Saturday, January 17, 2026

અમદાવાદમાં મેટ્રો ટ્રેન પ્રોજેક્ટને લીધે બંધ કરાયેલો આ રોડ ચાલુ થતાં હજુ 4 મહિના લાગશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ અને ગાંધીનગર ટ્વીનસિટી ગણાય છે. બન્ને શહેરો વચ્ચે મેટ્રો ટ્રેનનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. ગિફ્ટ સિટીથી મોટેરા સુધીનો મેટ્રોનો ટ્રાયલ રન પણ પૂર્ણ થઈ ગયો છે. મેટ્રોની કામગીરીને કારણે તપોવન સર્કલથી કોબા સુધીનો માર્ગ છેલ્લાં લાંબા સમયથી તંત્ર દ્વારા બંધ કરવામાં આવેલ છે. જેથી કરીને બંને શહેરો વચ્ચે પરિવહન કરતાં લાખો વાહનચાલકોને અસર થવા પામી છે.

નર્મદા કેનાલ પરથી મેટ્રો પસાર કરવા માટે તંત્ર દ્વારા કેબલ સ્ટ્રેઈડ બ્રિજ બાંધવાનો હોવાથી તપોવનથી કોબા સુધીનો અંદાજિત 4 કિમીનો રોડ લાંબા સમયથી બંધ કરવામાં આવેલ છે. તાજેતરમાં જ મેટ્રો દ્વારા કેનાલ પર બાંધેલા કેબલ સ્ટ્રેઈડ બ્રિજ પર લોડ ટેસ્ટીંગ પણ કરવામાં આવેલ છે. ઉપરાંત આગામી માસથી મેટ્રો શરૂ થવાની શક્યતાં પણ રહેલી છે. પરંતુ તપોવનથી કોબા સુધીનો રોડ શરૂ થવામાં અંદાજિત 4 માસ સુધીનો સમય લાગવાની શક્યતાં છે.

તપોવનથી કોબા તરફનો માર્ગ બંધ હોવાથી વાહનચાલકો ઝુંડાલ થઈને વાયા અડાલજ ગાંધીનગરમાં પ્રવેશ મેળવતાં હોય છે. રાજસ્થાન સર્કલ પાસે બ્રિજની કામગીરી શરૂ હોવાથી ત્યાં પણ ભારે ટ્રાફિક જોવાં મળતો હોય છે. ઉપરાંત ઝુંડાલથી ત્રિમંદિર સુધી 8 લેઈન રોડની કામગીરી શરૂ હોવાથી રોડની સાઈડો ખોદી નાંખેલ હોવાને કારણે આ માર્ગે પણ ભારે ટ્રાફિક જોવાં મળે છે. કામના કલાકો દરમિયાન અંદાજિત 5 કિમીના રૂટ તેમજ અડાલજ સર્કલ પર ટ્રાફિકની સમસ્યા વકરી છે.

મેટ્રો શરૂ થયા બાદ આ રૂટ પર રોડ રિસરફેસ કામગીરી હાથ ધરવામાં આવશે. ચોમાસા દરમિયાન રોડ નિર્માણની શક્યતા નહિવત છે. આ ઉપરાંત રોડ પર આવતાં મેટ્રો સ્ટેશનની કામગીરી પણ પ્રગતિ હેઠળ હોવાથી વાહન ચાલકોને હજું પણ વૈકલ્પિક માર્ગ અપનાવવાની ફરજ પડશે. રોજ અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે અપડાઉન કરતાં વાહનચાલકોને ચોમાસા દરમિયાન ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...