Friday, May 1, 2026

અમદાવાદીઓ ધ્યાન રાખજો, હવે જન્મના પ્રમાણપત્રમાં એક જ વખત નામ બદલી શકાશે, વારંવાર નહીં

spot_img
Share

અમદાવાદ : જો હવે તમે જન્મના પ્રમાણપત્રમાં સુધારો કરાવવા જતા હોય તો એક એક શબ્દ સરખી રીતે વાંચી અને ચકાસી લેજો કારણકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જન્મ મરણ વિભાગ દ્વારા જન્મના પ્રમાણપત્રમાં એક જ વખત સુધારો કરી આપવામાં આવશે. ભાઈ, બહેન, કુમાર, કુમારી વગેરે શબ્દો ઉમેરવા માટે અથવા દૂર કરવા માટે જન્મ મરણ વિભાગમાં અરજીઓ કરવામાં આવતી હોય છે. દિન પ્રતિદિન નામમાં સુધારાની અરજીઓમાં વધારો થવાના કારણે હવે કોર્પોરેશન દ્વારા માત્ર એક જ વખત સુધારો કરી આપવામાં આવશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જન્મ મરણ વિભાગના જણાવ્યા મુજબ ભારત સરકારની વર્ષ 2007ની માર્ગદર્શિકા મુજબ કોઈપણ જન્મના પ્રમાણપત્રમાં એક વખત સુધારો કરી શકાય છે. આધાર કાર્ડમાં પણ હવે જન્મના પ્રમાણપત્ર મુજબ નામ હોવું જોઈએ, જેને લઈને લોકો સુધારા વધારા કરાવવા આવી રહ્યા છે. ત્યારે અનેક અરજીઓમાં એવું સામે આવ્યું હતું કે બેથી ત્રણ વખત તેઓ દ્વારા નામ સુધારા માટેની અરજી કરવામાં આવી હતી. જન્મના પ્રમાણપત્રમાં સુધારા માટેની રોજની 250 જેટલી અંદાજિત અરજીઓ આવે છે. જેમાં ખાસ કરીને પોતાના નામમાં અથવા તો માતા-પિતાના નામમાં ભાઈ, બહેન, કુમાર, કુમારી બદલાવવા માટેની અરજી કરવામાં આવે છે.

દિન પ્રતિદિન નામ સુધારા માટે અરજીઓની સંખ્યા વધી હતી. જુલાઈ મહિના સુધીમાં 50,000 જેટલી અરજીઓ નામ સુધારા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના જન્મ મરણ વિભાગને મળી છે. વધારે પડતી અરજીઓ થવાના કારણે ખરેખર જે વ્યક્તિને પોતાના નામમાં સુધારાની જરૂરિયાત હોય તેની અરજીનો ઝડપી નિકાલ થઈ શકતો નથી.આ કારણે નામમાં સુધારાની અરજીઓમાં વધારો થવાના કારણે હવે કોર્પોરેશન દ્વારા માત્ર એક જ વખત સુધારો કરી આપવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...