Thursday, February 5, 2026

અમદાવાદમાં વધુ એક કાફે વિવાદમાં, વેજિટેબલ બર્ગરને બદલે નોનવેજ બર્ગર પીરસાતા ગ્રાહકે મચાવ્યો હોબાળો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદની વધુ એક રેસ્ટોરન્ટની કથિત બેદરકારી સામે આવી છે. જેનો વીડિયો પણ વાયરલ થયો છે.આ ઘટના શહેરના ગુલબાઇ ટેકરા પાસે આવેલી મોકા કાફેની છે. યુવતી પરિવાર સાથે મોકા કાફેમાં જમવા ગયાં હતાં. જ્યાં તેમણે વેજ બર્ગરનો ઓર્ડર આપ્યો હતો. પરંતુ તેની જગ્યાએ તેમને નોનવેજ પેટીસ વાળો બર્ગર પીરસી દેવામાં આવતાં હોબાળો મચી ગયો હતો.જેથી ગ્રાહકે આ સમગ્ર ઘટના અંગે AMCને ફરિયાદ કરી હતી.આ મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફૂડ વિભાગમાં ફરિયાદ કરતા તેઓએ માત્ર રૂ.5 હજારનો દંડ ફટકાર્યો હતો.

પ્રાપ્ત મીડિયા રિપોર્ટ મુજબ, શહેરના ગુલબાઇ ટેકરા પાસે આવેલી મોકા કાફેમાં એક યુવતી તેની મિત્ર સાથે જમવા ગઇ હતી. વેજીટેબલ પેટીસ બર્ગરનો ઓર્ડર આપ્યો હતો. યુવતીએ જમવાનું શરૂ કર્યું, ત્યારે જમવાનું શંકાસ્પદ લાગ્યું હતું. શંકાસ્પદ જમવાનું ચેક કરતાની સાથે જ તેના હોશ ઊડી ગયા હતા. કારણ કે, અંદરથી ચિકન નીકળ્યું હતું. આ અંગે રેસ્ટોરન્ટના મેનેજરને વાત કરી ત્યારે તેને કબૂલ્યું હતું. પરંતુ કોઈ જવાબ આપ્યો નહોતો. યુવતીના કહેવા પ્રમાણે ઉલ્ટાનું તેણે ચિકન બર્ગરની પ્લેટ ગ્રાહકને ખાવા માટે પાછી મોકલી હતી. જે બાદ યુવતીએ આ સમગ્ર ઘટનાનો વીડિયો રેકોર્ડ કરતાં મેનેજરે પોતાની ભૂલ સ્વીકારી હતી.

 

View this post on Instagram

 

A post shared by mirchinews (@mirchinews)

યુવતીએ જ્યારે વીડિયો રેકોર્ડ કરવાનું શરૂ કર્યુ ત્યાં સુધીમાં મેનેજરે નોનવેજ બર્ગરની પ્લેટ સગેવગે કરી દીધી હતી. જ્યારે યુવતીએ ડસ્ટબિનમાં નાંખેલી તે પ્લેટ પાછી માગી ત્યારે મેનેજરે કહ્યું કે, ડસ્ટબિન પણ ફેંકી દેવામાં આવ્યું છે. આ રીતે વેજના બદલે નોનવેજ પીરસવામાં આવ્યું હોવાના પુરાવા સગેવગે કરીને મેનેજરે ગોળગોળ વાતો કરી હતી.

આ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગને ફરિયાદ કરી હતી. ફૂડ વિભાગની ટીમ દ્વારા ત્યાં તપાસ કરી માત્ર રૂ.5 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. રેસ્ટોરન્ટ દ્વારા કરવામાં આવેલી આ ભૂલના કારણે યુવતીઓને નોનવેજ બર્ગર ખાવું પડ્યું હતું.

આ અગાઉ પણ અમદાવાદની ક્લબ O7ની રેસ્ટોરાંએ બ્રાહ્મણ ફેમિલીને નોનવેજ પીરસ્યું હતું. તેમને શાકાહારીને વેજને બદલે મુર્ગ મખ્ખનવાલા જમાડ્યું હતું. આ ઉપરાંત તાજેતરમાં જ આશ્રમરોડ ઉપર આવેલી ફેરફીલ્ડ બાય મેરીયોટ હોટલના સુપમાંથી જીવાત નીકળતા ગ્રાહકે એએમસીના ફુડ વિભાગને ફરિયાદ કરી હતી. ગ્રાહકની ફરિયાદ બાદ AMCના ફુડ વિભાગે હોટલને કલોઝર નોટિસ આપી કીચનને સીલ કર્યુ હતુ.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...