Tuesday, January 20, 2026

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ચાલનારી ફ્લોટિંગ રેસ્ટોરાં કરાઈ બંધ, જાણો શું છે કારણ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે સાબરમતી નદીમાં ચાલનારી ફ્લોટિંગ રેસ્ટોરાં બંધ કરવામાં આવી છે. નદીનું લેવલ ઘટતા તેમજ જળકુંભીને કારણે ટેમ્પરરી રેસ્ટોરાં બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.જળકુંભીને દૂર કરવા વાર્ષિક એક કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ નદીમાં હજી સુધી સફાઈ કરવામાં આવી નથી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ સાબરમતી નદીમાં ફ્લોટિંગ રેસ્ટોરાં અક્ષર રિવરક્રૂઝ દ્વારા ચલાવવામાં આવે છે. પરંતુ હાલ ફ્લોટિંગ રેસ્ટોરાં બંધ કરાવવામાં આવી છે. પરિણામે મુલાકાતીઓ ફ્લોટિંગ રેસ્ટોરાંની મજા માણી શકશે નહીં.સાબરમતી નદીમાં ઠેર ઠેર જળકુંભી વનસ્પતિ પથરાઈ જતા ફ્લોટિંગ રેસ્ટોરાંની સેવા બંધ કરવાનો વારો આવ્યો છે. નદીમાં પાણીનું લેવલ ઘટતા તેમ જ જળકુંભીનાં સામ્રાજ્યના કારણ ફ્લોટિંગ રેસ્ટોરાં હાલ પૂરતું બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. પરિણામે, થોડા દિવસ માટે શહેરીજનો ફ્લોટિંગ રેસ્ટોરાંની મજા માણી શકશે નહીં.

અમદાવાદની સાબરમતી નદીમાં જળકુંભીનું સામ્રાજ્ય કોર્પોરેશન માટે માથાનો દુ:ખાવો બની ગયો છે. સાબરમતી નદીમાં જળકુંભીને દૂર કરવા વાર્ષિક એક કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવે છે, તેમ છતાં નદીમાં હજી સુધી સફાઈ કરવામાં આવી નથી. આમ સફાઈ ન થતા નદીમાં ઠેર ઠેર જળકુંભીનું સામ્રાજ્ય જોવા મળે છે. ત્યારે, હવે તો એવી સ્થિતિ સર્જાઈ છે કે સાબરમતી નદીમાં જળકુંભી પથરાઈ જતાં ફ્લોટિંગ રેસ્ટોરાં બંધ કરવાની ફરજ પડી છે.

ચોમાસાની સિઝન ચાલી રહી છે. જેના પગલે વરસાદી પાણી સાબરમતીમાં આવતા નદીનું લેવલ ઘટાડવા માટે વાસણા બેરેજના દરવાજા ખોલી દેવામાં આવે છે. પરિણામે નદીમાં પાણીનું લેવલ ઓછું થઈ જાય છે. પરિણામે નદીમાં ફ્લોટિંગ રેસ્ટોરાં હાલ ટેમ્પરરી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...