Tuesday, September 16, 2025

અમદાવાદમાં GT VS RCBનો ક્રિકેટજંગ, 18 નંબરની જર્સીમાં કોહલીના ફેન્સનો સ્ટેડિયમમાં જમાવડો

Share

Share

અમદાવાદ : અમદાવાદમાં મોદી સ્ટેડિયમમાં IPLની 17મી સિઝનમાં આજરોજ 28 એપ્રિલના ગુજરાત ટાઈટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમ વચ્ચે મુકાબલો ખેલાઈ રહ્યો છે. આ મેચને લઈ ક્રિકેટરસિકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેમાં ગુજરાતની ટીમ પ્રથમ બેટિંગ કરી રહ્યું છે. રવિવારની રજા હોવાથી મોટી સંખ્યામાં ક્રિકેટ ફેન્સ ગરમીમાં પણ મેચ જોવા આવ્યા છે. જેમાં ખાસ કરીને 18 નંબરની જર્સીમાં ફેન્સ વધુ જોવા મળી રહ્યા છે.

મેચ શરૂ થઇ ત્યારે ક્રિકેટ ફેન્સ ખાસ કરીને વિરાટ કોહલીને સપોર્ટ કરી રહ્યા હોય તેમ 18 નંબરની જર્સીમાં જોવા મળ્યા હતા. મેચ ચાલુ થઈ ગઈ છતાં પણ લોકોની ભીડ સ્ટેડિયમ બહાર યથાવત્ છે. મોટી સંખ્યામાં હજુ સ્ટેડિયમમાં એન્ટ્રી કરી રહ્યા છે.મેચ શરૂ થઈ ગઈ હોવાના કારણે જેટલા લોકો સ્ટેડિયમની બહાર ઊભા છે, તે તમામ લોકોને પોલીસ દ્વારા ટિકિટ હોય તો સ્ટેડિયમમાં જલ્દીથી પ્રવેશ મેળવી લેવા માટે કહેવામાં આવ્યું છે. જે લોકો પાસે ટિકિટ નથી તે તમામ લોકોને સ્ટેડિયમના ગેટ પાસેથી દૂર કરવામાં આવી રહ્યા છે.

મેચ શરૂ થવાના ગણતરીની મિનિટો પહેલા પણ મેટ્રોમાં પ્રેક્ષકોની ભારે ભીડ જોવા મળી છે. મેટ્રોમાં સહેજ પણ જગ્યા ન હોવા છતાં પણ ભીડમાં લોકો સ્ટેડિયમ પહોંચવા માટે આતુર છે. મેટ્રોમાં લોકો હળવા મૂડમાં, વિરાટ કોહલી અને શુભમનગીરના નામના નારા લગાવ્યા હતાં. આ સાથે જ કેટલાક લોકો ભાજપ-ભાજપના પણ નારા લગાવ્યાં હતાં.

ઉલ્લેખનીય છે કે, આઈપીએલ 2024માં બેંગ્લોર ટીમું પ્રદર્શન ખરાબ રહ્યું છે. જોકે, વિરાટ કોહલીએ સૌથી વધુ રન બનાવવાના મામલે ટોપ પર છે. ટીમ 9 મેચમાંથી 2 મેચમાં જ જીત મેળવી શકી છે. જ્યારે ગુજરાતની ટીમ 9 મેચમાંથી 4 મેચ જીતવામાં સફળ રહ્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...