Sunday, January 18, 2026

અમદાવાદીઓ ધ્યાન રાખજો, હવે જન્મના પ્રમાણપત્રમાં એક જ વખત નામ બદલી શકાશે, વારંવાર નહીં

spot_img
Share

અમદાવાદ : જો હવે તમે જન્મના પ્રમાણપત્રમાં સુધારો કરાવવા જતા હોય તો એક એક શબ્દ સરખી રીતે વાંચી અને ચકાસી લેજો કારણકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જન્મ મરણ વિભાગ દ્વારા જન્મના પ્રમાણપત્રમાં એક જ વખત સુધારો કરી આપવામાં આવશે. ભાઈ, બહેન, કુમાર, કુમારી વગેરે શબ્દો ઉમેરવા માટે અથવા દૂર કરવા માટે જન્મ મરણ વિભાગમાં અરજીઓ કરવામાં આવતી હોય છે. દિન પ્રતિદિન નામમાં સુધારાની અરજીઓમાં વધારો થવાના કારણે હવે કોર્પોરેશન દ્વારા માત્ર એક જ વખત સુધારો કરી આપવામાં આવશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જન્મ મરણ વિભાગના જણાવ્યા મુજબ ભારત સરકારની વર્ષ 2007ની માર્ગદર્શિકા મુજબ કોઈપણ જન્મના પ્રમાણપત્રમાં એક વખત સુધારો કરી શકાય છે. આધાર કાર્ડમાં પણ હવે જન્મના પ્રમાણપત્ર મુજબ નામ હોવું જોઈએ, જેને લઈને લોકો સુધારા વધારા કરાવવા આવી રહ્યા છે. ત્યારે અનેક અરજીઓમાં એવું સામે આવ્યું હતું કે બેથી ત્રણ વખત તેઓ દ્વારા નામ સુધારા માટેની અરજી કરવામાં આવી હતી. જન્મના પ્રમાણપત્રમાં સુધારા માટેની રોજની 250 જેટલી અંદાજિત અરજીઓ આવે છે. જેમાં ખાસ કરીને પોતાના નામમાં અથવા તો માતા-પિતાના નામમાં ભાઈ, બહેન, કુમાર, કુમારી બદલાવવા માટેની અરજી કરવામાં આવે છે.

દિન પ્રતિદિન નામ સુધારા માટે અરજીઓની સંખ્યા વધી હતી. જુલાઈ મહિના સુધીમાં 50,000 જેટલી અરજીઓ નામ સુધારા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના જન્મ મરણ વિભાગને મળી છે. વધારે પડતી અરજીઓ થવાના કારણે ખરેખર જે વ્યક્તિને પોતાના નામમાં સુધારાની જરૂરિયાત હોય તેની અરજીનો ઝડપી નિકાલ થઈ શકતો નથી.આ કારણે નામમાં સુધારાની અરજીઓમાં વધારો થવાના કારણે હવે કોર્પોરેશન દ્વારા માત્ર એક જ વખત સુધારો કરી આપવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...