Wednesday, September 17, 2025

અમદાવાદમાં વધુ એક કાફે વિવાદમાં, વેજિટેબલ બર્ગરને બદલે નોનવેજ બર્ગર પીરસાતા ગ્રાહકે મચાવ્યો હોબાળો

Share

Share

અમદાવાદ : અમદાવાદની વધુ એક રેસ્ટોરન્ટની કથિત બેદરકારી સામે આવી છે. જેનો વીડિયો પણ વાયરલ થયો છે.આ ઘટના શહેરના ગુલબાઇ ટેકરા પાસે આવેલી મોકા કાફેની છે. યુવતી પરિવાર સાથે મોકા કાફેમાં જમવા ગયાં હતાં. જ્યાં તેમણે વેજ બર્ગરનો ઓર્ડર આપ્યો હતો. પરંતુ તેની જગ્યાએ તેમને નોનવેજ પેટીસ વાળો બર્ગર પીરસી દેવામાં આવતાં હોબાળો મચી ગયો હતો.જેથી ગ્રાહકે આ સમગ્ર ઘટના અંગે AMCને ફરિયાદ કરી હતી.આ મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફૂડ વિભાગમાં ફરિયાદ કરતા તેઓએ માત્ર રૂ.5 હજારનો દંડ ફટકાર્યો હતો.

પ્રાપ્ત મીડિયા રિપોર્ટ મુજબ, શહેરના ગુલબાઇ ટેકરા પાસે આવેલી મોકા કાફેમાં એક યુવતી તેની મિત્ર સાથે જમવા ગઇ હતી. વેજીટેબલ પેટીસ બર્ગરનો ઓર્ડર આપ્યો હતો. યુવતીએ જમવાનું શરૂ કર્યું, ત્યારે જમવાનું શંકાસ્પદ લાગ્યું હતું. શંકાસ્પદ જમવાનું ચેક કરતાની સાથે જ તેના હોશ ઊડી ગયા હતા. કારણ કે, અંદરથી ચિકન નીકળ્યું હતું. આ અંગે રેસ્ટોરન્ટના મેનેજરને વાત કરી ત્યારે તેને કબૂલ્યું હતું. પરંતુ કોઈ જવાબ આપ્યો નહોતો. યુવતીના કહેવા પ્રમાણે ઉલ્ટાનું તેણે ચિકન બર્ગરની પ્લેટ ગ્રાહકને ખાવા માટે પાછી મોકલી હતી. જે બાદ યુવતીએ આ સમગ્ર ઘટનાનો વીડિયો રેકોર્ડ કરતાં મેનેજરે પોતાની ભૂલ સ્વીકારી હતી.

 

View this post on Instagram

 

A post shared by mirchinews (@mirchinews)

યુવતીએ જ્યારે વીડિયો રેકોર્ડ કરવાનું શરૂ કર્યુ ત્યાં સુધીમાં મેનેજરે નોનવેજ બર્ગરની પ્લેટ સગેવગે કરી દીધી હતી. જ્યારે યુવતીએ ડસ્ટબિનમાં નાંખેલી તે પ્લેટ પાછી માગી ત્યારે મેનેજરે કહ્યું કે, ડસ્ટબિન પણ ફેંકી દેવામાં આવ્યું છે. આ રીતે વેજના બદલે નોનવેજ પીરસવામાં આવ્યું હોવાના પુરાવા સગેવગે કરીને મેનેજરે ગોળગોળ વાતો કરી હતી.

આ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગને ફરિયાદ કરી હતી. ફૂડ વિભાગની ટીમ દ્વારા ત્યાં તપાસ કરી માત્ર રૂ.5 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. રેસ્ટોરન્ટ દ્વારા કરવામાં આવેલી આ ભૂલના કારણે યુવતીઓને નોનવેજ બર્ગર ખાવું પડ્યું હતું.

આ અગાઉ પણ અમદાવાદની ક્લબ O7ની રેસ્ટોરાંએ બ્રાહ્મણ ફેમિલીને નોનવેજ પીરસ્યું હતું. તેમને શાકાહારીને વેજને બદલે મુર્ગ મખ્ખનવાલા જમાડ્યું હતું. આ ઉપરાંત તાજેતરમાં જ આશ્રમરોડ ઉપર આવેલી ફેરફીલ્ડ બાય મેરીયોટ હોટલના સુપમાંથી જીવાત નીકળતા ગ્રાહકે એએમસીના ફુડ વિભાગને ફરિયાદ કરી હતી. ગ્રાહકની ફરિયાદ બાદ AMCના ફુડ વિભાગે હોટલને કલોઝર નોટિસ આપી કીચનને સીલ કર્યુ હતુ.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...