Thursday, March 12, 2026

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ચાલનારી ફ્લોટિંગ રેસ્ટોરાં કરાઈ બંધ, જાણો શું છે કારણ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે સાબરમતી નદીમાં ચાલનારી ફ્લોટિંગ રેસ્ટોરાં બંધ કરવામાં આવી છે. નદીનું લેવલ ઘટતા તેમજ જળકુંભીને કારણે ટેમ્પરરી રેસ્ટોરાં બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.જળકુંભીને દૂર કરવા વાર્ષિક એક કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ નદીમાં હજી સુધી સફાઈ કરવામાં આવી નથી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ સાબરમતી નદીમાં ફ્લોટિંગ રેસ્ટોરાં અક્ષર રિવરક્રૂઝ દ્વારા ચલાવવામાં આવે છે. પરંતુ હાલ ફ્લોટિંગ રેસ્ટોરાં બંધ કરાવવામાં આવી છે. પરિણામે મુલાકાતીઓ ફ્લોટિંગ રેસ્ટોરાંની મજા માણી શકશે નહીં.સાબરમતી નદીમાં ઠેર ઠેર જળકુંભી વનસ્પતિ પથરાઈ જતા ફ્લોટિંગ રેસ્ટોરાંની સેવા બંધ કરવાનો વારો આવ્યો છે. નદીમાં પાણીનું લેવલ ઘટતા તેમ જ જળકુંભીનાં સામ્રાજ્યના કારણ ફ્લોટિંગ રેસ્ટોરાં હાલ પૂરતું બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. પરિણામે, થોડા દિવસ માટે શહેરીજનો ફ્લોટિંગ રેસ્ટોરાંની મજા માણી શકશે નહીં.

અમદાવાદની સાબરમતી નદીમાં જળકુંભીનું સામ્રાજ્ય કોર્પોરેશન માટે માથાનો દુ:ખાવો બની ગયો છે. સાબરમતી નદીમાં જળકુંભીને દૂર કરવા વાર્ષિક એક કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવે છે, તેમ છતાં નદીમાં હજી સુધી સફાઈ કરવામાં આવી નથી. આમ સફાઈ ન થતા નદીમાં ઠેર ઠેર જળકુંભીનું સામ્રાજ્ય જોવા મળે છે. ત્યારે, હવે તો એવી સ્થિતિ સર્જાઈ છે કે સાબરમતી નદીમાં જળકુંભી પથરાઈ જતાં ફ્લોટિંગ રેસ્ટોરાં બંધ કરવાની ફરજ પડી છે.

ચોમાસાની સિઝન ચાલી રહી છે. જેના પગલે વરસાદી પાણી સાબરમતીમાં આવતા નદીનું લેવલ ઘટાડવા માટે વાસણા બેરેજના દરવાજા ખોલી દેવામાં આવે છે. પરિણામે નદીમાં પાણીનું લેવલ ઓછું થઈ જાય છે. પરિણામે નદીમાં ફ્લોટિંગ રેસ્ટોરાં હાલ ટેમ્પરરી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...