Wednesday, January 21, 2026

અમદાવાદની સિવિલ હોસ્પિટલની અનોખી પહેલ : ત્યજી દેવાતા નવજાત શિશુ માટે મૂકાયું પારણું

spot_img
Share

અમદાવાદ : કોઈપણ દેશનું ભવિષ્ય તે દેશના બાળકોથી સુરક્ષિત થતું હોય છે પરંતુ જ્યાં બાળકો જ સુરક્ષિત નથી તેનું ભાવી કઈ રીતે કલ્પી શકાય? આજ સ્થિતિને જોતા અમદાવાદ અસારવા સિવિલ દ્વારા એક નવો અભિગમ અપનાવવામાં આવ્યો છે. આ અભિગમ છે “પારણું”. જીલ્લા બાળ સુરક્ષા તંત્રની ગાઈડલાઈન અંતર્ગત નવજાત શિશુ માટે અસારવા સિવિલ હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગના પ્રવેશદ્વાર આગળ એક પારણું મુકવામાં આવ્યું છે

અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ દ્વારા અનોખી પહેલ શરૂ કરાઈ છે કે નવજાત બાળકોને માતા-પિતા ત્યજે નહીં તે માટે 1200 બેડ હોસ્પિટલ બહાર એક પારણું મુક્યું છે. બાળકોને ત્યજી દેવાની જગ્યાએ બાળકોને અહીંયા પારણામાં મૂકવામાં આવે તેવી સુપ્રિટેન્ડન્ટે માતા-પિતાને હોસ્પિટલ દ્વારા અપીલ કરાઈ છે.અહીં નવજાતને ત્યજી દેનારની ઓળખ જાહેર કરવામાં નહીં આવે અને બાળકનું સંપૂર્ણ રીતે જતન કરવામાં આવશે. પારણામાં બાળક મુકવા આવનારે બાળકને પારણામાં મુકીને બાજુમાં મુકેલા બેલનું બટન દબાવવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં તરછોડાયેલા નવજાત બાળક ક્રિટીકલ સ્થિતિમાં અહીં સારવાર માટે આવ્યા હોવાથી આ નવો અભિગમ શરૂ કરવામાં આવ્યો છે.

1200 બેડ હોસ્પિટલની બહાર એક પારણું મુકવામાં આવ્યું છે. કોઈ અગમ્ય કારણોસર બાળકને તરછોડી દેવાની અથવા તો તેને કાંટા વચ્ચે ફેંકી દેવા કરતા પારણામાં મૂકી જાય તેવી આશા સાથે આ પારણું મુકવામાં આવ્યું છે.આ રીતે ત્યજી દીધેલ બાળક ને સિવિલ હોસ્પિટલ દ્વારા સુરક્ષિત રીતે જીલ્લા બાળ સુરક્ષા તંત્રને સોંપી સરકાર દ્વારા બાળકની જવાબદારી લઈ માવજત પૂર્વક ઉછેર કરવામાં આવશે. સિવિલ હોસ્પિટલ દ્વારા પારણામાં મુકનારની ઓળખ જાહેર કરવામાં નહીં આવે તે પ્રકારની સ્પષ્ટ સૂચના લખવામાં આવી છે.

સિવિલ હોસ્પિટલના સુપરીટેન્ડેન્ટ રાકેશ જોષીએ મિર્ચી ન્યુઝ સાથે વાતચીત કરતા જણાવ્યું કે, ભૂતકાળમાં પણ સિવિલ હોસ્પિટલમાં ત્યજી દેવાયેલા બાળકો ખૂબ વિગત સ્થિતિમાં સારવાર માટે આવ્યા છે. બાળકોને બચાવવા પણ મુશ્કેલ હોય છે. આ સ્થિતિમાં બાળકો ન આવે તે માટે આ એક નવી પહેલ છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...