Wednesday, March 4, 2026

અમદાવાદીઓ માટે સારા સમાચાર, રિવરફ્રન્ટના 10 કિમી રુટ પર દોડશે AMTSની AC બસ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે વધતી જઈ રહી છે. ટ્રાફિકથી ત્રસ્ત અનેક લોકો હવે પરિવહન માટે પોતાના વાહનને બદલે જાહેર પરિવહન સેવાઓનો ઉપયોગ કરવાનું વધારે પસંદ કરવા લાગ્યા છે. ત્યારે હવે AMC એ રિવરફ્રન્ટ પર ઈલેક્ટ્રિક એસી AMTS બસ 5 જૂનથી દોડાવવાનો નિર્ણય લીધો છે. આ બસ વાસણા ટર્મિનસથી ઉપડી ચંદ્રનગર થી રિવરફ્રન્ટમાં પ્રવેશ કરશે અને વાડજ સ્મશાન પાસેથી બહાર નીકળી વાડજ ટર્મિનસ સુધી જશે. રિવરફ્રન્ટ પર એનઆઈડી, ફ્લાવર પાર્ક, વલ્લભસદન, ઉસ્માનપુરા ગાર્ડન સહિતના સ્ટોપ પર બસ ઊભી રહેશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદ શહેરમાં હવે રિવરફ્રન્ટના 10 કિમી રુટ પર AMTS AC બસની સુવિધા શરૂ કરવા જઈ રહી છે. રિવરફ્રન્ટના 10 કિમી રુટ પર બંને બાજુ એક છેડેથી બીજા છેડા સુધી આ AC બસ દોડશે. આ સમગ્ર રૂટ 10 કિલોમીટરનો છે તેમાંથી 8 કિલોમીટર રિવરફ્રન્ટ પરનો હશે. બસ દિવસની 10 ટ્રીપ મારશે. બસમાં 28 પેસેન્જરોની ક્ષમતા હશે. બસ સર્વિસ શરૂ થયા પછી રિવરફ્રન્ટ આવતાં લોકોને લાબું ચાલવું નહીં.આ સુવિધા 5 જૂનથી શરૂ થશે. રિવરફ્રન્ટ પર વાહન ન લઈને ફરવા જવા ઇચ્છતા લોકો માટે આ બસ સુવિધા ઘણી લાભદાયક રહેશે.

મેટ્રોનો ઉપયોગ કરવા માટે લોકો પાસે પાર્કિંગ અથવા તો તે સ્થળ સુધી પહોંચવાનો યોગ્ય વિકલ્પ નથી. પોતાનું વાહન લઇને જાય તો વાહન ક્યાં મુકે તે પણ મોટો સવાલ હોય છે? જેથી હવે 4થી 5 મેટ્રો સ્ટેશન પરથી ફીડર બસ શરૂ કરાશે. ફીડર બસો શરૂ થયા પછી લોકો ઘર નજીકથી બસમાં બેસીને મેટ્રો સ્ટેશન સુધી પહોંચી શકશે. કયા સ્ટેશન પર ફીડર બસ દોડાવવામાં આવશે તે હજુ જાહેર કરાયું નથી.

અમદાવાદ શહેરમાં AMTS આ 7 રુટ ડબલ ડેકર AC ઇલેક્ટ્રિક બસ દોડાવી રહી છે.

વાસણાથી ચાંદખેડા
લાલદરવાજા થી શીલજ
સારંગપુર થી સિંગરવા પાટિયા
નરોડાથી લાંભા ક્રોસરોડ
લાલ દરવાજાથી બોપલ વકીલ સાહેબ બ્રિજ
ઇસ્નાપુરથી રાણીપ
લાલ દરવાજાથી વસ્ત્રાલ
શહેરમાં 30 વર્ષ પછી ચાલુ થયેલી ડબલ ડેક્ટર બસને મુસાફરોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...