Sunday, January 18, 2026

અમદાવાદીઓ માટે સારા સમાચાર, રિવરફ્રન્ટના 10 કિમી રુટ પર દોડશે AMTSની AC બસ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે વધતી જઈ રહી છે. ટ્રાફિકથી ત્રસ્ત અનેક લોકો હવે પરિવહન માટે પોતાના વાહનને બદલે જાહેર પરિવહન સેવાઓનો ઉપયોગ કરવાનું વધારે પસંદ કરવા લાગ્યા છે. ત્યારે હવે AMC એ રિવરફ્રન્ટ પર ઈલેક્ટ્રિક એસી AMTS બસ 5 જૂનથી દોડાવવાનો નિર્ણય લીધો છે. આ બસ વાસણા ટર્મિનસથી ઉપડી ચંદ્રનગર થી રિવરફ્રન્ટમાં પ્રવેશ કરશે અને વાડજ સ્મશાન પાસેથી બહાર નીકળી વાડજ ટર્મિનસ સુધી જશે. રિવરફ્રન્ટ પર એનઆઈડી, ફ્લાવર પાર્ક, વલ્લભસદન, ઉસ્માનપુરા ગાર્ડન સહિતના સ્ટોપ પર બસ ઊભી રહેશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદ શહેરમાં હવે રિવરફ્રન્ટના 10 કિમી રુટ પર AMTS AC બસની સુવિધા શરૂ કરવા જઈ રહી છે. રિવરફ્રન્ટના 10 કિમી રુટ પર બંને બાજુ એક છેડેથી બીજા છેડા સુધી આ AC બસ દોડશે. આ સમગ્ર રૂટ 10 કિલોમીટરનો છે તેમાંથી 8 કિલોમીટર રિવરફ્રન્ટ પરનો હશે. બસ દિવસની 10 ટ્રીપ મારશે. બસમાં 28 પેસેન્જરોની ક્ષમતા હશે. બસ સર્વિસ શરૂ થયા પછી રિવરફ્રન્ટ આવતાં લોકોને લાબું ચાલવું નહીં.આ સુવિધા 5 જૂનથી શરૂ થશે. રિવરફ્રન્ટ પર વાહન ન લઈને ફરવા જવા ઇચ્છતા લોકો માટે આ બસ સુવિધા ઘણી લાભદાયક રહેશે.

મેટ્રોનો ઉપયોગ કરવા માટે લોકો પાસે પાર્કિંગ અથવા તો તે સ્થળ સુધી પહોંચવાનો યોગ્ય વિકલ્પ નથી. પોતાનું વાહન લઇને જાય તો વાહન ક્યાં મુકે તે પણ મોટો સવાલ હોય છે? જેથી હવે 4થી 5 મેટ્રો સ્ટેશન પરથી ફીડર બસ શરૂ કરાશે. ફીડર બસો શરૂ થયા પછી લોકો ઘર નજીકથી બસમાં બેસીને મેટ્રો સ્ટેશન સુધી પહોંચી શકશે. કયા સ્ટેશન પર ફીડર બસ દોડાવવામાં આવશે તે હજુ જાહેર કરાયું નથી.

અમદાવાદ શહેરમાં AMTS આ 7 રુટ ડબલ ડેકર AC ઇલેક્ટ્રિક બસ દોડાવી રહી છે.

વાસણાથી ચાંદખેડા
લાલદરવાજા થી શીલજ
સારંગપુર થી સિંગરવા પાટિયા
નરોડાથી લાંભા ક્રોસરોડ
લાલ દરવાજાથી બોપલ વકીલ સાહેબ બ્રિજ
ઇસ્નાપુરથી રાણીપ
લાલ દરવાજાથી વસ્ત્રાલ
શહેરમાં 30 વર્ષ પછી ચાલુ થયેલી ડબલ ડેક્ટર બસને મુસાફરોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...