Friday, May 1, 2026

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ચાલનારી ફ્લોટિંગ રેસ્ટોરાં કરાઈ બંધ, જાણો શું છે કારણ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે સાબરમતી નદીમાં ચાલનારી ફ્લોટિંગ રેસ્ટોરાં બંધ કરવામાં આવી છે. નદીનું લેવલ ઘટતા તેમજ જળકુંભીને કારણે ટેમ્પરરી રેસ્ટોરાં બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.જળકુંભીને દૂર કરવા વાર્ષિક એક કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ નદીમાં હજી સુધી સફાઈ કરવામાં આવી નથી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ સાબરમતી નદીમાં ફ્લોટિંગ રેસ્ટોરાં અક્ષર રિવરક્રૂઝ દ્વારા ચલાવવામાં આવે છે. પરંતુ હાલ ફ્લોટિંગ રેસ્ટોરાં બંધ કરાવવામાં આવી છે. પરિણામે મુલાકાતીઓ ફ્લોટિંગ રેસ્ટોરાંની મજા માણી શકશે નહીં.સાબરમતી નદીમાં ઠેર ઠેર જળકુંભી વનસ્પતિ પથરાઈ જતા ફ્લોટિંગ રેસ્ટોરાંની સેવા બંધ કરવાનો વારો આવ્યો છે. નદીમાં પાણીનું લેવલ ઘટતા તેમ જ જળકુંભીનાં સામ્રાજ્યના કારણ ફ્લોટિંગ રેસ્ટોરાં હાલ પૂરતું બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. પરિણામે, થોડા દિવસ માટે શહેરીજનો ફ્લોટિંગ રેસ્ટોરાંની મજા માણી શકશે નહીં.

અમદાવાદની સાબરમતી નદીમાં જળકુંભીનું સામ્રાજ્ય કોર્પોરેશન માટે માથાનો દુ:ખાવો બની ગયો છે. સાબરમતી નદીમાં જળકુંભીને દૂર કરવા વાર્ષિક એક કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવે છે, તેમ છતાં નદીમાં હજી સુધી સફાઈ કરવામાં આવી નથી. આમ સફાઈ ન થતા નદીમાં ઠેર ઠેર જળકુંભીનું સામ્રાજ્ય જોવા મળે છે. ત્યારે, હવે તો એવી સ્થિતિ સર્જાઈ છે કે સાબરમતી નદીમાં જળકુંભી પથરાઈ જતાં ફ્લોટિંગ રેસ્ટોરાં બંધ કરવાની ફરજ પડી છે.

ચોમાસાની સિઝન ચાલી રહી છે. જેના પગલે વરસાદી પાણી સાબરમતીમાં આવતા નદીનું લેવલ ઘટાડવા માટે વાસણા બેરેજના દરવાજા ખોલી દેવામાં આવે છે. પરિણામે નદીમાં પાણીનું લેવલ ઓછું થઈ જાય છે. પરિણામે નદીમાં ફ્લોટિંગ રેસ્ટોરાં હાલ ટેમ્પરરી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...