27.6 C
Gujarat
Wednesday, October 23, 2024

હવે રોકેટગતિએ થશે હાઉસીંગના મકાનોનું રિડેવલપમેન્ટ ! 100 ટકા પેનલ્ટી માફીની મુદત લંબાવાઈ

Share

ગાંધીનગર : ગુજરાત હાઉસીંગ બોર્ડ તથા સ્લમ કલીયરન્સ સેલની યોજનાઓમાં “મુખ્યમંત્રી પ્રોત્સાહક વળતર યોજના” અંતર્ગત 100 ટકા પેનલ્ટી માફીની મુદત તા. 30 સપ્ટેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી. તેની સાથે રાજ્યમાં હાઉસિંગ બોર્ડના જૂના મકાનો રિડેવલપમેન્ટ દ્વારા ડેવલપમેન્ટને વેગ મળશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંવેદનાસ્પર્શી અભિગમ અપનાવીને બાકી હપ્તાની રકમ ભરપાઇ કર્યેથી 100 ટકા પેનલ્ટી માફી યોજના “મુખ્યમંત્રી પ્રોત્સાહક વળતર યોજના” ને 30 સપ્ટેમ્બર 2024 સુધીના સમય સુધી લંબાવાઈ. આ નિર્ણયથી ગુજરાત હાઉસીંગ બોર્ડ તથા સ્લમ ક્લીયરન્સ સેલની જુની યોજનાઓમાં 61,310 જેટલા બાકી રહેતા લાભાર્થીઓના પરિવારજનોને પણ લાભ મળી શકશે. ફક્ત એટલું જ નહિ, સમય-મર્યાદામાં હપ્તા ભરપાઇ ન કરી શકનારા લાભાર્થીઓ માટે પણ વાર્ષિક આઠ ટકા વ્યાજના દરે પેનલ્ટીની જોગવાઇને લીધે બાકી પેનલ્ટીના વ્યાજમાં પણ ઘટાડો કરવાનો અભૂતપૂર્વ નિર્ણય મુખ્યમંત્રીએ કર્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ પ્રજાલક્ષી નિર્ણયથી ગુજરાત હાઉસિંગ બોર્ડના બાકી હપ્તાની વસૂલાત થશે અને જૂના-જર્જરિત મકાનોના રિડેવલપમેન્ટ માટેનો માર્ગ મોકળો બનશે તેમજ નવા મકાનોના આયોજન હાથ ધરી શકાશે. આ ઉપરાંત મકાન ધારકોને પેનલ્ટી માફી મળતાં હપ્તા પેટેની રકમ ભરીને પોતાનો માલિકી દસ્તાવેજ કરાવી શકશે. આના પરિણામે હાઉસિંગ બોર્ડના જૂના મકાનોનું રિડેવલપમેન્‍ટ પણ હાથ ધરી શકાશે.

તમને જણાવી દઈએ કે આ અગાઉ પણ હાઉસિંગ બોર્ડના જુના આવાસોના રિડેવલપમેન્ટને વેગ આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મહત્વપૂર્ણ જન હિતકારી નિર્ણયો લીધા છે. ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા વસૂલવામાં આવતી ટ્રાન્સફર ફી, વહીવટી ચાર્જ અને અન અધિકૃત બાંધકામની વપરાશ ફી ની રકમમાં મકાન ધારકોને રાહત આપવામાં આવી છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles