Wednesday, February 11, 2026

અમદાવાદમાં આ શાળામાં પાણીના કુંડા અને પક્ષીઓ માટે માળાનું નિઃશુલ્ક વિતરણ, પક્ષીઓની વ્હારે આવ્યા વિધાર્થીઓ

spot_img
Share

અમદાવાદ : શહેરના બાપુનગર ખાતે રઘુનાથ સ્કૂલના એક કાર્યક્રમમાં કરૂણા ચેરીટેબલ ટ્રસ્ટ કરૂણા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા “જીવો અને જીવવા દો” જેવા સુંદર સંદેશ સાથે અને ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓની પાણીની તરસ છીપાવવા માટે “પાણીના કુંડા” તથા ORS અને સાથે “પક્ષીઓ માટે માળા” નું નિઃશુલ્ક વિતરણ કરાયું હતું. આ પાણીના કુંડામાં પક્ષીઓ પાણી પી શકે તે માટે પાણીના કુંડા ઝાડની નીચે અથવા ઘરની બહાર રાખવાની અપીલ પણ કરવામાં આવી હતી.

કરૂણા ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક ઝંખના શાહએ જણાવ્યું છે કે, અમે છેલ્લા એક મહિના કે વધુ સમયથી અમદાવાદમાં વિવિધ વિસ્તારોમાં પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિના મુલ્યે વિતરણ કરી રહ્યા છીએ. હાલ ઉનાળાની ગરમી માનવી પણ માંડ માંડ સહન કરી શકે છે ત્યારે પક્ષી માટે આપણે આટલું તો કરી જ શકીએ.

આ ઉપરાંત કરૂણા ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક ઝંખના શાહ એ બાળકો સાથે અબોલ જીવો માટે કામ કરવાનો આ અવસર આપવા બદલ રઘુનાથ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી ચેતન યાદવ અને ખુશી યાદવનો આભાર વ્યક્ત કર્યો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...