Thursday, March 12, 2026

અમદાવાદમાં મેટ્રો ટ્રેન પ્રોજેક્ટને લીધે બંધ કરાયેલો આ રોડ ચાલુ થતાં હજુ 4 મહિના લાગશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ અને ગાંધીનગર ટ્વીનસિટી ગણાય છે. બન્ને શહેરો વચ્ચે મેટ્રો ટ્રેનનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. ગિફ્ટ સિટીથી મોટેરા સુધીનો મેટ્રોનો ટ્રાયલ રન પણ પૂર્ણ થઈ ગયો છે. મેટ્રોની કામગીરીને કારણે તપોવન સર્કલથી કોબા સુધીનો માર્ગ છેલ્લાં લાંબા સમયથી તંત્ર દ્વારા બંધ કરવામાં આવેલ છે. જેથી કરીને બંને શહેરો વચ્ચે પરિવહન કરતાં લાખો વાહનચાલકોને અસર થવા પામી છે.

નર્મદા કેનાલ પરથી મેટ્રો પસાર કરવા માટે તંત્ર દ્વારા કેબલ સ્ટ્રેઈડ બ્રિજ બાંધવાનો હોવાથી તપોવનથી કોબા સુધીનો અંદાજિત 4 કિમીનો રોડ લાંબા સમયથી બંધ કરવામાં આવેલ છે. તાજેતરમાં જ મેટ્રો દ્વારા કેનાલ પર બાંધેલા કેબલ સ્ટ્રેઈડ બ્રિજ પર લોડ ટેસ્ટીંગ પણ કરવામાં આવેલ છે. ઉપરાંત આગામી માસથી મેટ્રો શરૂ થવાની શક્યતાં પણ રહેલી છે. પરંતુ તપોવનથી કોબા સુધીનો રોડ શરૂ થવામાં અંદાજિત 4 માસ સુધીનો સમય લાગવાની શક્યતાં છે.

તપોવનથી કોબા તરફનો માર્ગ બંધ હોવાથી વાહનચાલકો ઝુંડાલ થઈને વાયા અડાલજ ગાંધીનગરમાં પ્રવેશ મેળવતાં હોય છે. રાજસ્થાન સર્કલ પાસે બ્રિજની કામગીરી શરૂ હોવાથી ત્યાં પણ ભારે ટ્રાફિક જોવાં મળતો હોય છે. ઉપરાંત ઝુંડાલથી ત્રિમંદિર સુધી 8 લેઈન રોડની કામગીરી શરૂ હોવાથી રોડની સાઈડો ખોદી નાંખેલ હોવાને કારણે આ માર્ગે પણ ભારે ટ્રાફિક જોવાં મળે છે. કામના કલાકો દરમિયાન અંદાજિત 5 કિમીના રૂટ તેમજ અડાલજ સર્કલ પર ટ્રાફિકની સમસ્યા વકરી છે.

મેટ્રો શરૂ થયા બાદ આ રૂટ પર રોડ રિસરફેસ કામગીરી હાથ ધરવામાં આવશે. ચોમાસા દરમિયાન રોડ નિર્માણની શક્યતા નહિવત છે. આ ઉપરાંત રોડ પર આવતાં મેટ્રો સ્ટેશનની કામગીરી પણ પ્રગતિ હેઠળ હોવાથી વાહન ચાલકોને હજું પણ વૈકલ્પિક માર્ગ અપનાવવાની ફરજ પડશે. રોજ અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે અપડાઉન કરતાં વાહનચાલકોને ચોમાસા દરમિયાન ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...