Tuesday, January 13, 2026

અમદાવાદમાં પ્રિ-પ્રાયમરી સ્કૂલની નોંધણી સામે શાળા સંચાલક મંડળનો વિરોધ, હાલ રજીસ્ટ્રેશન ન કરાવવા સૂચન

spot_img
Share

અમદાવાદ : પ્રિ-પ્રાયમરી સ્કૂલને લઈને રાજ્ય સરકારે નવી શિક્ષણનીતિ લાગુ થયા બાદ નવી પોલિસી બનાવી છે. જેમાં પ્રિ-પ્રાઇમરી એટલે કે જુનિયર કે.જીથી અને બાલવાટિકા સુધીના વર્ગોને પ્રાથમિક શિક્ષણમાં સમાવી લેવાયા છે તેને સરકારે ગત મહિનામાં ખાનગી પ્રિ-પ્રાયમરી સ્કૂલોના રજીસ્ટ્રેશન મંજૂરી, નામંજૂરી અને રેગ્યુલેશન મોનીટરિંગ માટેનું નોટિફિકેશન કર્યું હતું. જોકે અત્યાર સુધી રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરાઈ ન હતી, પરંતુ સરકારના નવા ઠરાવ મુજબ પ્રાથમિક શિક્ષણ નિયામકની રેગ્યુલેશન ઓથોરિટીઝ દ્વારા ઓનલાઇન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઈ છે. પરંતુ રાજ્યના સંચાલકો આ પ્રિ-પ્રાયમરી રજીસ્ટ્રેશન પ્રક્રિયાનો વિરોધ નોંધાવી રહ્યા છે અને હાલ પૂરતું નોંધણી ના કરવા માટે થઈને આદેશ કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ રાજ્યના ત્રણ મહામંડળો ઓનલાઇન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા વિરોધ કરી રહ્યા છે. આ ત્રણ મંડળોમાં ગુજરાત રાજ્ય સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ, ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ અને અખિલ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ છે. મહામંડળોનું કહેવું છે કે સરકારે અમને વિશ્વાસમાં લીધા વગર આ નિર્ણય કર્યો છે. તેમજ શાળાની નોંધણી હોય પરંતુ વર્ગની નોંધણીના હોય તેમ જ વર્ગદીઠ જે 5000 રૂપિયા રજીસ્ટ્રેશન પેટે લેવાની વાત છે તો એક શાળામાં એક વર્ગ ચાલે છે, તો એ શાળાને 5000 ભરવા પડશે પણ ૧૦ વર્ગ ચાલે છે તો 50,000 રૂપિયા ભરવા પડશે. તેથી શાળાની નોંધણી હોય પરંતુ વર્ગોની નોધણી ના હોવા પર તેમનો વિરોધ છે.

મહામંડળના વિરોધનો બીજો મુદ્દો એ છે કે પ્રી-પ્રાઇમરી સ્કૂલ અને બાલમંદિર શાળા મામલે જો 15 વર્ષનો ભાડા કરાર સબ રજીસ્ટ્રાર પાસે નોંધાયેલો હોવો જોઈએ તેવી વાત કરવામાં આવી છે. એવી જૂની શાળાઓ છે જેની પાસે માન્ય પ્રાથમિક શાળાઓ માન્ય માધ્યમિક શાળા કે ઉચ્ચતર માધ્યમિક શાળા ચાલે છે તેઓને તો કોઈ પ્રશ્ન ઊભો નહીં થાય. પરંતુ જેટલા બાલ મંદિરો છે હકીકતમાં તેમાંથી મોટાભાગના બાલ મંદિરો વિધવા કે ત્યક્તા બહેનોએ શરૂ કાર્ય હશે. તેમને આ મુશ્કેલીનો સામનો કરવો પડશે.કેમ કે કોઈપણ મકાન માલિક 15 વર્ષ માટે સહી સિક્કાના કરી આપે તેવા સંજોગોમાં મોટી સમસ્યા સર્જાઈ શકે છે.

વિરોધની ત્રીજી બાબત એ છે કે રાજ્ય સરકારે મહામંડળો સાથે સલાહ સૂચન ના લેતા તેમને વિશ્વાસમાં લીધા વગર સરકારે આવો નિર્ણય લીધો છે. આ બધા કારણોના લીધે હાલ સંચાલકો રોષે ભરાયા છે અને તેઓ અત્યારે હાલ શરૂ થતી રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં હાલ પૂરતું નોંધણી ના કરવા માટે થઈને આદેશ કર્યો છે સંચાલકો સરકાર સાથે આ મુદ્દે બેઠક કરશે અને આ પરિપત્ર ને પાછો ખેંચવા અપીલ કરશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...

અંબાજી શક્તિપીઠમાં ઈતિહાસ બદલાયો: હવે આઠમની મહાપૂજાના દર્શન તમામ ભક્તો કરી શકશે!

અંબાજી : શક્તિપીઠ અંબાજી મંદિરને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અંબાજી મંદિર સ્થાપના બાદનો અત્યાર સુધીનો સૌથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે....