Wednesday, March 4, 2026

અમદાવાદમાં મેટ્રો સ્ટેશન પરથી 20 વર્ષના યુવકે મોતની છલાંગ લગાવી કરી આત્મહત્યા, કારણ અકબંધ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ વસ્ત્રાલના મહાદેવ નગર મેટ્રો રેલવે સ્ટેશન પરથી આજે 20 વર્ષના યુવકે કૂદીને આત્મહત્યા કરી છે. અમરાઈવાડી વિસ્તારમાં રહેતો આ યુવક સવારે મહાદેવ નગર મેટ્રો સ્ટેશન પાસે પહોંચ્યો હતો અને તેને ઉપરથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. સમગ્ર બનાવવાની જાણ થતા રામોલ પોલીસ બનાવવાના સ્થળે પહોંચી હતી અને હાલ આ સમગ્ર મામલે અકસ્માતે મોત નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદના અમરાઈવાડીમાં આવેલી કાદરી વકીલની ચાલીમાં રહેતા 20 વર્ષના ધ્રુવ પરમારે આજે સવારે મેટ્રો સ્ટેશન પરથી કૂદકો મારીને આત્મત્યા કરી લીધી હતી. મેટ્રો સ્ટેશન પર પહોંચ્યા બાદ ધ્રુવ પરમારે અંદાજે 40 ફૂટ ઊંચેથી કૂદકો માર્યો હતો. જેના કારણે તે નીચે પડતા તેને ગંભીર રહ્યા થઈ હતી. આ બનાવની જાણ થતા 108 ઇમર્જન્સી સર્વિસ જાણ કરવામાં આવી હતી અને આસપાસના લોકો મદદ માટે પહોંચ્યા ત્યારે ધ્રુવનું મોત નીપજ્યું હતું.

આ બનાવની જાણ થયા બાદ રામોલ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને હાલ ધ્રુવ પરમારે કયા કારણસર આત્મહત્યા કરી તે જાણવા માટે પ્રયાસ કરી રહ્યા છે તેની પાસેથી કોઈ સુસાઇડ નોટ હતી કે નહીં તે શોધવાનો પણ પોલીસ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે જ્યારે આ વાતની જાણ થતા મૃતકના પરિવારજનો બનાવના સ્થળે પહોંચ્યા હતા અને ખૂબ જ કરુણ દ્રશ્યો સર્જાયા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...