Saturday, January 24, 2026

દિલ્હી બાદ અમદાવાદની અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની મળી ધમકી મળતા ખળભળાટ

spot_img
Share

અમદાવાદ : દિલ્હીની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી બાદ ગુજરાતના અમદાવાદમાં બોમ્બની ધમકીથી ખળભળાટ મચી ગયો છે. અમદાવાદની આઠ શાળાઓને ધમકીભર્યા ઈમેલ મળ્યા છે, જેમાં તેમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ધમકીભર્યો મેલ એક રશિયન હેન્ડલર તરફથી આવ્યો છે. આ ઈમેલ બાદ પોલીસ સતર્ક થઈ ગઈ છે અને શાળાઓમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.

દિલ્હી જેવી ઘટનાનું પુનરાવર્તન ગુજરાતમાં થયું છે. એક રિપોર્ટ મુજબ, અમદાવાદની 19 જેટલી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની એક બાદ એક સ્કૂલોને ઇ-મેઈલ દ્વારા ધમકી મળી છે. ધમકીવાળી સ્કૂલો પર પોલીસે જઈ ચેકિંગ હાથ ધર્યું છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ પણ ઘટનાસ્થળે પહોંચી છે. રશિયન સર્વરમાંથી ધમકી આવ્યાનું પ્રાથમિક અનુમાન છે. દિલ્હીની માફક એક પછી એક સ્કૂલમાં ઇ-મેઇલ આવી રહ્યા છે. અમદાવાદનું પોલીસતંત્ર સાબદું થયું છે. જોકે, પોલીસ અધિકારીઓને તમામ સ્કૂલની તપાસમાં કોઇ શંકાસ્પદ વસ્તુ મળી નહોતી. દિલ્હીમાં અનેક સ્કૂલોને ધમકી મળ્યા પછી ધમકી પોકળ પુરવાર થઈ હતી.

મતદાનના આગલા દિવસે જ અમદાવાદની 19 સ્કૂલને ધમકીભર્યો ઇ-મેઈલ મળતા તંત્ર કામે લાગી ગયું છે. બોમ્બથી ઉડાવવાની ધમકી હિન્દી ભાષામાં મળી છે, જે મેસેજ ઇંગ્લિશ લિપિમાં મળ્યા છે. એક બાદ એક સ્કૂલ ઉમેરાતી જાય છે. તમામ સ્કૂલોને સવારના 6 વાગ્યા એક જ પ્રકારના ઇ-મેઈલ મોકલવામાં આવ્યા છે. અમદાવાદની સ્કૂલોને મળેલા ઇ-મેઈલનું કન્ટેન્ટ દિલ્હીમાં મળેલા ઇ-મેઈલ જેવું જ છે.

એક રિપોર્ટ મુજબ, અમદાવાદની આ સ્કૂલોને મળી હતી ધમકી
ઓએનજીસી કેન્દ્રીય વિદ્યાલય ચાંદખેડા ઝોન- 2
એશિયા ઈંગ્લિશ સ્કૂલ વસ્ત્રાપુર ઝોન- 1
અમૃતા વિદ્યાલય ઘાટલોડિયા ઝોન- 1
કેલોરેક્ષ સ્કૂલ ઘાટલોડિયા ઝોન- 1
ન્યૂ નોબલ સ્કૂલ વ્યાસવાડી, નરોડા
ડી.પી.એસ, બોપલ
આનંદ નિકેતન, સેટેલાઇટ
ઉદગમ સ્કૂલ
ઝેબર સ્કૂલ
આર્મી કેન્ટોન્મેન્ટ (કેન્દ્રીય વિદ્યાલય), એરપોર્ટ રોડ
નારાયણગુરૂ
એચબીકે સ્કૂલ
ટર્ફ સકૂલ, નારણપુરા
કુમકુમ વિદ્યાલય, ઘોડાસર
કેન્દ્રીય વિદ્યાલય, સાબરમતી –
ગ્રીનલોન્સ સ્કૂલ, વટવા –
ગ્લોબલ ઈન્ટરનેશનલ, બોપલ –
LDR ઈન્ટરનેશનલ સ્કૂલ, બોપલ –
ત્રિપદા સ્કૂલ, ઘાટલોડિયા

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...