Saturday, January 24, 2026

અમદાવાદના નવનિર્મિત પોલીસ સ્ટેશનનું ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા લોકાર્પણ, પોલીસ કમિશ્નરને કર્યું સૂચન

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ ખાતે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિ. દ્વારા નવનિર્મિત શહેર કોટડા પોલીસ સ્ટેશનનું લોકાર્પણ યોજાયું. અમદાવાદ ખાતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, સાંસદ હસમુખભાઈ પટેલ અને અમદાવાદ AMC મેયર પ્રતિભાબેન જૈન અને શહેરના અન્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી નવીન પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવેલ કે રાજ્યમાં કાયદા અને વ્યવસ્થાની સ્થાપનામાં ગૃહવિભાગની પાયાની કામગીરી છે ત્યારે પોલીસ તંત્રને આધુનિક ટેક્નોલોજી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી સજ્જ રાખી હંમેશા નાગરિકોની સુરક્ષા કરવા માટે વધુ સુવિધા ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.

આ પ્રસંગે ગૃહમંત્રીએ એક મહત્વપૂર્ણ બાબતની જાણકારી એ પણ આપી કે વિભાગ દ્વારા એક સર્વે કરાવવામાં આવી રહ્યો છે, જેમાં પોલીસ સ્ટેશનમાં અરજી કરી ચૂકેલ એવા અરજદારો પાસેથી પોલીસ સ્ટેશનની મુલાકાત દરમિયાન તેમનો અનુભવ અને પોલીસકર્મી કે પોલીસ અધિકારીના વર્તન અંગે પણ પ્રતિભાવ લેવામાં આવી રહ્યા છે.

તેઓએ શહેરના પોલીસ કમિશનરને એ પણ સૂચન કર્યું કે પોલીસનો સ્ટેશનમાં આવતા અરજદારો પ્રત્યે વ્યવહાર પણ સારો હોવો જોઈએ જો કોઈ સિનિયર સિટીઝન પોલીસ સ્ટેશન આવે તો પોલીસે તેને એક ગ્લાસ પાણી આપવું જોઈએ, તેમાં તેની કોઈ તાકાત ઓછી નથી થઈ જવાની..આ પ્રકારના વર્તનના કારણે સામાન્ય નાગરિકોની પોલીસ પ્રત્યે શ્રદ્ધા અને અભિગમ પણ બદલાશે.

પોલીસ કર્મી પોલીસ અધિકારીઓને તેમના વિસ્તારના નાગરિકો સાથે સુમેળ ભર્યા સંબંધો વિકસાવવા માટે પણ ટકોર કરી. સાથે સાથે એ પણ સંભળાવી દીધું કે તેમને એ પણ ખ્યાલ છે કે ક્યાં, કોણ નાગરીકો સાથે નથી મળીને મળતા, પરંતુ તે ક્યારેય ન ચલાવી લેવાય.

પોલીસે હમેશા લોકોની સાથે રહી સાથે રાખીને હ્યુમન ઇન્ટેલિજન્સ નેટવર્ક મજબૂત બનાવવું જોઈએ. હર્ષ સંઘવીએ તો ત્યાં સુધી કહી દીધું કે જો મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી રોજ 500 અરજીઓનો નિકાલ કરીને લોકોને મળતા હોય તો પીઆઇ, એસીપી, કે ડીસીપી કેમ લોકો સાથે ન મળી શકે, એવું તો શુ કામની વ્યસ્તતા હોય છે!

લોકોની સુરક્ષા માટે દિવસ રાત ફરજ બજાવતા પોલીસ તંત્રની આધુનિક સમય સાથે કાર્ય પદ્ધતિ અને કાર્ય સ્થળનો વિકાસ કરવાના રાજ્ય સરકારના દ્રઢ સંકલ્પની આ પોલીસ સ્ટેશન ગુજરાત પોલીસ પ્રતીતિ કરાવે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...