Tuesday, April 28, 2026

શાળાના પ્રવાસના નિયમો બનાવાયા કડક, હવે સ્કૂલોએ પ્રવાસ જવા ફરજિયાત લેવી પડશે DEO ની મંજૂરી

spot_img
Share

અમદાવાદ : શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ સ્કૂલોમાંથી પ્રવાસ લઇ જવા માટે નવા 27 નિયમો જાહેર કર્યા છે. જે મુજબ હવે સ્કૂલ સંચાલકોએ શહેરમાં પણ એક દિવસની પિકનિક માટે પણ ફરજિયાત રીતે જીલ્લા શિક્ષણાધિકારીની કચેરીની મંજૂરી લેવી પડશે. જો કોઇ સ્કૂલ સંચાલક મંજૂરી વગર પ્રવાસ કરશે તો તેના પર કડક કાર્યવાહી કરાશે. અત્યાર સુધી સ્કૂલોએ પ્રવાસ માટે લઇ જતા સમયે 14 જેટલા નિયમોનું પાલન કરવું પડતું હતું. જેનું ચેક લિસ્ટ શિક્ષણ વિભાગની સ્થાનિક કચેરી દ્વારા અપાયું હતું.

અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ સ્કૂલોમાંથી પ્રવાસ લઇ જવા માટે નવા 27 નિયમો જાહેર કર્યા છે. જે મુજબ હવે સ્કૂલ સંચાલકોએ શહેરમાં પણ એક દિવસની પિકનિક માટે પણ ફરજિયાત રીતે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીની મંજૂરી લેવી પડશે. જો કોઇ સ્કૂલ સંચાલક મંજૂરી વગર પ્રવાસ કરશે તો તેના પર કડક કાર્યવાહી કરાશે.પ્રવાસ દરમિયાન સ્કૂલ સંચાલકો તરફથી કોઇ બેદરકારી ન રહે અને વિદ્યાર્થીની સુરક્ષા સામે કોઇ જોખમ ઉભુ ન થાય તે માટે હવે શિક્ષણ વિભાગની સ્થાનિક કચેરીઓ દ્વારા પણ નવા નિયમો અમલી કરાયા છે.જે મુજબ અમદાવાદ શહેરે 27 નિયમોનું ચેક લિસ્ટ તૈયાર કર્યું છે.અત્યાર સુધી સ્કૂલોએ પ્રવાસ માટે લઇ જતા સમયે 14 જેટલા નિયમોનું પાલન કરવું પડતું હતું. જેનું ચેક લિસ્ટ શિક્ષણ વિભાગની સ્થાનિક કચેરી દ્વારા અપાયું હતું.

સ્કૂલોએ પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓની સુરક્ષા પહેલી પ્રાથમિકતા હોવી જોઇએ. જેને ધ્યાનમાં રાખીને અમે પ્રવાસ માટે જનારી સ્કૂલોએ પાલન કરવાના નવા નિયમો તૈયાર કર્યા છે. જેમાં હવે સ્થાનિક પિકનિક માટે પણ મંજૂરી લેવી પડશે. જો મંજૂરી વગર જ કોઇ સ્કૂલ પ્રવાસ કરશે તો તાત્કાલિક તેના પર પગલાં લેવાશે…રોહિત ચૌધરી, DEO, અમદાવાદ શહેર

પ્રવાસ માટે આ મુખ્ય નિયમોનું પાલન કરવાનું રહેશે

20 વિદ્યાર્થીએ 1 શિક્ષક, 15 વિદ્યાર્થિનીએ 1 મહિલા શિક્ષિકા જરૂરી.
શૈક્ષણિક મહત્ત્વ ધરાવતાં સ્થળોએ જ પ્રવાસ લઇ જવાનો રહેશે
પ્રવાસ બાદ તમામ ખર્ચની વિગત નોટિસ બોર્ડ પર મુકવી ફરજિયાત
જોખમી સ્થળોની પ્રવાસ માટે મંજૂરી મળશે નહીં
રાત્રી દરમિયાન કોઇપણ સંજોગોમાં મુસાફરી નહીં થઇ શકે
પ્રવાસ દરમિયાન શુદ્ધ પાણી અને ખોરાકની વ્યવસ્થા સ્કૂલે કરવી
વાહનના ફાયરસેફ્ટી સાધનોના ઉપયોગની માહિતી વિદ્યાર્થીને આપવી
પ્રવાસના સ્થળ મુજબ સેફ્ટી સાધનોની વ્યવસ્થા સ્કૂલે કરવી.

પહેલાં અમદાવાદની સ્કૂલો દ્વારા જિલ્લાની બહાર પ્રવાસ ખેડવા માટે ડીઈઓની મંજૂરી લેવી પડતી હતી. પરંતુ જિલ્લાની અંદર જેમ કે, કાંકરિયા, કે રિવરફ્રન્ટ જેવા શહેરની અંદર-અંદરના સ્થળોએ વિદ્યાર્થીઓને પિકનિક લઈ જવા માટે મંજૂરી લેવી પડતી નહોંતી. હવે નિયમ બદલાયા છે તેથી શહેર કે જિલ્લાની અંદર નજીકના સ્થળ પિકનિક માટે પણ પરમિશન ફરજિયાત બનાવાઈ.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...