Tuesday, January 13, 2026

અમદાવાદ રૂરલની ટીમે 1st રનર્સ અપનું સ્થાન પ્રાપ્ત કર્યું, રાજ્યકક્ષાની અંડર 14 ફૂટબોલ ટુર્નામેન્ટ યોજાઈ

spot_img
Share

અમદાવાદ : ગુજરાત સરકારના રમત ગમત વિભાગ તથા યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત ખેલ મહાકુંભ પૈકીની અંડર 14 ફૂટબોલ ટુર્નામેન્ટની લિગ મેચનું આયોજન ભાવનગર ખાતે આવેલ સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ખાતે તા.3/6/24 થી 12/6/24 દરમિયાન કરવામાં આવ્યું હતું.

આ ટુર્નામેન્ટમાં અમદાવાદ રૂરલ vs વડોદરા શહેર વચ્ચે ફાઇનલ રમાઈ હતી, જેમાં વડોદરા શહેરની ટીમ વિજેતા બની અને અમદાવાદ રૂરલની ટીમે 1st રનર્સ અપનું સ્થાન પ્રાપ્ત કર્યું. રૂરલ કક્ષાએ પણ 1st રનર્સ અપ બનનાર ટીમ બની શ્રેષ્ઠ દેખાવ કરનાર ટીમના કોચ સુ. શ્રી.રીના રાવતના કહેવા મુજબ જો ગ્રામ્ય વિસ્તારના ખેલાડીને પણ યોગ્ય માર્ગદર્શન અને પ્રોત્સાહન મળે, તો તૅ પ્રત્યેક ખેલાડી પોતાની ખેલ ક્ષમતાને ઉજાગર કરીને એક ઉત્કૃષ્ટ ટીમ બની શકે છે.. અને આજે ફૂટબોલ જેવી રમતને જરૂર છે આવા ખેલાડીઓની કે જે નાના નાના બાળકોમાં પણ ફૂટબોલની રમત પ્રત્યે આકર્ષણ કેળવે અને ભાવિમાં દેશનું આંતરરાષ્ટ્રીય કક્ષાએ નેતૃત્વ કરે.

માત્ર ક્રિકેટ કે હોકીમાં પોતાનું નામ ઉજળું કરનાર આપણો દેશ જો ફૂટબોલની રમતમાં પણ કાઠું કાઢવા ઈચ્છે તો ગ્રામ્ય, શહેર, રાજ્ય અને દેશ એમ દરેક કક્ષાએ સરકાર, સ્પોર્ટસ એકેડમી, ખેલાડીનું દ્રઢ મનોબળ એમ સહિયરો પ્રયાસ હાથ ધરવો અનિવાર્ય છે. અને આવી ટુર્નામેન્ટ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...

અંબાજી શક્તિપીઠમાં ઈતિહાસ બદલાયો: હવે આઠમની મહાપૂજાના દર્શન તમામ ભક્તો કરી શકશે!

અંબાજી : શક્તિપીઠ અંબાજી મંદિરને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અંબાજી મંદિર સ્થાપના બાદનો અત્યાર સુધીનો સૌથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે....