Wednesday, January 21, 2026

અમદાવાદમાં દારૂની હેરાફેરી સામે SMCનો સપાટો, આ વિસ્તારોમાંથી 4.83 લાખની 2941 બોટલો પકડી

spot_img
Share

અમદાવાદ : ડ્રાઈ સ્ટેટ કહેવાતા ગુજરાતમાં દારૂબંધી હોવા છતા અનેકવાર દારૂની રેલમછેલ જોવા મળે છે, ત્યારે ખુલ્લેઆમ દારૂની હેરાફેરીના કિસ્સા સામે આવતા હોય છે ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા છેલ્લા બે દિવસમા અમદાવાદમાં અલગ અલગ સ્થળે સનાથલ, છારોડી અને નારણપુરામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 4.83 લાખની કિંમતની 2941 બોટલો ઝડપી પાડી છે. આ કેસમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે આઠ લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યાં છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ સ્ટેટ મોનિટરિંગ સેલ SMCએ ગત 16મી મેના રોજ સરદાર પટેલ રિંગ રોડ પર આવેલી સનાથલ ટોલ ટેક્સ પાસેથી વિદેશી દારૂની 965 બોટલો પકડી હતી. જેની કિંમત 1.16 લાખ થાય છે, તે ઉપરાંત બે મોબાઈલ અને 2500 રૂપિયાની રોકડ અને વાહન સહિત કુલ 6.43 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. SMCએ આ કેસમાં રાજસ્થાનના ડુંગરરામ જાટ અને સુરેશ જાટની ધરપકડ કરી હતી. જ્યારે પ્રવિણ જાટ સહિત અન્ય બે લોકોને વોન્ટેડ જાહેર કર્યા હતાં.

આજે 17મી એ SMCએ શહેરમાં એસજી હાઈવે પર આવેલ છારોડી પાટીયા પાસેથી વિદેશી દારૂની 1910 બોટલો પકડી હતી. જેની કિંમત 2.40 લાખ થાય છે. SMCએ દારૂ સહિત એક વાહન પણ કબજે કર્યું હતું અને કુલ મુદ્દામાલ 10 લાખનો જપ્ત કર્યો હતો. આ રેડમાં ટોયોટા ઈનોવામાં આવેલા ડ્રાઈવર સહિત ચાર લોકોને વોન્ટેડ જાહેર કર્યાં છે.

આજે 17મી એ SMCએ આ ઉપરાંત નારણપુરા રેલવે ક્રોસિંગ પાસે પણ SMCએ રેડ કરી હતી. જ્યાંથી વિદેશી દારૂની 1.26 લાખની કિંમતની 66 બોટલો કબજે કરી હતી. તે ઉપરાંત એક વાહન અને મોબાઈલ સહિત કુલ 4.56 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે સાગર નામના વ્યક્તિને વોન્ટેડ જાહેર કરાયો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...