Wednesday, January 14, 2026

નવા વાડજમાં હિન્દી માધ્યમની એકમાત્ર શાળા એટલે લાયોનેસ કર્ણાવતી એમ એચ હિન્દી હાયર સેકન્ડરી સ્કુલ

spot_img
Share

અમદાવાદ : અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમના જોરદાર પ્રવાહ વચ્ચે નવા વાડજમાં એકમાત્ર હિન્દી માધ્યમ શાળા એટલે લાયોનેસ કર્ણાવતી એમ એચ હિન્દી હાયર સેકન્ડરી સ્કુલ, જે નવા વાડજ સહિત આજુબાજુમાં વસતા હજારો પરપ્રાંતિય પરિવારોના બાળકોને શિક્ષણ આપી રહ્યા છે.નવા વાડજ વિસ્તારના હિન્દી ભાષીઓના બાળકોનાં સર્વાંગીણ વિકાસ માટે સર્જાયેલ એકમાત્ર શાળા એટલે લાયોનેસ કર્ણાવતી એમ એચ હિન્દી હાયર સેકેન્ડરી સ્કૂલ.

૧૦૦૦થી વધુ હિન્દી માધ્યમના બાળકોને શિક્ષણ આપતા લાયોનેસ કર્ણાવતી એમ એચ હિન્દી હાયર સેકન્ડરી સ્કુલના આચાર્ય દિપકભાઈ પટેલ જણાવે છે કે નાના બાળકોનું શિક્ષણ એમની માતૃભાષા માં જ થવું જોઈએ.નવા વાડજ વિસ્તારમાં વસતા હજારો પરપ્રાંતિય હિન્દી ભાષી પરિવાર આ શાળાના વાતાવરણ અને શિક્ષણથી સંપૂર્ણ સંતુષ્ટ છે કેમ કે સમસ્ત શિક્ષકો હિન્દી ભાષા પર પ્રભુત્વ રાખતા તજજ્ઞો છે.

શાળાના વિજ્ઞાન શિક્ષક પ્રવીણાબેન સોલંકીના જણાવ્યા મુજબ આ શાળાનું હેતુ માત્ર પુસ્તકીયું જ્ઞાન આપીને બાળકોને પોપટ બનાવાનું નથી પરંતુ એક શિક્ષિત અને સંવેદનશીલ નાગરિક તૈયાર કરવાનો છે જે સમાજના ઉત્કર્ષમાં સહભાગી થાય અને શાળાનું નામ રોશન કરે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...