Saturday, April 25, 2026

અમદાવાદમાં વધુ એક કાફે વિવાદમાં, વેજિટેબલ બર્ગરને બદલે નોનવેજ બર્ગર પીરસાતા ગ્રાહકે મચાવ્યો હોબાળો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદની વધુ એક રેસ્ટોરન્ટની કથિત બેદરકારી સામે આવી છે. જેનો વીડિયો પણ વાયરલ થયો છે.આ ઘટના શહેરના ગુલબાઇ ટેકરા પાસે આવેલી મોકા કાફેની છે. યુવતી પરિવાર સાથે મોકા કાફેમાં જમવા ગયાં હતાં. જ્યાં તેમણે વેજ બર્ગરનો ઓર્ડર આપ્યો હતો. પરંતુ તેની જગ્યાએ તેમને નોનવેજ પેટીસ વાળો બર્ગર પીરસી દેવામાં આવતાં હોબાળો મચી ગયો હતો.જેથી ગ્રાહકે આ સમગ્ર ઘટના અંગે AMCને ફરિયાદ કરી હતી.આ મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફૂડ વિભાગમાં ફરિયાદ કરતા તેઓએ માત્ર રૂ.5 હજારનો દંડ ફટકાર્યો હતો.

પ્રાપ્ત મીડિયા રિપોર્ટ મુજબ, શહેરના ગુલબાઇ ટેકરા પાસે આવેલી મોકા કાફેમાં એક યુવતી તેની મિત્ર સાથે જમવા ગઇ હતી. વેજીટેબલ પેટીસ બર્ગરનો ઓર્ડર આપ્યો હતો. યુવતીએ જમવાનું શરૂ કર્યું, ત્યારે જમવાનું શંકાસ્પદ લાગ્યું હતું. શંકાસ્પદ જમવાનું ચેક કરતાની સાથે જ તેના હોશ ઊડી ગયા હતા. કારણ કે, અંદરથી ચિકન નીકળ્યું હતું. આ અંગે રેસ્ટોરન્ટના મેનેજરને વાત કરી ત્યારે તેને કબૂલ્યું હતું. પરંતુ કોઈ જવાબ આપ્યો નહોતો. યુવતીના કહેવા પ્રમાણે ઉલ્ટાનું તેણે ચિકન બર્ગરની પ્લેટ ગ્રાહકને ખાવા માટે પાછી મોકલી હતી. જે બાદ યુવતીએ આ સમગ્ર ઘટનાનો વીડિયો રેકોર્ડ કરતાં મેનેજરે પોતાની ભૂલ સ્વીકારી હતી.

 

View this post on Instagram

 

A post shared by mirchinews (@mirchinews)

યુવતીએ જ્યારે વીડિયો રેકોર્ડ કરવાનું શરૂ કર્યુ ત્યાં સુધીમાં મેનેજરે નોનવેજ બર્ગરની પ્લેટ સગેવગે કરી દીધી હતી. જ્યારે યુવતીએ ડસ્ટબિનમાં નાંખેલી તે પ્લેટ પાછી માગી ત્યારે મેનેજરે કહ્યું કે, ડસ્ટબિન પણ ફેંકી દેવામાં આવ્યું છે. આ રીતે વેજના બદલે નોનવેજ પીરસવામાં આવ્યું હોવાના પુરાવા સગેવગે કરીને મેનેજરે ગોળગોળ વાતો કરી હતી.

આ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગને ફરિયાદ કરી હતી. ફૂડ વિભાગની ટીમ દ્વારા ત્યાં તપાસ કરી માત્ર રૂ.5 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. રેસ્ટોરન્ટ દ્વારા કરવામાં આવેલી આ ભૂલના કારણે યુવતીઓને નોનવેજ બર્ગર ખાવું પડ્યું હતું.

આ અગાઉ પણ અમદાવાદની ક્લબ O7ની રેસ્ટોરાંએ બ્રાહ્મણ ફેમિલીને નોનવેજ પીરસ્યું હતું. તેમને શાકાહારીને વેજને બદલે મુર્ગ મખ્ખનવાલા જમાડ્યું હતું. આ ઉપરાંત તાજેતરમાં જ આશ્રમરોડ ઉપર આવેલી ફેરફીલ્ડ બાય મેરીયોટ હોટલના સુપમાંથી જીવાત નીકળતા ગ્રાહકે એએમસીના ફુડ વિભાગને ફરિયાદ કરી હતી. ગ્રાહકની ફરિયાદ બાદ AMCના ફુડ વિભાગે હોટલને કલોઝર નોટિસ આપી કીચનને સીલ કર્યુ હતુ.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...