Friday, January 23, 2026

નવા વાડજ સહિત આ 27 સ્થળે ઈલેક્ટ્રિક વાહનો માટે ઈ-ચાર્જિંગ સ્ટેશન સ્થપાશે

spot_img
Share

અમદાવાદ : શહેરોમાં વધી રહેલા વાયુ પ્રદૂષણના ઉપાય તરીકે અને પેટ્રોલ-ડિઝલના ઊંચા ભાવની સામે ઇલેક્ટ્રિક વાહનનો હવે ઉપયોગ વધી રહ્યો છે. અમદાવાદમાં ઇલેક્ટ્રીક વ્હીકલેની સંખ્યા દીવસે ને દિવસે વધી રહી છે પરંતુ વાહનનોના પ્રમાણમાં જાહેર ઇ-ચાર્જિંગ સ્ટેશનો ઓછા હોવાથી કેટલાક મહિનાઓથી આવા સ્ટેશનો વધારવાની ફરિયાદ ઉઠી હતી જેને પગલે મનપા દ્વારા શહેરમાં વધુ 27 ઇ-ચાર્જિગ સ્ટેશન ઉભા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા PPP ધોરણે 12 જગ્યાએ ઇ-ચાર્જિગ સ્ટેશન શરૂ કર્યા છે. હવે વધુ 27 સ્થળોએ PPP ધોરણે ઈવી ચાર્જિંગ સ્ટેશન શરૂ કરાશે. આ માટે સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત મૂકવામાં આવી છે. અદાણી ટોટલ એનર્જી ઈ-મોબિલિટીએ 24 જગ્યા અને EVamp ટેક્નોલોજીએ 3 સ્થળે સ્ટેશન શરૂ કરવાની ઓફર મૂકી છે. પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 13 સ્થળોએ અને દક્ષિણ ઝોનમાં ફક્ત 1 સ્થળે ઇ-ચાર્જિગ સ્ટેશન બનાવાશે. મોબિલેન દ્વારા શરૂ કરાયેલા ચાર્જિંગ સ્ટેશન પર 16 રૂપિયા પ્રતિ યુનિટના દરે ચાર્જ લેવાય છે અને 18 ટકા જીએસટી અલગથી લાગે છે.

ઇલેક્ટ્રિક વાહનના ચાર્જ કરવાઆ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાર્જિંગ સ્ટેશન સ્થાપવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. જેમાંઆ 17 જેટલી સંસ્થાઓના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. કંપનીઓ દ્વારા મુકવામાં આવેલા ભાવને લઈને સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત મુકવામાં આવી છે.

સ્થળ

પત્રકાર કોલોની પાસે, નારણપુરા
ગોયલ ટાવરની, નવરંગપુરા
અંજલી પુલની નીચે
આંબેડકર બ્રિજની નીચે, વાસણા
શ્રેયસ બ્રિજની નીચે, પાલડી
સ્માર્ટસિટી કંટ્રોલ સેન્ટર, પાલડી
સિન્થેટિક ગાર્ડન, મકરબા
શિવરંજની ફ્લાયઓવરની નીચ
અસલાલી સર્કલ પાસે
ડાયમંડ સ્ક્વેરની સામ
મેમ્કો ચાર રસ્તા
સીમ્સ હોસ્પિટલ રેલવે બ્રિજ

સ્થળ
શાહીબાગ-લાડલાપીર બ્રિજ
રાયપુર મલ્ટીલેવલ પાર્કિંગ
મનમોહન ક્રોસ રોડ
શેલ્બી હોસ્પિટલ, નિકોલ
અક્ષર રેસિડેન્સી, નિકોલ
ગોમતીપુર સબઝોનલ ઓફિસ
વિશ્વકર્મા એન્જિ. કોલેજ સામે
સૃષ્ટિ આર્કેડની સામે, ચાંદખેડા
ચાંદખેડા સીએચસીની સામે
રાણીપ સબઝોનલ ઓફિસ
નવા વાડજ સબઝોનલ ઓફિસ
હનુમાન મંદિર સામે, સોલા રોડ

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...