Thursday, September 18, 2025

અમદાવાદમાં દારૂની હેરાફેરી સામે SMCનો સપાટો, આ વિસ્તારોમાંથી 4.83 લાખની 2941 બોટલો પકડી

Share

Share

અમદાવાદ : ડ્રાઈ સ્ટેટ કહેવાતા ગુજરાતમાં દારૂબંધી હોવા છતા અનેકવાર દારૂની રેલમછેલ જોવા મળે છે, ત્યારે ખુલ્લેઆમ દારૂની હેરાફેરીના કિસ્સા સામે આવતા હોય છે ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા છેલ્લા બે દિવસમા અમદાવાદમાં અલગ અલગ સ્થળે સનાથલ, છારોડી અને નારણપુરામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 4.83 લાખની કિંમતની 2941 બોટલો ઝડપી પાડી છે. આ કેસમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે આઠ લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યાં છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ સ્ટેટ મોનિટરિંગ સેલ SMCએ ગત 16મી મેના રોજ સરદાર પટેલ રિંગ રોડ પર આવેલી સનાથલ ટોલ ટેક્સ પાસેથી વિદેશી દારૂની 965 બોટલો પકડી હતી. જેની કિંમત 1.16 લાખ થાય છે, તે ઉપરાંત બે મોબાઈલ અને 2500 રૂપિયાની રોકડ અને વાહન સહિત કુલ 6.43 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. SMCએ આ કેસમાં રાજસ્થાનના ડુંગરરામ જાટ અને સુરેશ જાટની ધરપકડ કરી હતી. જ્યારે પ્રવિણ જાટ સહિત અન્ય બે લોકોને વોન્ટેડ જાહેર કર્યા હતાં.

આજે 17મી એ SMCએ શહેરમાં એસજી હાઈવે પર આવેલ છારોડી પાટીયા પાસેથી વિદેશી દારૂની 1910 બોટલો પકડી હતી. જેની કિંમત 2.40 લાખ થાય છે. SMCએ દારૂ સહિત એક વાહન પણ કબજે કર્યું હતું અને કુલ મુદ્દામાલ 10 લાખનો જપ્ત કર્યો હતો. આ રેડમાં ટોયોટા ઈનોવામાં આવેલા ડ્રાઈવર સહિત ચાર લોકોને વોન્ટેડ જાહેર કર્યાં છે.

આજે 17મી એ SMCએ આ ઉપરાંત નારણપુરા રેલવે ક્રોસિંગ પાસે પણ SMCએ રેડ કરી હતી. જ્યાંથી વિદેશી દારૂની 1.26 લાખની કિંમતની 66 બોટલો કબજે કરી હતી. તે ઉપરાંત એક વાહન અને મોબાઈલ સહિત કુલ 4.56 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે સાગર નામના વ્યક્તિને વોન્ટેડ જાહેર કરાયો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...