Wednesday, March 4, 2026

અમદાવાદના આ વિસ્તારમાં બનાવાયા સ્માર્ટ પાર્કિંગ, કાર સ્લોટમાં મૂકતા લોક થઈ જશે, જુઓ Video

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં પાર્કિંગની સમસ્યાઓ દિવસે દિવસે ત્રાસ દાયક બનતી જઇ રહી છે. અમદાવાદ મ્યુ. કોર્પોરેશન દ્વારા મલ્ટી સ્ટોરેડ પાર્કિંગ પણ બનાવ્યા છે જ્યારે અમદાવાદના મહત્વના ગણાતા એવા એસ.જી હાઇવે અને સીજી રોડ પર પેડ પાર્કિંગની વ્યવસ્થા છે જેમાં અનેક વખત પાર્કિંગના કર્મચારીઓ સાથે વાહન ચાલકોની માથાકુટ થાય છે તેને ઘ્યાનમાં લઇને AMC દ્વારા હવે અમદાવાદમાં સિંધુ ભવન રોડ પર સ્માર્ટ પાર્કિંગનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Devaki (@rjdevaki)

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદના સિંધુ ભવન રોડ પરના ગોટીલા ગાર્ડન પાસે સ્માર્ટ પાર્કિંગ ઊભા કરવામાં આવ્યા છે. જે ટ્રાફિકની સમસ્યાને નિયંત્રણ કરવા માટે ખૂબ મહત્વના સાબિત થશે. સ્માર્ટ પાર્કિંગ પર મેગ્નેટિક સેન્સર છે. કાર પાર્ક થઈ જાય પછી લાલ રંગની ફ્લેપ ઊંચી થઈ જશે અને વાહન લોક થઈ જશે. સ્માર્ટ પાર્કિંગ પર આપેલો ક્યુઆર કોડ સ્કેન કરવાથી લોક ખુલી જશે. પરંતુ પાંચ મિનિટ સુધીમાં કાર ન લેવાય તો ફરી લોક થઈ જશે. ફ્લેપ ઊંચી હોય અને કાર કાઢવા જાવ તો ટાયરને નુકસાન થશે. અત્યારે સોમવારથી શુક્રવાર દરમિયાન રોજ 20 કાર જ્યારે શનિ-રવિ 50 થી 55 કાર આ સ્માર્ટ પાર્કિંગ પર પાર્ક થાય છે. ક્યુઆર કોડમાં પાર્કિંગ સ્લોટ તેમજ પાર્કિંગના સમયની પણ વિગતો હશે.

હવે આમાં પણ ઓટોમેટિક સિસ્ટમ છે. આ ટેકનોલોજીમાં એ પ્રકારનો પ્રોગ્રામ ફિટ કરવામાં આવ્યો છે કે, પાર્કિંગ સ્લોટ પર કાર મૂકાતા જ સેન્સર ચાલુ થઈ જશે.અને 4 મિનિટની ગણતરી શરૂ થઈ જશે. હવે કાર કાઢવા માટે પીળા રંગના બોક્સ પર આપેલો ક્યુઆર કોડ સ્કેન કરવો પડશે.કોડ સ્કેન થયા પછી ફ્લેપ ફરી નીચે થઈ જશે અને કાર કાઢી શકાશે. કાર પાર્ક કરવી ન હોય તો ચાર મિનિટથી ઓછા સમયમાં નીકળી જવું પડશે. આટલા સમયમાં કાર પાર્કિંગમાંથી કાઢવામાં ન આવે તો લાલ રંગની ફ્લેપ ઊંચી થઈ જશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...