Friday, January 23, 2026

ન્યુ રાણીપ સહિત આ સ્થળોએથી લાયસન્સ વિનાના 50થી વધુ ઢોર જપ્ત, બોડી વોર્ન કેમેરા સાથે ઢોરોની તપાસ

spot_img
Share

અમદાવાદ : આજે મ્યુનિસિપલ કોર્પોરેશનના CNCD વિભાગ દ્વારા સવારથી જ વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત શહેરના વિવિધ ઝોનમાં અલગ અલગ વિસ્તારોમાં સાંજ સુધીમાં 50 થી વધુ લાયસન્સ વિનાના ઢોર પકડવામાં આવ્યા હતા.ચેકિંગ દરમ્યાન સ્થળ તપાસ માટે ગયેલા અધિકારીઓને કર્મચારીઓ પર પણ ચેકિંગ પર નજર રાખવા કેમેરા લગાવાયા હતા.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના CNCD વિભાગ દ્વારા હવે બોડીવોર્ન કેમેરા સાથે આજે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ન્યુ રાણીપ, ચેનપુર, કાળીગામ, રામોલ, નાના ચિલોડા, ઓઢવ, કઠવાડા, મોટેરા, ચાંદખેડા, સાબરમતી, વસ્ત્રાપુર, મકરબા સહિતના વિસ્તારોમાં સાંજ સુધીમાં 50 થી વધુ લાયસન્સ વિનાના ઢોર પકડવામાં આવ્યા હતા.જેનું સીધું મોનિટરિંગ CNCD વિભાગની ઓફિસમાં કરવામાં આવ્યું હતું. જો કોઈપણ વ્યક્તિ દ્વારા ઘર્ષણ કરવામાં આવે તો તાત્કાલિક તેના સામે કાર્યવાહી કરવા અને સ્થળ તપાસ માટે ગયેલા અધિકારીઓને કર્મચારીઓ પર પણ ચેકિંગ પર નજર રાખવા કેમેરા લગાવાયા હતા.

​​​​​​​ગુજરાત હાઇકોર્ટ દ્વારા ફટકાર બાદ અમદાવાદમાં રખડતા ઢોર નિયંત્રણ પોલિસી લાવવામાં આવી હતી. જે અંતર્ગત જે પણ નાગરિક પશુ રાખવા માંગતા હોય તેમણે લાયસન્સ લેવું ફરજિયાત કરવામાં આવ્યું હતું. 4 મહિનાથી આ પોલિસીનો અમલ કરવામાં આવી રહ્યો છે. જોકે, શહેરમાં ફરી એકવાર કેટલીક જગ્યાએ છૂટાછવાયા ઢોર રખડતા જોવા મળ્યા હતા તેમજ લાયસન્સ વિનાના ઢોર હોવા અંગેની માહિતી મળી હતી. જેથી આજે CNCD વિભાગ દ્વારા વિવિધ ટીમો બનાવી અને લાયસન્સ વિનાના ઢોર અંગેની ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેઓને બોડી વોર્ન કેમેરા પણ આપવામાં આવ્યા હતા.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના CNCD વિભાગ દ્વારા ચાલુ મહિનામાં 229 જ્યારે વર્ષ દરમિયાન 1199 ઢોર પકડવામાં આવ્યા હતા. દક્ષિણ ઝોન, પૂર્વ ઝોન અને પશ્ચિમ ઝોનમાં ઢોર પકડવાની કામગીરી દરમિયાન સ્થાનિક અને પશુપાલકો સાથે ઘર્ષણ પણ થયા હતા. જેમાં પોલીસની મદદ લઈ અને ઢોર પકડી ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. ઢોર નિયંત્રણ પોલિસી અંતર્ગત અસલી માલિકોને લાયસન્સ લેવાની સૂચના આપી હોવા છતાં પણ જો લાઇસન્સ નહીં હોય તો તેમના ઢોર જપ્ત કરી લેવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...