Thursday, March 12, 2026

અમદાવાદમાં પ્રિ-પ્રાયમરી સ્કૂલની નોંધણી સામે શાળા સંચાલક મંડળનો વિરોધ, હાલ રજીસ્ટ્રેશન ન કરાવવા સૂચન

spot_img
Share

અમદાવાદ : પ્રિ-પ્રાયમરી સ્કૂલને લઈને રાજ્ય સરકારે નવી શિક્ષણનીતિ લાગુ થયા બાદ નવી પોલિસી બનાવી છે. જેમાં પ્રિ-પ્રાઇમરી એટલે કે જુનિયર કે.જીથી અને બાલવાટિકા સુધીના વર્ગોને પ્રાથમિક શિક્ષણમાં સમાવી લેવાયા છે તેને સરકારે ગત મહિનામાં ખાનગી પ્રિ-પ્રાયમરી સ્કૂલોના રજીસ્ટ્રેશન મંજૂરી, નામંજૂરી અને રેગ્યુલેશન મોનીટરિંગ માટેનું નોટિફિકેશન કર્યું હતું. જોકે અત્યાર સુધી રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરાઈ ન હતી, પરંતુ સરકારના નવા ઠરાવ મુજબ પ્રાથમિક શિક્ષણ નિયામકની રેગ્યુલેશન ઓથોરિટીઝ દ્વારા ઓનલાઇન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઈ છે. પરંતુ રાજ્યના સંચાલકો આ પ્રિ-પ્રાયમરી રજીસ્ટ્રેશન પ્રક્રિયાનો વિરોધ નોંધાવી રહ્યા છે અને હાલ પૂરતું નોંધણી ના કરવા માટે થઈને આદેશ કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ રાજ્યના ત્રણ મહામંડળો ઓનલાઇન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા વિરોધ કરી રહ્યા છે. આ ત્રણ મંડળોમાં ગુજરાત રાજ્ય સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ, ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ અને અખિલ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ છે. મહામંડળોનું કહેવું છે કે સરકારે અમને વિશ્વાસમાં લીધા વગર આ નિર્ણય કર્યો છે. તેમજ શાળાની નોંધણી હોય પરંતુ વર્ગની નોંધણીના હોય તેમ જ વર્ગદીઠ જે 5000 રૂપિયા રજીસ્ટ્રેશન પેટે લેવાની વાત છે તો એક શાળામાં એક વર્ગ ચાલે છે, તો એ શાળાને 5000 ભરવા પડશે પણ ૧૦ વર્ગ ચાલે છે તો 50,000 રૂપિયા ભરવા પડશે. તેથી શાળાની નોંધણી હોય પરંતુ વર્ગોની નોધણી ના હોવા પર તેમનો વિરોધ છે.

મહામંડળના વિરોધનો બીજો મુદ્દો એ છે કે પ્રી-પ્રાઇમરી સ્કૂલ અને બાલમંદિર શાળા મામલે જો 15 વર્ષનો ભાડા કરાર સબ રજીસ્ટ્રાર પાસે નોંધાયેલો હોવો જોઈએ તેવી વાત કરવામાં આવી છે. એવી જૂની શાળાઓ છે જેની પાસે માન્ય પ્રાથમિક શાળાઓ માન્ય માધ્યમિક શાળા કે ઉચ્ચતર માધ્યમિક શાળા ચાલે છે તેઓને તો કોઈ પ્રશ્ન ઊભો નહીં થાય. પરંતુ જેટલા બાલ મંદિરો છે હકીકતમાં તેમાંથી મોટાભાગના બાલ મંદિરો વિધવા કે ત્યક્તા બહેનોએ શરૂ કાર્ય હશે. તેમને આ મુશ્કેલીનો સામનો કરવો પડશે.કેમ કે કોઈપણ મકાન માલિક 15 વર્ષ માટે સહી સિક્કાના કરી આપે તેવા સંજોગોમાં મોટી સમસ્યા સર્જાઈ શકે છે.

વિરોધની ત્રીજી બાબત એ છે કે રાજ્ય સરકારે મહામંડળો સાથે સલાહ સૂચન ના લેતા તેમને વિશ્વાસમાં લીધા વગર સરકારે આવો નિર્ણય લીધો છે. આ બધા કારણોના લીધે હાલ સંચાલકો રોષે ભરાયા છે અને તેઓ અત્યારે હાલ શરૂ થતી રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં હાલ પૂરતું નોંધણી ના કરવા માટે થઈને આદેશ કર્યો છે સંચાલકો સરકાર સાથે આ મુદ્દે બેઠક કરશે અને આ પરિપત્ર ને પાછો ખેંચવા અપીલ કરશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...