Saturday, September 13, 2025

અમદાવાદના આ વિસ્તારમાં કારચાલક મહિલાએ બાઈકચાલકને અડફેટે લેતા બાઈકચાલકનું મોત

Share

Share

અમદાવાદ : અમદાવાદના માણેકબાગ વિસ્તારમાં શનિવારે સાંજે અકસ્માતની ઘટના બની છે. આ ઘટનામાં રોંગ સાઇડમાં આવતી કારચાલક યુવતીએ અકસ્માત સર્જ્યો છે. કારની ટક્કરે બાઇક ચાલક યુવકનુ મોત થયું છે. કુલદીપ નામના શખ્સનુ મોત થયું હોવાનું સામે આવ્યું છે. લોકોનું કહેવું છે કે રોંગ સાઇડમાં આવતી કારચાલક યુવતીએ આ ભયાનક અકસ્માત સર્જ્યો જેમાં એકનો જીવ ગયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ માણેકબાગ ચાર રસ્તા પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત થતા બાઈક ચાલકને માથાના ભાગે ઇજા થઇ હતી. જે બાદ કારચાલક મહિલા દ્વારા અન્ય એક ગાડીની મદદ લઈને બાઈક ચાલકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જો કે સારવાર દરમિયાન બાઈક ચાલકનું મોત થયું છે. પ્રાથમિક જાણકારી મુજબ મહિલા કારચાલક રોન્ગ સાઈડમાં ગાડી ચલાવી રહી હતી.

જો કે સમગ્ર મામલે ટ્રાફિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને બાઈક ચાલકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.

જગતપુર બ્રિજથી ગોદરેજ ચાર રસ્તા તરફ જતા રોડ પર હિટ એન્ડ રન, ટ્રકે ટક્કર મારતાં ટુવ્હીલરચાલકનું મોત

ગોતામાં વીર સાવરકર હાઇટ્સમાં રહેતા 48 વર્ષીય અશોકકુમાર ગોમારું શનિવારે બપોરે બાઈક લઈને ક્રિષ્ના હાઇટ્સ તરફથી જગતપુર બ્રિજ થઈને ગોદરેજ ચાર રસ્તા તરફ જતા હતા ત્યારે ટ્રક ચાલકે અશોકકુમારની બાઇકને ટક્કર મારી હતી, જેથી હવામાં ફંગોળાઈને અશોકકુમાર જમીન પર પટકાયા હતા. બીજી બાજુ ટ્રકનું ટાયર અશોકકુમાર પર ફળી વળ્યું હતું, જેથી ગંભીર ઈજાઓના કારણે અશોકકુમારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ લોકોનું ટોળું ભેગું થઇ ગયું હતું, જે જોઈને ટ્રકચાલક ટ્રક લઈને ફરાર થઈ ગયો હતો.એલ ડિવિઝન પોલીસે ફરાર ટ્રક ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...