Wednesday, March 4, 2026

શાળાના પ્રવાસના નિયમો બનાવાયા કડક, હવે સ્કૂલોએ પ્રવાસ જવા ફરજિયાત લેવી પડશે DEO ની મંજૂરી

spot_img
Share

અમદાવાદ : શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ સ્કૂલોમાંથી પ્રવાસ લઇ જવા માટે નવા 27 નિયમો જાહેર કર્યા છે. જે મુજબ હવે સ્કૂલ સંચાલકોએ શહેરમાં પણ એક દિવસની પિકનિક માટે પણ ફરજિયાત રીતે જીલ્લા શિક્ષણાધિકારીની કચેરીની મંજૂરી લેવી પડશે. જો કોઇ સ્કૂલ સંચાલક મંજૂરી વગર પ્રવાસ કરશે તો તેના પર કડક કાર્યવાહી કરાશે. અત્યાર સુધી સ્કૂલોએ પ્રવાસ માટે લઇ જતા સમયે 14 જેટલા નિયમોનું પાલન કરવું પડતું હતું. જેનું ચેક લિસ્ટ શિક્ષણ વિભાગની સ્થાનિક કચેરી દ્વારા અપાયું હતું.

અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ સ્કૂલોમાંથી પ્રવાસ લઇ જવા માટે નવા 27 નિયમો જાહેર કર્યા છે. જે મુજબ હવે સ્કૂલ સંચાલકોએ શહેરમાં પણ એક દિવસની પિકનિક માટે પણ ફરજિયાત રીતે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીની મંજૂરી લેવી પડશે. જો કોઇ સ્કૂલ સંચાલક મંજૂરી વગર પ્રવાસ કરશે તો તેના પર કડક કાર્યવાહી કરાશે.પ્રવાસ દરમિયાન સ્કૂલ સંચાલકો તરફથી કોઇ બેદરકારી ન રહે અને વિદ્યાર્થીની સુરક્ષા સામે કોઇ જોખમ ઉભુ ન થાય તે માટે હવે શિક્ષણ વિભાગની સ્થાનિક કચેરીઓ દ્વારા પણ નવા નિયમો અમલી કરાયા છે.જે મુજબ અમદાવાદ શહેરે 27 નિયમોનું ચેક લિસ્ટ તૈયાર કર્યું છે.અત્યાર સુધી સ્કૂલોએ પ્રવાસ માટે લઇ જતા સમયે 14 જેટલા નિયમોનું પાલન કરવું પડતું હતું. જેનું ચેક લિસ્ટ શિક્ષણ વિભાગની સ્થાનિક કચેરી દ્વારા અપાયું હતું.

સ્કૂલોએ પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓની સુરક્ષા પહેલી પ્રાથમિકતા હોવી જોઇએ. જેને ધ્યાનમાં રાખીને અમે પ્રવાસ માટે જનારી સ્કૂલોએ પાલન કરવાના નવા નિયમો તૈયાર કર્યા છે. જેમાં હવે સ્થાનિક પિકનિક માટે પણ મંજૂરી લેવી પડશે. જો મંજૂરી વગર જ કોઇ સ્કૂલ પ્રવાસ કરશે તો તાત્કાલિક તેના પર પગલાં લેવાશે…રોહિત ચૌધરી, DEO, અમદાવાદ શહેર

પ્રવાસ માટે આ મુખ્ય નિયમોનું પાલન કરવાનું રહેશે

20 વિદ્યાર્થીએ 1 શિક્ષક, 15 વિદ્યાર્થિનીએ 1 મહિલા શિક્ષિકા જરૂરી.
શૈક્ષણિક મહત્ત્વ ધરાવતાં સ્થળોએ જ પ્રવાસ લઇ જવાનો રહેશે
પ્રવાસ બાદ તમામ ખર્ચની વિગત નોટિસ બોર્ડ પર મુકવી ફરજિયાત
જોખમી સ્થળોની પ્રવાસ માટે મંજૂરી મળશે નહીં
રાત્રી દરમિયાન કોઇપણ સંજોગોમાં મુસાફરી નહીં થઇ શકે
પ્રવાસ દરમિયાન શુદ્ધ પાણી અને ખોરાકની વ્યવસ્થા સ્કૂલે કરવી
વાહનના ફાયરસેફ્ટી સાધનોના ઉપયોગની માહિતી વિદ્યાર્થીને આપવી
પ્રવાસના સ્થળ મુજબ સેફ્ટી સાધનોની વ્યવસ્થા સ્કૂલે કરવી.

પહેલાં અમદાવાદની સ્કૂલો દ્વારા જિલ્લાની બહાર પ્રવાસ ખેડવા માટે ડીઈઓની મંજૂરી લેવી પડતી હતી. પરંતુ જિલ્લાની અંદર જેમ કે, કાંકરિયા, કે રિવરફ્રન્ટ જેવા શહેરની અંદર-અંદરના સ્થળોએ વિદ્યાર્થીઓને પિકનિક લઈ જવા માટે મંજૂરી લેવી પડતી નહોંતી. હવે નિયમ બદલાયા છે તેથી શહેર કે જિલ્લાની અંદર નજીકના સ્થળ પિકનિક માટે પણ પરમિશન ફરજિયાત બનાવાઈ.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...