમાં મોટો ફેરફાર, વિદેશી પ્રવાસીઓ તથા અન્ય રાજ્યના ઓળખપત્ર બતાવી મેળવી શકશે દારૂ

ગાંધીનગર : ગિફ્ટ સિટીના મુલાકાતીઓ અને કર્મચારીઓને ક્રિસમસ અને નવા વર્ષની શાનદાર ભેટ સમાન નિર્ણયમાં રાજ્ય સરકારે દારૂબંધીના નિયમમાં વધુ રાહત આપતું જાહેરનામું બહાર...

GSRTCની નવી પહેલ, હવે ST બસમાં મુસાફરી દરમિયાન મળશે ગરમાગરમ ભોજન, જાણો કઈ રીતે કરશો ઓર્ડર

ગાંધીનગર : ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મુસાફરોની સુવિધામાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવી રહ્યો છે. હાઈ-ટેક બસો બાદ હવે નિગમે મુસાફરોની જઠરાગ્નિ...

ઇમ્પેક્ટ ફીની મુદતમાં પાંચમી વખત છ માસનો વધારો, ગેરકાયદેસર બાંધકામ થઈ જશે કાયદેસર

ગાંધીનગર : ગુજરાત અનધિકૃત વિકાસ નિયમિત કાયદા 2022 હેઠળ રાજ્ય સરકાર દ્વારા ઇમ્પેક્ટ ફી ભરીને ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવા માટેની સમયમર્યાદા આગામી 6 મહિના...

મોંઘવારીનો વધુ એક માર, વાહનોનું PUC કઢાવવું હવે મોંઘું થશે ! ટુ-વ્હીલર, ફોર-વ્હીલરના નવા ભાવ જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકારે વાહનો માટે પીયુસીના દરમાં વધારો કર્યો છે. વાહનો માટે ફરજિયાત પોલ્યુશન અન્ડર કંટ્રોલ સર્ટિફિકેટ (પીયુસી) મેળવવા હવે વાહન માલિકોને વધુ...