Wednesday, March 4, 2026

નવા વાડજ સહિત આ 27 સ્થળે ઈલેક્ટ્રિક વાહનો માટે ઈ-ચાર્જિંગ સ્ટેશન સ્થપાશે

spot_img
Share

અમદાવાદ : શહેરોમાં વધી રહેલા વાયુ પ્રદૂષણના ઉપાય તરીકે અને પેટ્રોલ-ડિઝલના ઊંચા ભાવની સામે ઇલેક્ટ્રિક વાહનનો હવે ઉપયોગ વધી રહ્યો છે. અમદાવાદમાં ઇલેક્ટ્રીક વ્હીકલેની સંખ્યા દીવસે ને દિવસે વધી રહી છે પરંતુ વાહનનોના પ્રમાણમાં જાહેર ઇ-ચાર્જિંગ સ્ટેશનો ઓછા હોવાથી કેટલાક મહિનાઓથી આવા સ્ટેશનો વધારવાની ફરિયાદ ઉઠી હતી જેને પગલે મનપા દ્વારા શહેરમાં વધુ 27 ઇ-ચાર્જિગ સ્ટેશન ઉભા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા PPP ધોરણે 12 જગ્યાએ ઇ-ચાર્જિગ સ્ટેશન શરૂ કર્યા છે. હવે વધુ 27 સ્થળોએ PPP ધોરણે ઈવી ચાર્જિંગ સ્ટેશન શરૂ કરાશે. આ માટે સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત મૂકવામાં આવી છે. અદાણી ટોટલ એનર્જી ઈ-મોબિલિટીએ 24 જગ્યા અને EVamp ટેક્નોલોજીએ 3 સ્થળે સ્ટેશન શરૂ કરવાની ઓફર મૂકી છે. પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 13 સ્થળોએ અને દક્ષિણ ઝોનમાં ફક્ત 1 સ્થળે ઇ-ચાર્જિગ સ્ટેશન બનાવાશે. મોબિલેન દ્વારા શરૂ કરાયેલા ચાર્જિંગ સ્ટેશન પર 16 રૂપિયા પ્રતિ યુનિટના દરે ચાર્જ લેવાય છે અને 18 ટકા જીએસટી અલગથી લાગે છે.

ઇલેક્ટ્રિક વાહનના ચાર્જ કરવાઆ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાર્જિંગ સ્ટેશન સ્થાપવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. જેમાંઆ 17 જેટલી સંસ્થાઓના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. કંપનીઓ દ્વારા મુકવામાં આવેલા ભાવને લઈને સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત મુકવામાં આવી છે.

સ્થળ

પત્રકાર કોલોની પાસે, નારણપુરા
ગોયલ ટાવરની, નવરંગપુરા
અંજલી પુલની નીચે
આંબેડકર બ્રિજની નીચે, વાસણા
શ્રેયસ બ્રિજની નીચે, પાલડી
સ્માર્ટસિટી કંટ્રોલ સેન્ટર, પાલડી
સિન્થેટિક ગાર્ડન, મકરબા
શિવરંજની ફ્લાયઓવરની નીચ
અસલાલી સર્કલ પાસે
ડાયમંડ સ્ક્વેરની સામ
મેમ્કો ચાર રસ્તા
સીમ્સ હોસ્પિટલ રેલવે બ્રિજ

સ્થળ
શાહીબાગ-લાડલાપીર બ્રિજ
રાયપુર મલ્ટીલેવલ પાર્કિંગ
મનમોહન ક્રોસ રોડ
શેલ્બી હોસ્પિટલ, નિકોલ
અક્ષર રેસિડેન્સી, નિકોલ
ગોમતીપુર સબઝોનલ ઓફિસ
વિશ્વકર્મા એન્જિ. કોલેજ સામે
સૃષ્ટિ આર્કેડની સામે, ચાંદખેડા
ચાંદખેડા સીએચસીની સામે
રાણીપ સબઝોનલ ઓફિસ
નવા વાડજ સબઝોનલ ઓફિસ
હનુમાન મંદિર સામે, સોલા રોડ

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...