Tuesday, April 28, 2026

અમદાવાદની સિવિલ હોસ્પિટલની અનોખી પહેલ : ત્યજી દેવાતા નવજાત શિશુ માટે મૂકાયું પારણું

spot_img
Share

અમદાવાદ : કોઈપણ દેશનું ભવિષ્ય તે દેશના બાળકોથી સુરક્ષિત થતું હોય છે પરંતુ જ્યાં બાળકો જ સુરક્ષિત નથી તેનું ભાવી કઈ રીતે કલ્પી શકાય? આજ સ્થિતિને જોતા અમદાવાદ અસારવા સિવિલ દ્વારા એક નવો અભિગમ અપનાવવામાં આવ્યો છે. આ અભિગમ છે “પારણું”. જીલ્લા બાળ સુરક્ષા તંત્રની ગાઈડલાઈન અંતર્ગત નવજાત શિશુ માટે અસારવા સિવિલ હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગના પ્રવેશદ્વાર આગળ એક પારણું મુકવામાં આવ્યું છે

અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ દ્વારા અનોખી પહેલ શરૂ કરાઈ છે કે નવજાત બાળકોને માતા-પિતા ત્યજે નહીં તે માટે 1200 બેડ હોસ્પિટલ બહાર એક પારણું મુક્યું છે. બાળકોને ત્યજી દેવાની જગ્યાએ બાળકોને અહીંયા પારણામાં મૂકવામાં આવે તેવી સુપ્રિટેન્ડન્ટે માતા-પિતાને હોસ્પિટલ દ્વારા અપીલ કરાઈ છે.અહીં નવજાતને ત્યજી દેનારની ઓળખ જાહેર કરવામાં નહીં આવે અને બાળકનું સંપૂર્ણ રીતે જતન કરવામાં આવશે. પારણામાં બાળક મુકવા આવનારે બાળકને પારણામાં મુકીને બાજુમાં મુકેલા બેલનું બટન દબાવવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં તરછોડાયેલા નવજાત બાળક ક્રિટીકલ સ્થિતિમાં અહીં સારવાર માટે આવ્યા હોવાથી આ નવો અભિગમ શરૂ કરવામાં આવ્યો છે.

1200 બેડ હોસ્પિટલની બહાર એક પારણું મુકવામાં આવ્યું છે. કોઈ અગમ્ય કારણોસર બાળકને તરછોડી દેવાની અથવા તો તેને કાંટા વચ્ચે ફેંકી દેવા કરતા પારણામાં મૂકી જાય તેવી આશા સાથે આ પારણું મુકવામાં આવ્યું છે.આ રીતે ત્યજી દીધેલ બાળક ને સિવિલ હોસ્પિટલ દ્વારા સુરક્ષિત રીતે જીલ્લા બાળ સુરક્ષા તંત્રને સોંપી સરકાર દ્વારા બાળકની જવાબદારી લઈ માવજત પૂર્વક ઉછેર કરવામાં આવશે. સિવિલ હોસ્પિટલ દ્વારા પારણામાં મુકનારની ઓળખ જાહેર કરવામાં નહીં આવે તે પ્રકારની સ્પષ્ટ સૂચના લખવામાં આવી છે.

સિવિલ હોસ્પિટલના સુપરીટેન્ડેન્ટ રાકેશ જોષીએ મિર્ચી ન્યુઝ સાથે વાતચીત કરતા જણાવ્યું કે, ભૂતકાળમાં પણ સિવિલ હોસ્પિટલમાં ત્યજી દેવાયેલા બાળકો ખૂબ વિગત સ્થિતિમાં સારવાર માટે આવ્યા છે. બાળકોને બચાવવા પણ મુશ્કેલ હોય છે. આ સ્થિતિમાં બાળકો ન આવે તે માટે આ એક નવી પહેલ છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...