Monday, January 19, 2026

અમદાવાદના આ વિસ્તારમાં બનાવાયા સ્માર્ટ પાર્કિંગ, કાર સ્લોટમાં મૂકતા લોક થઈ જશે, જુઓ Video

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં પાર્કિંગની સમસ્યાઓ દિવસે દિવસે ત્રાસ દાયક બનતી જઇ રહી છે. અમદાવાદ મ્યુ. કોર્પોરેશન દ્વારા મલ્ટી સ્ટોરેડ પાર્કિંગ પણ બનાવ્યા છે જ્યારે અમદાવાદના મહત્વના ગણાતા એવા એસ.જી હાઇવે અને સીજી રોડ પર પેડ પાર્કિંગની વ્યવસ્થા છે જેમાં અનેક વખત પાર્કિંગના કર્મચારીઓ સાથે વાહન ચાલકોની માથાકુટ થાય છે તેને ઘ્યાનમાં લઇને AMC દ્વારા હવે અમદાવાદમાં સિંધુ ભવન રોડ પર સ્માર્ટ પાર્કિંગનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Devaki (@rjdevaki)

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદના સિંધુ ભવન રોડ પરના ગોટીલા ગાર્ડન પાસે સ્માર્ટ પાર્કિંગ ઊભા કરવામાં આવ્યા છે. જે ટ્રાફિકની સમસ્યાને નિયંત્રણ કરવા માટે ખૂબ મહત્વના સાબિત થશે. સ્માર્ટ પાર્કિંગ પર મેગ્નેટિક સેન્સર છે. કાર પાર્ક થઈ જાય પછી લાલ રંગની ફ્લેપ ઊંચી થઈ જશે અને વાહન લોક થઈ જશે. સ્માર્ટ પાર્કિંગ પર આપેલો ક્યુઆર કોડ સ્કેન કરવાથી લોક ખુલી જશે. પરંતુ પાંચ મિનિટ સુધીમાં કાર ન લેવાય તો ફરી લોક થઈ જશે. ફ્લેપ ઊંચી હોય અને કાર કાઢવા જાવ તો ટાયરને નુકસાન થશે. અત્યારે સોમવારથી શુક્રવાર દરમિયાન રોજ 20 કાર જ્યારે શનિ-રવિ 50 થી 55 કાર આ સ્માર્ટ પાર્કિંગ પર પાર્ક થાય છે. ક્યુઆર કોડમાં પાર્કિંગ સ્લોટ તેમજ પાર્કિંગના સમયની પણ વિગતો હશે.

હવે આમાં પણ ઓટોમેટિક સિસ્ટમ છે. આ ટેકનોલોજીમાં એ પ્રકારનો પ્રોગ્રામ ફિટ કરવામાં આવ્યો છે કે, પાર્કિંગ સ્લોટ પર કાર મૂકાતા જ સેન્સર ચાલુ થઈ જશે.અને 4 મિનિટની ગણતરી શરૂ થઈ જશે. હવે કાર કાઢવા માટે પીળા રંગના બોક્સ પર આપેલો ક્યુઆર કોડ સ્કેન કરવો પડશે.કોડ સ્કેન થયા પછી ફ્લેપ ફરી નીચે થઈ જશે અને કાર કાઢી શકાશે. કાર પાર્ક કરવી ન હોય તો ચાર મિનિટથી ઓછા સમયમાં નીકળી જવું પડશે. આટલા સમયમાં કાર પાર્કિંગમાંથી કાઢવામાં ન આવે તો લાલ રંગની ફ્લેપ ઊંચી થઈ જશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...