Tuesday, September 16, 2025

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ બેઠક પરથી લડશે ચૂંટણી, લોકસભા કાર્યાલયનું ઉદઘાટન

Share

Share

અમદાવાદ : અયોધ્યામાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા પૂરી થતાં જ ભાજપ એક્શન મોડમાં આવી ગયું છે. ભાજપે લોકસભા ચૂંટણીના ઉમેદવારની જાહેરાત કર્યા વગર જ લોકસભા કાર્યાલયનું ઉદ્ધાટન કરવાનું શરૂ કર્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે આજે ગાંધીનગર લોકસભા બેઠક માટે ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં અમિત શાહ લોકસભા ચૂંટણી ગાંધીનગર બેઠક પરથી લડશે તેવો સી.આર પાટીલે સંકેત આપ્યો છે.

ગુજરાતની 26 સીટ પર ભાજપના ઉમેદવારની જાહેરાત વગર જ લોકસભા કાર્યાલય ખોલવામાં આવેલ છે. ગાંધીનગર લોકસભા બેઠક માટે ભાજપનું કાર્યાલય ખોલવામાં આવ્યું છે. લોકસભા ચૂંટણીમાં ભાજપના શંખનાદમાં ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે. નડ્ડા ગાંધીનગર લોકસભા કાર્યાલયના ઉદઘાટનમાં હાજર રહ્યા હતા. ગુજરાતમાં સાથે 26 લોકસભા સીટના ભાજપના કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું છે.

ગાંધીનગર લોકસભા બેઠક માટે ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનનો કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા અને ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સહિતના લોકો હાજર રહ્યા હતા. આ દરમિયાન પાટીલે કહ્યું કે, અમિત શાહની લોકસભા કાર્યાલયનું ઉદ્ધાટન એટલે રાજકીય નિષ્ણાતોમાં ચર્ચા થવા લાગી છે કે, અમિત શાહ ફરીથી ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે.

ભાજપે 2024ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં તૈયારીઓ તેજ કરી દીધી છે અને તમામ લોકસભા બેઠકો જીતવા એક્શન પ્લાન પણ તૈયાર કરી લીધો છે. આ સાથે જ સંગઠનને મજબૂત બનાવીને પાર્ટીએ ત્રણ સભ્યોને ચૂંટણીને લઈને મહત્ત્વની જવાબદારી પણ સોંપવામાં આવી છે જેમાં પ્રભારી તરીકે ઓબીસી મોરચાના અધ્યક્ષ મયંક નાયક, ગાંધીનગર બેઠકના સંયોજક તરીકે ધારાસભ્ય હર્ષદ પટેલને જવાબદારી સોંપાઈ હતી. જ્યારે સહસંયોજક તરીકે અમદાવાદ જિલ્લાના મહામંત્રી નવદીપ ડોડીયાને જવાબદારી આપવામાં આવી હતી.

ગુજરાતમાં ભાજપ 2024ની લોકસભાની ચૂંટણી માટે એક્શન મોડમાં જોવા મળી રહી છે અને ભાજપના નેતાઓની ગુજરાત મુલાકાત વધી રહી છે ત્યારે આજે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાની ઉપસ્થિતિમાં લોકસભાની ચૂંટણી માટે ગાંધીનગર સહિત રાજ્યના 26 કાર્યાલયનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે છેલ્લી બે લોકસભાની ચૂંટણીમાં ભાજપે ગુજરાતની તમામ 26 બેઠકો જીતી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...